Baahubali Web Series: ‘બાહુબલી’ વેબ સિરીઝ વિશે આવ્યું નવું અપડેટ, થયો આ ફેરફાર
બાહુબલી મૂવી બે ભાગમાં રિલીઝ થઈ હતી. તેના બંને ભાગો સારી રીતે પસંદ કરવામાં આવ્યા હતા. બાહુબલીના બીજા ભાગની રીલીઝ સમયે ઘણી મોટી બોલિવૂડ ફિલ્મ્સની રિલીઝ મુલત્વી રાખવામાં આવી હતી.
Baahubali બિફોર ધ બિગિનિંગ વેબ સિરીઝ થોડા મહિના પહેલા સમાચારમાં હતી, તે પછી સમાચાર આવ્યા હતા કે ડાયરેક્ટરે સિરિઝ તો છોડી દિધી છે અથવા તો તેમને હટાવી દેવામાં આવ્યા છે. આ પછી સમાચાર આવ્યા કે નિર્માતાઓને ઘણી વસ્તુઓ પસંદ નથી આવી રહી, પછી સમાચાર આવ્યા કે મૃણાલ ઠાકુરે શો છોડી દીધો છે. હવે એવા સમાચાર આવી રહ્યા છે કે વિશ્વેષ કૃષ્ણમૂર્તિના નિર્દેશન પર સવાલ ઉભા થયા છે.
વિશ્વેષ કૃષ્ણમૂર્તિ અગાઉ આ વેબ સિરીઝનું દિગ્દર્શન કરવાના હતા. તેઓ અગાઉ ’99 સોંગ્સ ‘અને ધ અનટાઈટલ કાર્તિક કૃષ્ણન પ્રોજેક્ટનું નિર્દેશન કરી ચુક્યા હતા. હવે બાહુબલી બિફોર ધ બીગિનિંગ વેબ સિરીઝ ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે, પરંતુ તેમાં કંઈક નવું બદલાયું હોવાનું કહેવાય છે. હવે તે બે નિર્દેશક આ વેબ સિરીઝનું નિર્દેશન કરશે, મૃણાલ ઠાકુરની વાપસી નહીં થાય, પ્રી-પ્રોડક્શન ફરી એકવાર થઈ રહ્યું છે હવે કુણાલ દેશમુખ અને રિભુ દાસગુપ્તા સંયુક્ત રીતે આ વેબ સિરીઝનું નિર્દેશન કરશે.
View this post on Instagram
કૃણાલ દેશમુખે જન્નત, જન્નત 2 અને શિદત જેવી ફિલ્મ્સનું નિર્દેશન કર્યુ છે. રિભુ દાસગુપ્તાએ તાજેતરમાં પરિણીતી ચોપરાની ફિલ્મ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’નું નિર્દેશન કર્યુ છે. બાહુબલી એક લોકપ્રિય ફિલ્મ રહી છે. આ ફિલ્મે હિન્દી સિનેમા જગતની કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. આ ફિલ્મના કારણે પ્રભાસ સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન કરતા મોટા કલાકાર બની ગયા છે.
View this post on Instagram
બાહુબલી મૂવી બે ભાગમાં રિલીઝ થઈ હતી. તેના બંને ભાગો સારી રીતે પસંદ કરવામાં આવ્યા હતા. બાહુબલીના બીજા ભાગની રીલીઝ સમયે ઘણી મોટી બોલિવૂડ ફિલ્મ્સની રિલીઝ મુલતવી રાખવામાં આવી હતી. બાહુબલીમાં પ્રભાસ ઉપરાંત રાણા દગ્ગુબાતી અને તમન્ના ભાટિયાની મહત્વપૂર્ણ ભુમિકા હતી. આ ફિલ્મમાં અનુષ્કા શેટ્ટીએ પણ ખાસ ભૂમિકા ભજવી હતી.