માધવપુરના મેળાની ઉજવણી મામલે રાજકોટ જિલ્લા કલેકટરની વૈષ્ણાચાર્યો સાથે બેઠક યોજાઇ

માધવપુર-ઘેડ ખાતે તા. 10 થી 13 એપ્રિલ સુધી યોજાનારા મેળામાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાની સાથોસાથ શહેરીજનોને અને ખાસ કરીને યુવાનોને પણ આ મેળામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી.

માધવપુરના મેળાની ઉજવણી મામલે રાજકોટ જિલ્લા કલેકટરની વૈષ્ણાચાર્યો સાથે બેઠક યોજાઇ
A meeting was held with the Vaishnacharyas of Rajkot District Collector regarding the celebration of Madhavpur fair
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 4:20 PM

રાજકોટ (Rajkot)જિલ્લા કલેકટર (District Collector)અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને માધવપુર-ઘેડ (Madhavpur-Ghed)ખાતે યોજાનાર મેળામાં (Fairs) રાજકોટ જિલ્લાની સહભાગીતા માટે હવેલી સંપ્રદાયના ભક્તો- વૈષ્ણાચાર્યોની બેઠક (Meeting)કલેક્ટર કચેરી ખાતે મળી હતી. આ મિંટીંગમાં સરકારના આયોજનને આવકારી માઘવપુરના મેળામાં ભક્તો જોડાઈને રાજકોટ જિલ્લાના શ્રીકૃષ્ણ મંદિરોને, હવેલીઓને શણગારવા સંસ્થાઓએ આયોજન કર્યું હતું.

પોરબંદરના માધવપુર-ઘેડ ખાતે 10 થી 13 એપ્રિલ દરમ્યાન મેળો યોજાનાર છે. વિવિધ રાજ્યોના સરકારના રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારના આયોજનની જાણકારી પણ કલેક્ટર દ્વારા સંપ્રદાયના ભક્તો- વૈષ્ણાચાર્યોને આપવામાં આવી હતી.

હવેલીઓને શણગારી માધવપુરના મેળાના ભક્તો જોડાય તે માટે સૌને પ્રેરિત કરાશે, જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કેન્દ્ર-રાજ્ય સરકારના આયોજનને આવકાર, અખંડ ભારતની કામગીરીના ભાગરૂપે રાજકોટ ખાતે વિવિધ ધાર્મિકસ્થળોએ ઉજવણી કરાશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ બેઠકમાં કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘મન કી બાત’માં રજૂ કરેલા ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ અંતર્ગત માઘવપુરના મેળાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આ વિચારને પરિપૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ માધવપુર-ઘેડની સાથે સાથે આસપાસના જિલ્લાઓમાં પણ ટુરીઝમ સર્કિટ વિકસે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. જિલ્લાઓમાં આ મહોત્સવની ઉજવણીની ભાગરૂપે મુખ્ય સરકારી કચેરી, શહેરની તમામ હવેલી, મંદિરો વગેરેને શણગારી, લગ્નોત્સવ જેવો માહોલ ઉભો કરી આપણી ભારતીય સંસ્કૃતિ અને ભગવાન શ્રીકૃષ્ણના લગ્નનો ઉલ્લાસ મનાવવામાં આવશે.

માધવપુર-ઘેડ ખાતે તા. 10 થી 13 એપ્રિલ સુધી યોજાનારા મેળામાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત રહેવાના હોવાની સાથોસાથ શહેરીજનોને અને ખાસ કરીને યુવાનોને પણ આ મેળામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. જેના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા પરિવહન માટે વધારાની એસ.ટી. વિભાગની બસો પણ ગોઠવવામાં આવશે.

આ બેઠકમાં ગૌસ્વામી ગોપેશકુમાર મહારાજ, ગૌસ્વામી અભિષેક લાલજી, ગૌસ્વામી અક્ષરકુમારજી, ગૌસ્વામી મધુસુદન લાલજી, ગૌસ્વામી પુરુષોત્તમ લાલજી, જિલ્લા નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર તથા વિવિધ હવેલીના ભક્તો તેમજ નંદાભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, નિતિનભાઈ ફિચડીયા, રૂચીરાયજી ગોસ્વામી, જતીનભાઈ પાટડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : મસાલા ખરીદતા પહેલા સાવધાન ! રાજકોટમાં રાઇમાં ભેળસેળનું કૌંભાડ ઝડપાયુ

આ પણ વાંચો : Bhavnagar: મહિલા PSI કરી અન્ય એક PSI વિરુદ્ધ બળાત્કાર અને લૂંટની ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">