Gujarati NewsGujarat1118 new coronavirus cases reported in gujarat in last 24 hours
ગુજરાતમાં કોરોનાના નવા 1118 કેસ નોંધાયા, 23 દર્દી મૃત્યુ પામ્યા, હજુ 79 વેન્ટીલેટર ઉપર, 56,416 દર્દી સાજા થયા
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત રહ્યો છે. આજે 1118 નવા કોરોનાના કેસ નોંધાયા છે તો 23 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. જેની સાથે કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ મરણાંક 2697 થયો છે. સુરત શહેર અને જિલ્લામાં થઈને કુલ 10 દર્દીઓના મોત નિપજ્યા છે. તો કોરોનાના નવા નોધાયેલા 1118માં 236 કેસ સુરત શહેર અને જિલ્લાના છે. રાજકોટ 4 […]
Follow us on
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત રહ્યો છે. આજે 1118 નવા કોરોનાના કેસ નોંધાયા છે તો 23 દર્દીઓના કોરોનાથી મોત નિપજ્યા છે. જેની સાથે કોરોનાથી મૃત્યુ પામનારનો કુલ મરણાંક 2697 થયો છે. સુરત શહેર અને જિલ્લામાં થઈને કુલ 10 દર્દીઓના મોત નિપજ્યા છે. તો કોરોનાના નવા નોધાયેલા 1118માં 236 કેસ સુરત શહેર અને જિલ્લાના છે. રાજકોટ 4 અને અમદાવાદમાં 3 દર્દીઓના મોત થયા છે. પાટણ અને વડોદરામાં બે-બે તો ભાવનગર અને વલસાડમાં એક-એક દર્દીના મૃત્યુ નિપજ્યા છે. ગુજરાતમાં કોરોનાના એકટીવ કેસનો આંકડો 14125 થયો છે. જેમાં 79 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે તો 14046 દર્દીઓની હાલત સ્થિર છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓનો આંકડો વધીને 56,416 થયો છે.