AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિવાદોમાં ફસાઈ Payal Rohatgi, પુણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે આખો મામલો ?

અભિનેત્રી પાયલ રોહતગીનો વિવાદો સાથે લાંબો સંબંધ છે, તે સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે અને તેની છબીને કારણે તે ધણીવાર નિશાના પર પણ રહે છે.

વિવાદોમાં ફસાઈ Payal Rohatgi, પુણે પોલીસે નોંધ્યો કેસ, જાણો શું છે આખો મામલો ?
Payal Rohatgi
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2021 | 8:00 PM
Share

પ્રખ્યાત અભિનેત્રી પાયલ રોહતગી ફરી એકવાર વિવાદોમાં ફસાઈ છે. અભિનેત્રી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પુણે પોલીસે (Pune Police) અભિનેત્રી પાયલ રોહતગી (Payal Rohatgi) સામે કેસ નોંધ્યો છે. અભિનેત્રી પર હવે આરોપ છે કે સોશિયલ મીડિયા પર તેને એક વીડિયો શેર કરીને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને કોંગ્રેસ પરિવારને લઈને આપત્તિજનક ટિપ્પણી કરી છે.

આ પહેલી વાર નથી જ્યારે પાયલ રોહતગી વિવાદોમાં ફસાઈ હોય, તે ઘણી વખત વિવાદાસ્પદ ટિપ્પણી કરીને નિશાનાં પર આવી ગઈ છે. હવે પોલીસે વીડિયો બનાવવા બદલ પાયલ રોહતગી સાથે સાથે એક અન્ય અજાણ્યા આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

જાણો શું છે આખી વાત

તમને જણાવી દઈએ કે અભિનેત્રી વિરુદ્ધ 153 (A), 500, IPC ની ધારા 505 (2) અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રી પર આરોપ છે કે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી વિરુદ્ધ કથિત રીતે આપત્તિજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

જણાવી દઈએ કે અભિનેત્રી વિરુદ્ધ પોલીસને મળેલી ફરિયાદમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી પાયલ રોહતગીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, ઈન્દિરા ગાંધી અને તેમના પરિવાર વિરુદ્ધ અપમાનજનક વીડિયો બનાવ્યો છે.

એટલું જ નહીં, અભિનેત્રીએ આ વીડિયોને બનાવીને સોશિયલ મીડિયા પર પણ ફરતો કર્યો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જે વીડિયો સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવામાં આવ્યો છે તેમાં આવી ઘણી વસ્તુઓ છે, જે બે સમુદાયો વચ્ચે નફરત પેદા કરી શકે છે.

આ પહેલી વાર નથી જ્યારે પાયલે ગાંધી પરિવાર વિરુદ્ધ કંઇક કહ્યું હોય. તમને જણાવી દઈએ કે અગાઉ 2019 માં પણ મોતીલાલ નેહરુનાં પરિવાર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરવા બદલ રાજસ્થાન પોલીસે તેની સામે કેસ નોંધ્યો હતો.

તમને જણાવી દઈએ કે પાયલ રોહતગીએ વર્ષ 2002 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યહ ક્યા હો રહા હૈ’થી બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ ફિલ્મ પછી, તે વર્ષ 2006 માં 36 ચાઇના ટાઉનમાં પણ જોવા મળી હતી. ચાહકોએ પાયલને બિગ બોસમાં પણ જોઈ છે.

આ પણ વાંચો :- Kiara Advaniના ટોપલેસ ફોટોશૂટ પર ડબ્બુ રતનાનીનો ખુલાસો, જાણીને ચાહકો પણ થઈ જશે હેરાન

આ પણ વાંચો :- Bharti Singhને ફોટોગ્રાફર્સે પૂછ્યું અમે મામા ક્યારે બનીશું? કોમેડિયને એવો જવાબ આપ્યો કે સાંભળીને પતિને પણ આવશે શરમ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">