5 સપ્ટેમ્બરના દિવસે આપણે ગુરુને તો યાદ કરીએ છીએ પણ આ ગુરુ કંઈક અલગ જ જ્યોત જગાવી રહ્યા છે

|

Sep 06, 2019 | 10:55 AM

5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન અને આપણે સૌ સ્કૂલ શિક્ષકોને યાદ કરીએ છીએ. પરંતુ ચિખોદરાના આ શિક્ષક પોતાની ફરજ કંઈક અલગ રીતે બજાવે છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓને નહીં મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને ગુજરાતી હિન્દી અને અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન વિનામૂલ્યે પુરુ પાડવાનું કામ કરે છે. આ ભગીરથ કાર્ય છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે. બાળકોને […]

5 સપ્ટેમ્બરના દિવસે આપણે ગુરુને તો યાદ કરીએ છીએ પણ આ ગુરુ કંઈક અલગ જ જ્યોત જગાવી રહ્યા છે

Follow us on

5 સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન અને આપણે સૌ સ્કૂલ શિક્ષકોને યાદ કરીએ છીએ. પરંતુ ચિખોદરાના આ શિક્ષક પોતાની ફરજ કંઈક અલગ રીતે બજાવે છે. પરંતુ શાળાના વિદ્યાર્થીઓને નહીં મધ્યમ અને ગરીબ વર્ગના બાળકોને ગુજરાતી હિન્દી અને અંગ્રેજીનું પ્રાથમિક જ્ઞાન વિનામૂલ્યે પુરુ પાડવાનું કામ કરે છે. આ ભગીરથ કાર્ય છેલ્લા દસ વર્ષથી કરી રહ્યા છે. બાળકોને રમત સાથે જ્ઞાન મળે તે માટે ડિજિટલ ટેકનોલોજી કે અન્ય કોઇ ઉપકરણ ઉપયોગ કર્યા સિવાય કૃતિઓ તૈયાર કરી છે. 1008 જેટલી કૃતિઓ જાતે તૈયાર કરી બાળકોને જ્ઞાન પીરસવાનું કામ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ ચંદ્ર હવે દૂર નથી… દેશ અને દુનિયાની નજર સામે ભારત રચશે ઈતિહાસ, જુઓ VIDEO

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આણંદ પાસેના ચિખોદરા ગામમાં રહેતા નીતિન પ્રજાપતિ, જેમના પરિવારમાં મોટાભાગના સભ્યો શિક્ષણ સાથે સંકળાયેલ છે. અને નીતિનભાઈ પોતે વિદેશી ભાષાઓ શીખવવાનું સેન્ટર ચલાવે છે. જોકે ચીખોદરાથી આણંદ અપડાઉન કરતા નીતિનભાઈએ સ્લમ વિસ્તારોમાં બાળકોના ટોળે ટોળા જોયા અને તેમને પાંચેક વર્ષ પહેલા વિચાર આવ્યો કે, ભલે આ વિદ્યાર્થીઓ સ્કુલમાં જતા હોય કે નહીં પણ તેમને મારે ભણાવવા છે. અને બસ પછી તો નીતિનભાઈએ સખત પરિશ્રમ કરી ચાલી વિસ્તારોના જુદા-જુદા ફળ, ફૂલ, શાકભાજી, કઠોળ, બારાક્ષરી, આકારોના પોસ્ટરો લગાવી અને બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું. નીતિનભાઈ દ્વારા જે બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે તે મોટાભાગના આદિવાસી વિસ્તારમાંથી શ્રમ કરવા આવતા શ્રમિકોના સંતાનો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article