Ahmedabad : IIMમાં કોરોના કેસનો વિસ્ફોટ, જમાલપુર શાકમાર્કેટમાં વેક્સિનેશનની પ્રક્રિયા પર મુકાયો ભાર

|

Apr 07, 2021 | 3:49 PM

Ahmedabad : શહેરમાં કોરોના સંક્રમણ માથું ઊંચક્યું છે. જ્યાં બીજી તરફ iim માં પણ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં iim માં કોરોનાનો આંકડો 125 પર પહોંચ્યો. 12 માર્ચ બાદ iim માં કોરોના સંક્રમણ ની શરૂઆત થઈ હતી.

Ahmedabad : IIMમાં કોરોના કેસનો વિસ્ફોટ, જમાલપુર શાકમાર્કેટમાં વેક્સિનેશનની પ્રક્રિયા પર મુકાયો ભાર
IIM

Follow us on

Ahmedabad : શહેરમાં કોરોના સંક્રમણ માથું ઊંચક્યું છે. જ્યાં બીજી તરફ iim માં પણ કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. હાલમાં iim માં કોરોનાનો આંકડો 125 પર પહોંચ્યો. 12 માર્ચ બાદ iim માં કોરોના સંક્રમણ ની શરૂઆત થઈ હતી. જે બાદ ટેસ્ટિંગ અને સર્વે પર ભાર મુક્યો હતો. જેમાં દરરોજ કેસ વધતા ગયા અને 12 માર્ચથી 6 એપ્રિલ સુધી 125 કેસ નોંધાયા છે. જેની અંદર વિદ્યાર્થી. પ્રોફેસર અને કર્મચારીઓને કોરોના થયો છે. સાથે જ વધતા કોરોનાને લઈને સતત ટેસ્ટિંગ અને સર્વેની amc દવારા પ્રક્રિયા ચાલુ છે. જોકે કોરોના સંક્રમણ iimમાં ક્યાંથી આવ્યું તે હજુ સુધી સામે નથી આવ્યું. ત્યારે iim માં વધતું સંક્રમણ iim અને amc માં ચિંતાનો વિષય બન્યું છે.

કોરોના સંક્રમણ વચ્ચે વેકસીનેશન પ્રક્રિયા તેજ
કોરોના સંક્રમણ વધ્યું છે જેમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ એક ઉપાય છે. સાથે જ વેકશીન પણ તેટલી જ જરૂરી છે. જેને જોતા amc દ્વારા વેકસીનેશન પર વધું ભાર મુકવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે જમાલપુર apmc માં વેકસીનેશન ની કામગીરી હાથ ધરવામાં આવી. જેમાં વેપારી. કર્મચારી તેમજ તેમના પરિવારજનો માટે કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા ઉભી કરાઈ. જ્યાં 45 વર્ષથી ઉપરનાને વેક્સિન લીધી. apmc અને amc એ સંકલન કરી વેકસીનેશનનું આયોજન કર્યું હતું.

વધતા કોરોના વચ્ચે હજુ પણ લોકો બેદરકાર

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રાજ્ય અને શહેરમાં કોરોના સંક્રમણએ બુલેટ ગતિએ વધી રહ્યું છે. જેની સામે દરેક નાગરિક લડત આપી રહ્યો છે. જોકે હજુ પણ કેટલાક લોકો એવા છે કે જે કોવિડ સામે રક્ષણ આપી શકે તેવા નિયમનું પાલન નથી કરી રહ્યા. જેને લઈને શહેરમાં કોરોના સંક્રમણ વધવાની શકયતા વધી શકે છે. કેમ કે લોકો નથી પાડી રહ્યા ફરજીયાત માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સનો નિયમ. જમાલપુર શાક માર્કેટ અને apmc માં લોકો નિયમ ભંગ કરતા દેખાયા. જેના કારણે જમાલપુર શાક માર્કેટ અને apmc બની શકે છે સુપર સ્પ્રેડર. કેમ કે જમાલપુર શાક માર્કેટ અને apmc માંથી માત્ર શહેર નહિ પણ અન્ય ગામડા અને રાજ્યમાં શાકભાજી જાય છે.

 

મહત્વનું છે કે સરકાર અને તંત્ર દ્વારા અનેક વાર નિયમ પાડવા અપીલ કરાય છે. તેમજ કડક અમલવારી પણ કરાઈ રહી છે. જોકે તેમ છતાં લોકો નિયમ પાડી નથી રહ્યા. સાથે જ રોડ પર માસ્ક નહિ પહેરનાર સામે કાર્યવાહી જ્યારે બજારોમાં કોઈ કાર્યવાહી નહિ હોવાથી લોકો નિયમ તોડવા માટે મોકડું સ્થાન મળી ગયું હોય તેવું પણ ફલિત થઈ રહ્યું છે.

Published On - 3:31 pm, Wed, 7 April 21

Next Article