TMKOC: ગણેશોત્સવની વચ્ચે અચાનક ગોકુલધામ પહોંચ્યા સુંદરલાલ, શું જેઠાલાલ માટે લાવ્યા છે કોઈ મોટી મુસીબત?

|

Sep 18, 2021 | 6:04 PM

જ્યારે પણ સુંદરલાલ (Sunderlal) ગોકુલધામ સોસાયટીમાં આવે છે, તે ચોક્કસપણે જેઠાલાલ માટે થોડી મુશ્કેલી લાવે છે. હવે આવી સ્થિતિમાં અચાનક સુંદરલાલનું તેના મિત્રો સાથે આવવું જેઠાલાલને પરેશાન કરી રહ્યું છે.

TMKOC: ગણેશોત્સવની વચ્ચે અચાનક ગોકુલધામ પહોંચ્યા સુંદરલાલ, શું જેઠાલાલ માટે લાવ્યા છે કોઈ મોટી મુસીબત?
TMKOC

Follow us on

નીલા ફિલ્મ પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) સિરિયલમાં આખરે ગોકુલધામ સોસાયટી (Gokuldham Society)માં ગણપતિ બાપ્પાનું આગમન થઈ ચુક્યું છે.

 

સોસાયટીના તમામ સભ્યો ખૂબ જ ખુશ છે કે ગણપતિ બાપ્પા સોસાયટીમાં આવી ગયા છે અને હવે સોસાયટીમાં ગણેશોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવી શકાય છે. રાહતનો શ્વાસ લેતા જ્યારે જેઠાલાલ (Jethalal) ગણપતિ બાપ્પાને હાથ જોડીને પ્રાર્થના કરે છે કે આનાથી આગળ વધુ કોઈ સંકટ ન આવે, ત્યારે અચાનક સુંદરલાલ (Sundarla) સોસાયટીમાં પહોંચી જાય છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

હકીકતમાં, સોસાયટીમાં ગણપતિ બાપ્પાના આગમનને લગતી ઘણી ઘટનાઓ અનુભવ થાય છે, જેના કારણે ભીડે અને અન્ય ગોકુલધામ વાસીઓ આ વર્ષે સોસાયટીમાં ગણેશોત્સવ ઉજવવા અંગે શંકા કરવા લાગે છે. પરંતુ તમામ મુશ્કેલીઓ બાદ છેવટે ગણપતિ બાપ્પા ખુશી સાથે ગોકુલધામ સોસાયટી પહોંચે છે. તમામ ગોકુલધામ નિવાસીઓ અંગત રુપથી યોગદાન આપીને ગણેશોત્સવ માટે કંઈક આયોજન કરી રહ્યા છે.

 

શું જેઠાલાલ માટે નવી મુશ્કેલી લાવ્યા છે સુંદરલાલ?

જેઠાલાલ પણ ગોકુલધામના લોકો સાથે પોતાની ખુશીની ઉજવણી કરી રહ્યા હતા કે તે જ સમયે અચાનક સુંદરલાલ તેમના મિત્રો સાથે ગોકુલધામ સોસાયટી પહોંચી જાય છે. સુંદરલાલનું ગોકુલધામ આવવાનું કારણ જેઠાલાલને ખબર નથી, પરંતુ સુંદરલાલ તેના મિત્રો સાથે ગોકુલધામ આવવાનું કોઈ ખાસ કારણ હોઈ શકે છે. શું કોઈ નવી સમસ્યા છે? સુંદરલાલ શું કોઈ મેસેજ લઈને આવ્યા છે કે નવો બિઝનેસ શરૂ કરવાના ઈરાદા સાથે આવ્યા છે?

 

જ્યારે પણ સુંદરલાલ ગોકુલધામ સોસાયટીમાં આવે છે, તે ચોક્કસપણે જેઠાલાલ માટે થોડી મુશ્કેલી લાવે છે. હવે આવી સ્થિતિમાં અચાનક સુંદરલાલનું તેના મિત્રો સાથે આવવું જેઠાલાલને પરેશાન કરી રહ્યું છે. જ્યારે પણ સુંદરલાલ આવે છે, તે ચોક્કસપણે જેઠાલાલને ચુનો લગાવે છે.

 

જેઠાલાલને એ પણ ડર છે કે આ વખતે પણ સુંદરલાલ તેમની પાસે મોટી રકમની માંગ કરીને છેતરપિંડી કરી શકે છે. સુંદરલાલને જોઈને જેઠાલાલના ચહેરો નિરાશ થઈ ગયો છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે સુંદરલાલ તેના મિત્રો સાથે ગોકુલધામ સોસાયટીમાં કયા હેતુ માટે આવ્યા છે.

 

તમને જણાવી દઈએ કે તાજેતરના એપિસોડમાં બતાવવામાં આવ્યું હતું કે ગણપતિ બાપ્પા માસ્ટર ભીડેના સપનામાં આવે છે અને તેમને કહે છે કે આ વખતે તમે આ વખતે લેવા ન આવો. હું જાતે આવીશ. ગણપતિ બાપ્પાના આ શબ્દો સાંભળીને ભીડે અચાનક ઊંઘમાંથી ઉભા થઈ ગયા અને વિચારવા લાગ્યા કે બાપ્પાએ તેમને તેવું કેમ કહ્યું કે તેમને લેવા ન આવે. આ એપિસોડને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો. પ્રેક્ષકોને ગમ્યું કે ભગવાન તેમના ભક્ત સાથે કેવી રીતે જોડાયેલા રહે છે.

 

 

આ પણ વાંચો :- Nusrat Jahan Baby’s Father: અભિનેત્રી નુસરત જહાંના બાળકના પિતાનું નામ થયું જાહેર, જાણો બર્થ સર્ટિફિકેટમાં કોનું છે નામ?

 

આ પણ વાંચો :- T-Seriesની ઓફિસના ગણપતિના દર્શન કરવા પહોંચ્યા રોહિત શેટ્ટી સહિત ઘણા સ્ટાર્સ, જુઓ તસ્વીરો

Published On - 6:04 pm, Sat, 18 September 21

Next Article