Fire in Ahmedabad : આજે મોડી રાત્રે અમદાવાદના(Ahmedabad) શ્યામલ વિસ્તારમાં આઇકોનીક બિલ્ડિંગમાં આગ લાગી હતી. મળતી માહિતી અનુસાર 12માં માળે ફર્નિચરના કામ દરમિયાન આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 6 થી વધુ ગાડી ઘટના સ્થળ પહોંચી હતી. આગ બુજાવવા અને બચાવની કામગીરીને કારણે હાલ આગ કાબૂમાં છે. લગભગ 1 કલાકની અંદર આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. તેના માટે પોલીસની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી. જેને કારણે તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ભૂવા, આગ, મકાન ધરાસાઈ અને બાંધકામ દરમિયાન મજૂરોના મોત થવાના કિસ્સા બની રહ્યા છે. તેવામાં શહેરીજનોએ વધારે સાવચેત રહેવાની જરુર છે.
અમદાવાદઃ શ્યામલ વિસ્તારની ઇમારતમાં લાગી આગ, ઇમારતના 12માં માળે લાગી આગ #TV9News pic.twitter.com/vXtx1Xf47Y
— Tv9 Gujarati (@tv9gujarati) September 18, 2022
અમદાવાદઃ શ્યામલમાં ઈમારતમાં લાગેલી આગ કાબૂમાં,આઇકોનિક બિલ્ડિંગમાં લાગેલી આગ કાબૂમાં #TV9News pic.twitter.com/QSJyOdE704
— Tv9 Gujarati (@tv9gujarati) September 18, 2022
અમદાવાદમાં વર્ષોથી વરસાદના કારણે ભૂવા પડવાના બનાવ બનતા રહે છે. આ વર્ષે પણ અમદાવાદના અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા હતા. જેને ભરવાની કામગીરી AMC એ હાથ ધરી હતી. હાલમાં આ સિઝનના સૌથી મોટા ભૂવામાં AMCનું ડમ્પર ફસાયુ હતુ.
થોડા દિવસ અગાઉ ગુજરાત યુનિવર્સીટીના મકાનના બાંધકામ દરમિયાન સ્લેબ પરથી પટકાતા 7 મજૂરોના મોત થયા હતા. જેની અમદાવાદમાં ભારે ચર્ચા થઈ હતી. મુખ્યમંત્રી થઈ લઈને વડાપ્રધાન સુધી તમામે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી હતી. હાલમાં માણેક ચોક વિસ્તારમાં એક જૂનું મકાન ધરાયાઈ થતા એક વૃધ્ધનું મોત થયુ હતુ.
Published On - 11:17 pm, Sun, 18 September 22