અમદાવાદમાં AMCની આધુનિક કામગીરી, રખડતા પશુઓમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી
અમદાવાદમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સજ્જ બન્યું છે. હવે આધુનિક પદ્ધતિથી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા રખડતા પશુના શરીરમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી રહી છે. અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આ માઈક્રોચીપ તબીબ દ્વારા પશુના શરીરમાં ફીટ કરવામાં આવી રહી છે. જેથી પશુનું ચોક્કસ લોકેશન જાણી શકાશે. આ પણ વાંચો : ઉધારના રૂપિયાથી મોજ […]
અમદાવાદમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સજ્જ બન્યું છે. હવે આધુનિક પદ્ધતિથી કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા રખડતા પશુના શરીરમાં માઈક્રોચીપ ઈન્જેક્ટ કરવામાં આવી રહી છે. અદ્યતન ટેક્નોલોજી ધરાવતી આ માઈક્રોચીપ તબીબ દ્વારા પશુના શરીરમાં ફીટ કરવામાં આવી રહી છે. જેથી પશુનું ચોક્કસ લોકેશન જાણી શકાશે.
આ માઈક્રોચીપમાં પશુના માલિકનું નામ અને સરનામુ સહિતની વિગતો અપલોડ કરવામાં આવે છે. જેથી ચીપ દ્વારા પશુના માલિકની પણ માહિતી મેળવી શકાય.
આ ચીપ ચોખાના મોટા દાણા જેટલા કદનું જ હોય છે અને જેનો અલગથી એક યુનિક ID આપવામાં આવે છે. આ IDમાં તમામ પ્રકારની વિગતો હોય છે. RFID ટેક્નોલોજીના ઉપયોગથી આ ચીપ બનાવવામાં આવે છે. જેનો વિદેશમાં ઘણા વર્ષોથી ખોવાયેલા પશુઓને શોધવા માટે ઉપયોગ કરાવામાં આવે છે.