AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ પરિણીત સ્ત્રીઓ ધારણ કરે સિંદુર ? જાણો આશ્ચર્યચકિત કરી દેતા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો

દેરક પરિણીત સ્ત્રી સિંદુર ધારણ કરે છે પણ તમે જાણો છો કે તેના કારણો શું છે ? સિંદુર ધારણ કરવાના છે ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો. સ્ત્રીના માથા પરનું સિંદુર લાવે છે ઘરમાં સુખ, સમૃદ્ધી અને શાંતી.

કેમ પરિણીત સ્ત્રીઓ ધારણ કરે સિંદુર ? જાણો આશ્ચર્યચકિત કરી દેતા ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણો
પરિણીત સ્ત્રી
TV9 Bhakti
| Edited By: | Updated on: May 10, 2021 | 1:53 PM
Share

આપણી ભારતીય સંસ્કૃતિમાં દર્શાવાયુ છે કે લગ્નમાં સ્ત્રીની માંગમાં સિંદુર ( sindoor ) પૂરવામાં આવે છે, અને સ્ત્રી મંગળસૂત્ર ધારણ કરે છે. પણ શું તમે જાણો છો કે સ્ત્રીઓ આવું કેમ કરે છે ? આ પરંપરાની પાછળ શું છે વૈજ્ઞાનિક કારણો ? ચલો આજે તમને આપીએ આ તમામ સવાલોના જવાબ.આપણે સૌ જાણીએ છીએ કે સ્ત્રીના કપાળ પર રહેલું સિંદુર એ સ્ત્રીની પરિણીત હોવાની નિશાની છે. કેટલીક સ્ત્રી તેને પરંપરા માને છે તો કેટલીક એ વિશ્વાસ સાથે કે સિંદુર ધારણ કરે છે કે તેના પતિની રક્ષા કરે છે અને તેના સૌભાગ્યને અખંડ રાખે છે.

ધાર્મિક કારણ :

એવું કહેવામાં આવે છે કે સિંદુર સંબંધી ઉલ્લેખ રામાયણમાં પણ છે. માતા સીતા સિંદુર ધારણ કરતા તેવી માન્યતા છે. એટલું જ નહીં એવું કહેવાય છે કે માતા પાર્વતી સિંદુર ધારણ કરનારી મહિલાઓના પતિની રક્ષા કરે છે. અને તમામ ખરાબ શક્તિથી સ્ત્રીના સૌભાગ્યને બચાવે છે. તો માન્યતા તો એવી પણ છે કે જે સ્ત્રી નિયમિત સિંદુર ધારણ કરે છે તેના પતિનું ક્યારેય અકાળે અવસાન નથી થતું. સિંદુરને માતા લક્ષ્મીનું પણ પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે માતા લક્ષ્મી સ્ત્રીના માથા પર જ્યાં સિંદુર ધારણ કરવામાં આવે છે ત્યાં સ્થાન ગ્રહણ કરે છે. જેનાથી ઘરમાં સુખ શાંતી અને સમૃદ્ધીનું આગમન થાય છે.

વૈજ્ઞાનિક કારણ : આપણી તમામ પરંપરાઓની પાછળ કોઈ ને કોઈ વૈજ્ઞાનિક કારણો હંમેશા રહ્યા છે. એવું જ એક કારણ માથામાં સેથો પૂરવાનું અર્થાત સિંદુર ધારણ કરવાનું પણ છે. જે સ્થાન પર સિંદુર ધારણ કરાય છે તે વચ્ચેના ભાગ પર એક ગ્રંથિ હોય છે, જેને આપણે બ્રહ્મારંધ્ર કહીએ છીએ. તે સ્થાન ખુબ સંવેદનશીલ હોવાનું કહેવાય છે.

તેથી તે સ્થાન પર જો સિંદુર લગાવાય તો સ્ત્રીનો તણાવ ઓછો થાય અને સાથે જ મગજ સાથે જોડાયેલી ગંભીર બિમારી થવાની સંભાવના પણ નહિવત્ થઈ જાય છે. સિંદુરમાં પારા નામની ધાતુ હોય છે જેનીથી સ્ત્રીના ચહેરા પર જલદીથી કરચલી પણ નથી થતી. એટલે કે સિંદુર ધારણ કરનારી સ્ત્રીના ચહેરા પર ઉંમર નથી દેખાતી એટલે કે સિંદુરના ધારણ કરવાના મનોવૈજ્ઞાનિક કારણો પણ છે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">