બંને બાળકોની સાથે Renuka Shahane થઈ કોરોના પોઝિટિવ, રાણે પરિવાર થયો આઈસોલેટ

|

Apr 19, 2021 | 2:17 PM

આશુતોષ રાણા (Ashutosh Rana) ને કોરોના ચેપ લાગવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા, ત્યારે હવે રેણુકા શહાણે (Renuka Shahane) અને તેમના બે પુત્રો પણ કોવિડની પકડમાં આવી ગયા છે.

બંને બાળકોની સાથે Renuka Shahane થઈ કોરોના પોઝિટિવ, રાણે પરિવાર થયો આઈસોલેટ
Ashutosh Rana family

Follow us on

કોરોના દેશની સાથે-સાથે બોલિવૂડમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. એક તરફ જ્યારે શૂટિંગ અટકી ગયું છે, તો બીજી તરફ ઘણા સ્ટાર્સને કોરોના ચેપ પણ લાગી રહ્યો છે. થોડા દિવસો પહેલા જ્યારે આશુતોષ રાણા (Ashutosh Rana) ને કોરોના ચેપ લાગવાના સમાચાર પ્રકાશમાં આવ્યા હતા, ત્યારે હવે રેણુકા શહાણે (Renuka Shahane) અને તેમના બે પુત્રો પણ કોવિડની પકડમાં આવી ગયા છે.

રાણે પરિવારને લાગ્યો ચેપ

એક અહેવાલ મુજબ, આશુતોષ પછી હવે રેણુકા શહાણે અને તેમના બે પુત્રો સત્યેન્દ્ર અને શૌર્યમનને કોરોના ચેપ લાગ્યાં છે. કોવિડનો ચેપ લાગ્યા પછી રાણે પરિવારે પોતાને આઈસોલેટ કરી દીધો છે અને તે પછી તમામ જરૂરી માર્ગદર્શિકાઓનું પાલન કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ ગઈકાલે સાંજે રેણુકા, સત્યેન્દ્ર અને શૌર્યમનનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આશુતોષે કર્યું હતું 13 એપ્રિલના રોજ પોસ્ટ

યાદ અપાવી દઈએ કે આ અગાઉ 13 એપ્રિલના રોજ આશુતોષે સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં માહિતી આપી હતી કે તે કોવિડની ચપેટમાં આવી ગયા છે. આશુતોષે લખ્યું – ‘આપણું શરીર એક દુર્ગ જેવું હોય છે, તેના નવ દરવાજા છે, તે નવ દરવાજાની અંદર બેસે છે પરમ ચેતના, તેમની રક્ષા કરવાની શક્તિને દુર્ગા કહેવામાં આવે છે. આજે ભારતીય નવા વર્ષની શરૂઆત છે, તેને ચૈત્ર નવરાત્રી પણ કહેવામાં આવે છે, આજથી નવ દિવસ સુધી, ભારત વર્ષમાં જગતજાની માં દુર્ગાની પૂજા, હવન, સ્મરણ કરવામાં આવશે, જેથી તે આપણા શરીર અને મનને અધર્મથી ધર્મ તરફ, સ્વાર્થથી પરમાર્થ તરફ, વિષયાશક્તિથી બ્રહ્મશક્તિ તરફ, વિકારથી સંસ્કાર તરફ જવા માટે મદદ થાય. ‘

 

 

 

કોરોનાની પકડમાં બોલિવૂડ

નોંધપાત્ર વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા સ્ટાર્સ કોવીડની પકડમાં આવી ગયા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં સોનુ સૂદ, મનીષ મલ્હોત્રા, નીલ નીતિન મુકેશ અને અર્જુન રામપાલનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો છે. આ સિવાય વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર, કેટરિના કૈફ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર સહિત ઘણા સ્ટાર્સે કોવિડને પરાજિત કર્યો છે.

 

આ પણ વાંચો :- Maha Kumbh 2021: કોરોનાની ગંભીર પરિસ્થિતી વચ્ચે કુંભના આયોજન પર ભડક્યો સોનુ નિગમ, ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યો વીડિયો

Next Article