Arjun Kapoor- Parineeti Chopra ની ફિલ્મ સંદીપ ઓર પિંકી ફરારનું ટ્રેલર રિલીઝ
ફિલ્મ 'સંદીપ ઓર પિંકી ફરાર હૈ' નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ બરાબર 10 દિવસ પછી 19 માર્ચે થિયેટરોમાં બતાવવામાં આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન દિબાકર બેનર્જીએ કર્યું છે.
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને અભિનેત્રી પરિણીતી ચોપરાની આગામી ફિલ્મ સંદીપ ઓર પિંકી ફરાર હૈનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ મહિને આ ફિલ્મ 19 માર્ચે થિયેટરોમાં જોવા મળશે. ફિલ્મ સંદીપ ઓર પિંકી ફરાર ઘણા દિવસોથી ચર્ચામાં હતી. ટ્રેલરની વાત કરીએ તો ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે સંદીપ અને પિંકી કેવી રીતે પોલીસથી ભાગતા નજરે પડે છે. તેઓ નેપાળ ભાગી ગયા છે. પોલીસ દરેક બાજુ બંનેની શોધ કરી રહી છે અને બંને પોતાનો બચાવ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
અર્જુન કપૂરે તેમની ફિલ્મના ટ્રેલર વિશેની માહિતી પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. અભિનેતા તેમની ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ સંદિપ ઔર પિંકી ફરારમાં અર્જુન કપૂરની સાથે પરિણીતી ચોપરા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ અંગે સસ્પેન્સ હજી બાકી છે. ટ્રેલરની શરૂઆત અર્જુન કપૂર અને પરિણીતી ચોપરાથી થાય છે. બંને રેલ્વે સ્ટેશન પર બેઠા છે જ્યાં પરિણીતી અર્જુનને પ્રશ્નો પૂછતી જોવા મળે છે.
અર્જુન અને પરિણીતીએ વર્ષ 2012 માં ફિલ્મ ઇશ્કઝાદેથી કરિયરની શરૂઆત કરી હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર લાંબા સમય પછી સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. પરિણીતી ચોપરા તાજેતરમાં જ ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’માં જોવા મળી હતી. આ સાથે અભિનેત્રીની આગામી ફિલ્મ સાઇનાનું ટ્રેલર પણ બહાર આવ્યું છે જેમાં તે સાઇનાની ભૂમિકા નિભાવતી નજરે પડી હતી.