AHMEDABAD : કયાંક ટેસ્ટિંગને લઇને એએમસીની સચોટ કાર્યવાહી, તો કયાંક ટેસ્ટિંગને લઇને જોવાઇ કચાશ

|

Apr 10, 2021 | 4:03 PM

AHMEDABAD શહેરમાં ઓલટાઇમહાઈ કોરોના કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં 4500 ઉપર કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 1200 ઉપર કેસ નોંધાયા. તો માઈક્રો કન્ટેઇનમેન્ટનો આંકડો 339 પર પહોંચ્યો. જે વધતા કોરોના કેસ અને માઈક્રો કન્ટેઇનમેન્ટ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

AHMEDABAD : કયાંક ટેસ્ટિંગને લઇને એએમસીની સચોટ કાર્યવાહી, તો કયાંક ટેસ્ટિંગને લઇને જોવાઇ કચાશ

Follow us on

AHMEDABAD શહેરમાં ઓલટાઇમહાઈ કોરોના કેસ નોંધાયા છે. જેમાં રાજ્યમાં 4500 ઉપર કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 1200 ઉપર કેસ નોંધાયા. તો માઈક્રો કન્ટેઇનમેન્ટનો આંકડો 339 પર પહોંચ્યો. જે વધતા કોરોના કેસ અને માઈક્રો કન્ટેઇનમેન્ટ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

તો બીજી તરફ માઈક્રો કન્ટેઈનમેન્ટની પ્રક્રિયાને લઈને લોકો નારાજ થયા છે. અને પ્રક્રિયામાં સુધારો કરવા કરી માંગ ઉઠી છે. શાહીબાગમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયેલા અરિહંત નગરના રહીશોનો આક્ષેપ છે કે ઓછા કેસ હોવા છતાં અરિહંત નગરને માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરી દેવાયો. જે ખોટી બાબત ગણાવી રહીશોએ તેમાં સુધારો લાવવા માંગ કરી છે. તેમજ જાહેર કરાયેલા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં તંત્ર દ્વારા કોઈ સેનેટાઇઝની કામગીરી નહિ કરતા પણ નારાજગી વ્યાપી છે. તો સાથે જ લોકોને નિયમ પાડવા શહેરીજનોને અપીલ કરી છે.સાથે જ સ્વયંભૂ બંધ પાડી શહેરને વધુ સંક્રમિત થતા બચાવવા પણ કરી અપીલ.

એટલું જ નહીં આક્ષેપો વચ્ચે amc એ વડાપ્રધાનના માઈક્રો કન્ટેઈનમેન્ટમાં ટેસ્ટિંગ વધારવાના સૂચન પર અમલવારી શરૂ કરી હોવાનું પણ સામે આવ્યું. શાહીબાગમાં અરિહંત નગરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયો હતો ત્યાં ટેસ્ટિંગ શરૂ કરાયું હતું. જેમાં ટીમ પહોંચી માઈક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરાયેલા બ્લોકમાં ઘરે ઘરે જઈને લોકોને ટેસ્ટ કરવા માટે જણાવ્યું હતું. જે બાદ લોકો પણ ટેસ્ટ કરવા પહોંચ્યા હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ટેસ્ટિંગ પર ભાર કરતા સૂચન સામે શહેરમાં ટેસ્ટિંગને લઈને શહેરીજનો પરેશાન જોવા મળ્યા. ટેસ્ટિંગ ડોમ પર ચાર ચાર દિવસ જવા છતાં ટેસ્ટિંગ નહિ થઈ રહ્યા હોવાના ચાંદખેડાના રહીશોએ આક્ષેપ કર્યા. ચાંદખેડામાં સોનલ ચાર રસ્તા સહિતના ટેસ્ટિંગ ડોમ પર યોગ્ય વ્યવસ્થા નહીં હોવાને લઈને ત્યાં આવતા લોકોને હાલાકી પડતી હોવાના આક્ષેપ કર્યા છે.

તેમજ ટેસ્ટિંગ કીટ ઓછી હોવાને લઈને ટેસ્ટિંગ નહિ થતા હોવાના લોકોના આક્ષેપ. તો સાથે જ ટેસ્ટિંગ ટિમ ની કામગીરીને લઈને શહેરીજનો એ સવાલ ઉઠાવ્યા હતા. શહેરીજનોનોએ પણ આક્ષેપ હતો કે કીટ હોવા છતાં પણ ટિમ ટેસ્ટિંગ નથી કરી રહી. તેમજ 4 કલાકમાં પોઝિટિવ ટેસ્ટ માંથી નેગેટિવ ટેસ્ટ આવતા હોવાના પણ આક્ષેપ ઉઠ્યા. જેની સામે શહેરીજનોએ યોગ્ય વ્યવસ્થા કરવા અને લોકોને પડતી હાલાકી દૂર કરવા તંત્ર પાસે માંગ કરી છે.

Published On - 4:03 pm, Sat, 10 April 21

Next Article