તારક મહેતાના ‘નટ્ટુ કાકા’ની તબિયત પર ટ્રોલર્સે ઉડાવી મજાક, અભિનેતાએ આપ્યો કંઈક આવો જવાબ

છેલ્લા કેટલાક દિવસોમાં નટ્ટુ કાકા સોશિયલ મીડિયાની દુનિયામાં ટ્રેન્ડ થયા છે. પરંતુ ખોટા કારણોસર. કેટલાક લોકોએ એમને ટ્રોલ કર્યા હતા.

તારક મહેતાના 'નટ્ટુ કાકા'ની તબિયત પર ટ્રોલર્સે ઉડાવી મજાક, અભિનેતાએ આપ્યો કંઈક આવો જવાબ
નટુ કાકા
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 07, 2021 | 7:50 PM

તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયક શોમાં પરત ફર્યા છે. તેઓએ ડિસેમ્બરથી ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે અને થોડા દિવસ પહેલા જ એક એપિસોડમાં ઘણા સમય બાદ જોવા મળ્યા હતા.

સોશિયલ મીડિયામાં થયા ટ્રોલ

છેલ્લા કેટલાક દિવસોમાં નટ્ટુ કાકા સોશિયલ મીડિયાની દુનિયામાં ટ્રેન્ડ થયા છે. પરંતુ ખોટા કારણોસર. કેટલાક લોકોએ એમને ટ્રોલ કર્યા હતા. અને તેમની માંદગીની મજાક ઉડાવી હતી. તેમજ તેમના ડ્રેસિંગ સેન્સ પર પણ ટિપ્પણી કરી હતી. પ્રથમ વખત નટ્ટુ કાકાએ આ ટ્રોલિંગનો જવાબ આપ્યો છે. તેમણે તમામ ટ્રોલને સલાહ આપી છે કે તેઓ વરિષ્ઠ કલાકારોનો આદર કરતા શીખે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

ટ્રોલર્સને આપ્યો કંઈક આવો જવાબ

એક ન્યૂઝ પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે કેટલાક લોકો સિનિયર કલાકારો પ્રત્યે અસંવેદનશીલ છે. અને ઘણી નકારાત્મકતા ફેલાવે છે. કેટલાક લોકો મારા ડ્રેસિંગ સેન્સ પર પણ કોમેન્ટ કરે છે. જેમણે જીવનમાં કંઈ કર્યું ના હોય તેવા લોકો આવું બધું કરતા રહેતા હોય છે. સાથે જ ઘનશ્યામ નાયકે તેમના સ્વાસ્થ્ય વિશે પણ સમજાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ હવે કેન્સર મુક્ત છે અને શૂટિંગ માટે પણ તૈયાર છે. નટુ કાકાએ કહ્યું કે – દરેકને વૃદ્ધ થવાનું જ છે. દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક બીમારીથી પીડાય છે. ભગવાનના આશીર્વાદને કારણે હું હવે કેન્સર મુક્ત છું. હું તારક મહેતાનો ભાગ બની રહીશ. પરિવાર અને અસિત કુમારે મુશ્કેલ સમયમાં સાથ આપ્યો.

ફરી શરુ કર્યું શૂટિંગ

કોરોનાની મહામારી વચ્ચે ખરાબ તબિયતના કારણે તારક મહેતાના નિર્માતાઓએ ઘનશ્યામ નાયકને શૂટિંગ કરવાની મંજૂરી આપી ન હતી. અભિનેતા તરફથી ઘણી અપીલ કરવામાં આવી હતી, પરંતુ તેમના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખતા ના પાડી દેવામાં આવી હતી. હવે અભિનેતા ઘનશ્યામ નાયકે ફરી શૂટિંગ શરૂ કરી દીધું છે. તેઓ હજુ એટલા સક્રિય નથી. તેમના દ્રશ્યો ખૂબ મર્યાદિત હોય છે અને તે થોડાક જ એપિસોડમાં દેખાય છે. આવી સ્થિતિમાં નટ્ટુ કાકાના ફેન્સ પણ તેમને ફરીથી જુના રૂપમાં જોવા માંગે છે.

Latest News Updates

મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી
પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય
g clip-path="url(#clip0_868_265)">