“યે રિશ્તા ક્યા કહલાતા હૈ” ફૈમ Karan Mehra ની ધરપકડ, પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ

|

Jun 01, 2021 | 10:48 AM

ટીવી સ્ટાર કરણ મેહરાની ધરપકડ કરવામાં આવી છે. પત્ની નિશા રાવલ સાથે ઘરેલું હિંસા કરવાના આરોપે મુંબઈ પોલીસે (Mumbai Police) કરણની ધરપકડ કરી છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ ફૈમ Karan Mehra ની ધરપકડ, પત્ની સાથે મારપીટ કરવાનો આરોપ
કરણ મેહરા અને નિશા રાવલ

Follow us on

ટેલીવીઝનના જાણીતા અભિનેતા અને યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ (Yeh Rishta Kya Kehlata Hai) થી ભારતભરમાં પ્રચલિત કરણ મેહરા (Karan Mehra) અને તેની પત્ની નિશા રાવલ (Nisha Rawal) વચ્ચે કેટલાય દિવસોથી તકરારના અહેવાલો આવી રહ્યા હતા. હવે ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે કરણ મેહરાની ધરપકડ કરવામાં આવી છે. પત્ની નિશા રાવલ સાથે ઘરેલું હિંસા કરવાના આરોપે મુંબઈ પોલીસે (Mumbai Police) કરણની ધરપકડ કરી છે. તમને જણાવી દઈએ કે નિશા રાવલ પણ એક અભિનેત્રી છે. હાલમાં કરણ મેહરા ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં છે.

ઘણા સમયથી ચાલી રહી હતી તકરાર

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

છેલ્લા ઘણા દિવસોથી કરણ મેહરા અને નિશા રાવલ વચ્ચે તકરારના સમાચાર મળી રહ્યા હતા. આ અંગે દંપતી સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. પરંતુ અભિનેતાએ આ અંગે કંઇ પણ કહેવાની ના પાડી દીધી હારી. જોકે પત્ની નિશા રાવલે તમામ અફવાઓને સંપૂર્ણ રીતે નકારી હતી અને કહ્યું હતું કે અમારી વચ્ચે બધુ બરાબર છે. કરણની ધરપકડથી હવે સ્પષ્ટ થઈ ગયું છે કે દંપતીની વચ્ચે આ બાબતને લઈને કંઈ બરાબન નહોતું. અચાનક ધરપકડથી લાગી રહ્યું છે કે બંને વચ્ચે ઘણા સમયથી સમસ્યાઓ ચાલી રહી હતી.

ફિલ્મના સેટ પર થયો પ્રેમ

તમને જણાવી દઈએ કે આ બંનેની મુલાકાત ફિલ્મ “હસતે હસતે” ના સેટ પર થઇ હતી. વર્ષ 2008 માં આ ફિલ્મના શૂટિંગ વખતે તેઓ એકબીજાને મળ્યા હતા. તે સમયે કરણ સ્ટાઈલીસ્ટ તરીકે કામ કરી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે કરણ અભિનેતા સાથે સાથે ફેશનમાં પણ ગ્રેજ્યુએટ છે. અહેવાલો અનુસાર આ મુલાકાતમાં કારણ નિશાના પ્રેમમાં પડી ગયા. લાંબો સમય એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ 2012 માં લગ્ન કરી લીધા.

ટીવી જગતનું પ્રખ્યાત નામ

અભિનેતા કરણ મેહરા એ ટીવી જગતનું સૌથી પ્રખ્યાત નામ છે, જે લાંબા સમયથી ચાલતા ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં નૈતિક સિંઘાનિયાની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા હતા. તેમની સાથે હિના ખાન મુખ્ય ભૂમિકામાં હતી, જેણે અક્ષરાનો રોલ ભજવ્યો હતો. કરણે ‘બિગ બોસ 10’ માં પણ ભાગ લીધો હતો અને નિશાની સાથે ‘નચ બલિયે 5’ અને ‘કિચન ચેમ્પિયન 5’ માં પણ તેમણે ભાગ લીધો હતો.

 

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ ગાયબ, મેહુલ ચોકસીની ધરપકડ: જાણો કોણ છે આ યુવતી, જેના વિશે ચાલી રહી છે આટલી ચર્ચા

આ પણ વાંચો: “નાના બાળકોને આટલું કામ કેમ મોદી સાહેબ?”: 6 વર્ષની બાળકીના વિડીયોની અસર, J&K ના ઉપરાજ્યપાલે આપ્યા આ આદેશ

Next Article