Ahmedabad: કોરોનાની બીજી લહેર વચ્ચે માનવતા મહેકી, કોરોના પોઝિટીવ પરિવારો માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘે મફત ટિફિન સેવા કરી શરૂ

|

Apr 15, 2021 | 9:16 PM

રાજ્યમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે ઓલટાઈમ હાઈ આંકડો નોંધાયો છે. જેની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટનો પણ આંકડો સતત વધી 400 ઉપર પહોંચી ગયો છે.

Ahmedabad: કોરોનાની બીજી લહેર વચ્ચે માનવતા મહેકી, કોરોના પોઝિટીવ પરિવારો માટે કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘે મફત ટિફિન સેવા કરી શરૂ

Follow us on

રાજ્યમાં કોરોનાના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. જેમાં આજે ઓલટાઈમ હાઈ આંકડો નોંધાયો છે. જેની સાથે માઈક્રો કન્ટેઈનમેન્ટનો પણ આંકડો સતત વધી 400 ઉપર પહોંચી ગયો છે. જોકે તેનાથી પણ મોટી અને ગંભીર બાબત એ છે કે બીજી લહેરમાં પૂરે પુરા પરિવાર કોરોના પોઝિટિવ નોંધાઈ રહ્યા છે. જેના કારણે પરિવારને ખાવાનું બનાવીને ખાવું કઈ રીતે તે પ્રશ્ન સર્જાયો છે. ત્યારે આ સમસ્યાને ધ્યાને રાખી કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘ આગળ આવ્યું છે અને આવા લોકો માટે સંઘ દ્વારા મફત ટિફિન સેવા શરૂ કરી છે.

 

કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘને અનેક ફરિયાદ અને રજુઆત મળી હતી કે માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રહેતા કોરોના પોઝિટિવ પરિવારને જમવાની સમસ્યા સર્જાઈ છે. જેમાં કેટલાક લોકો બે દિવસ સુધી જમી શક્યા નથી. જે ફરિયાદ અને રજુઆત મળતા કલ્યાણી સાહસિક મહિલા વિકાસ સંઘની મહિલાઓ આગળ આવી અને સંઘમાં જોડાયેલ લગભગ 15 જેટલી અલગ અલગ મહિલાઓએ તેમના ઘરે ટિફિન સેવા શરૂ કરી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

જે મહિલાઓ ટિફિન બનાવી માઈક્રો કન્ટેઈનમેન્ટમાં રહેતા લોકો સુધી પહોંચાડે છે. સંઘના પ્રેસિડેન્ટ હેતલબેન અમીને જણાવ્યું કે 15 જેટલી મહિલા ટિફિન બનાવી રહી છે અને 70થી ઉપરાંત લોકોના ઘરે મફત ટિફિન પહોંચાડવામાં આવી રહ્યા છે. તેમજ હજુ પણ ટિફિનની સંખ્યા વધી રહી છે તો હેતલબેને અન્ય સંસ્થાઓને પણ આગળ આવી મદદ કરવા સૂચન કર્યું છે. જેથી કોરોના પોઝિટિવ આવનાર લોકોને મદદ પુરી પાડી શકાય.

 

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોનાને હરાવી 3 હજારથી વધુ લોકો સાજા થયા,નવા 8 હજાર કેસ સામે આવ્યાં

Published On - 8:50 pm, Thu, 15 April 21

Next Article