ટીવીનો પ્રખ્યાત શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)માં દર અઠવાડિયે નવા નવા મહેમાનો આવતા રહે છે. જ્યાં આ અઠવાડિયે આપણે શોમાં મનોરંજન જગતથી નહીં પણ રમત જગત સાથે સંબંધિત બે પ્રખ્યાત ચહેરા જોવા જઈ રહ્યા છીએ. હા, આ અઠવાડિયે આપણેને શો પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) અને મોહમ્મદ કૈફ (Mohammad Kaif) કપિલના શોમાં જોવા મળવાના છે. થોડા સમય પહેલા કપિલ શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર આ શો સાથે સંબંધિત એક ખાસ પ્રોમો શેર કર્યો છે.
શોના આ ખાસ પ્રોમોમાં આપણને વિરેન્દ્ર સહેવાગનો બેબાક અંદાજ જોવા મળી રહ્યો છે. જ્યાં કપિલના ચાહકો આ પ્રોમોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં આપણને કપિલ અને વિરેન્દ્ર સહેવાગ વચ્ચે ખૂબ જ મજબૂત કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. જ્યાં પ્રોમોમાં કપિલ વિરેન્દ્ર સહેવાગને કહે છે કે “સહેવાગ હંમેશા ડ્રેસિંગ રૂમમાં હસી મજાક કરતા હતા અને ઘણું બોલતા હતા.
જ્યારે પણ સચિન તેંડુલકર તેમનાથી પરેશાન થઈ જતા, ત્યારે તેઓ તેમને કેળા ખાવા માટે આપતા હતા, જ્યાં સુધી તે કેળુ ખાશે ચૂપ રહેશે, સેહવાગ ભાઈ, તમે કોને કેળુ આપવા માંગો છો? કપિલના આ સવાલ પર સહેવાગ એક કેળું લઈને કપિલ તરફ ફેંકી દે છે. પછી તે કપિલને કહે છે કે “તેને પાછું ફેંક, કારણ કે જો તેને બોલવાનું બંધ કરી દીધું તો આ શો બંધ થઈ જશે, તું આ શોની જાન છે.”
જુઓ આ શોનો નવો પ્રોમો
મોહમ્મદ કૈફની ફિલ્ડિંગ સ્ટાઈલ આજે પણ આખી દુનિયામાં પ્રખ્યાત છે, જ્યાં કપિલના શોમાં પણ તેમની ફિલ્ડિંગ વિશે ઘણી વાતો થઈ હતી. કપિલ ઐશ્વર્યા રાય સાથે મોહમ્મદ કૈફની તસ્વીર બધાને સ્ક્રીન પર બતાવે છે, જ્યા એક વ્યક્તિએ કમેન્ટ કરી હતી કે “ઐશ્વર્યાજી ધ્યાન રાખજો … તે ફિલ્ડિંગમાં થોડાક વધારે સારા છે” આ કમેન્ટને જેવું સ્ટેજ પર વાંચે છે મોહમ્મદ કૈફ જોર જોરથી હસવા લાગે છે.
આ સવાલ બાદ કપિલ મોહમ્મદ કૈફને પૂછે છે કે જેટલા પણ ક્રિકેટર્સ છે, તેમાંથી મોટાભાગનાએ લવ મેરેજ કર્યા છે. તો તમે એ કહો, આ બહાર ફિલ્ડિંગ કરવાનો સમય ક્યારે મળે છે તમને? તમે એક સારા ફિલ્ડર છો તેથી પૂછી રહ્યો છું. આના પર મોહમ્મદ કૈફ અને વિરેન્દ્ર સહેવાગ જોરજોરથી હસવા લાગ્યા. કપિલના શોનો આ નવો પ્રોમો દર્શકોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં દરેક લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો :- Raj Kundra હવે કોર્ટના આદેશ વગર નહીં છોડી શકે દેશ, સરનામું બદલવાની પણ આપવી પડશે માહિતી
આ પણ વાંચો :- TMKOC Photos: ગણપતિજીની સામે સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરશે જેઠાલાલ અને ગોકુલધામ વાસીઓ
Published On - 11:54 pm, Wed, 22 September 21