26 ડિસેમ્બરના રોજ સૂર્યગ્રહણ થવાનું છે. આ ગ્રહણ ભારતમાં મોટા ભાગના સ્થળે ખગ્રાસ સૂર્યગ્રહણ સ્વરૂપે જોવા મળશે. તો ખગ્રાસ સૂર્યગ્રહણને લઈને રાજ્યના ચાર મહત્વના મંદિરો ગણાતા એવા દ્વારકા, ડાકોર, સોમનાથ અને અંબાજીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યગ્રહણને ધ્યાનમાં રાખીને દ્વારકા અને સોમનાથ મંદિર બપોરે 12 વાગ્યે ખુલશે અને દ્વારકા મંદિર અને સોમનાથ મંદિરમાં સવારની મંગળા આરતી બપોરે 12 વાગ્યે જ થશે. જ્યારે અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતી 1 વાગ્યે ખુલશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સાબરકાંઠાની મેઘરજ APMCમાં મગફળીના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ