AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Laal Singh Chaddha : ફરી ટળી આમિરખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રીલીઝ ડેટ, હવે આ દીવસે દર્શકોને જોવા મળશે

ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ નહીં થાય. નવી તારીખની જાહેરાત કરીને આમિરે આદિપુરુષની ટીમનો આભાર માન્યો છે. ફિલ્મ સમયસર પૂરી ન થઈ શકવાને કારણ રીલીઝ ડેટ ટાળવામાં આવી છે.

Laal Singh Chaddha : ફરી ટળી આમિરખાનની 'લાલ સિંહ ચઢ્ઢા'ની રીલીઝ ડેટ, હવે આ દીવસે દર્શકોને જોવા મળશે
Aamir Khan's film Lal Singh Chaddha
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 7:00 PM
Share

બોલિવૂડ એક્ટર આમિર ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની (Laal Singh Chaddha) રિલીઝનો શુભ દિવસ આવી રહ્યો નથી. આ ફિલ્મની રિલીઝ ડેટ ઘણી વખત આગળ ધપાવવામાં આવી છે. ગયા વર્ષે ક્રિસમસ પર રિલીઝ કરવાની યોજના હતી પરંતુ આ વર્ષે તેની રિલીઝ ડેટ વેલેન્ટાઈન પર નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ કોવિડના વધતા જતા કેસને કારણે તે 14 એપ્રિલે રિલીઝ થવાની હતી, પરંતુ હવે આ દિવસે પણ આ ફિલ્મ રિલીઝ થશે નહીં.

બધા જાણે છે કે આમિર ખાન એક ફિલ્મ માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમય આપે છે, પરંતુ આમિરે આ ફિલ્મ માટે લગભગ 3 વર્ષનો સમય આપ્યો. આટલો સમય આપ્યા પછી પણ તેની રિલીઝ સતત ટળી રહી છે. ફરી એકવાર આમિર ખાનના ચાહકોમાં નિરાશા છવાઈ ગઈ છે. આમિર ખાન પ્રોડક્શન તરફથી એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે, ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ નહીં થાય. નવી તારીખની જાહેરાત કરીને આમિરે આદિપુરુષની ટીમનો આભાર માન્યો છે. ફિલ્મ સમયસર પૂરી ન થઈ શકવાને કારણ રીલીઝ ડેટ ટાળવામાં આવી છે.

સ્ટેટમેન્ટ જાહેર કરીને આપી રીલીઝ ડેટ શિફ્ટની જાણકારી

આમિર ખાન પ્રોડક્શનના ટ્વિટર પરથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવાની સાથે નવી રિલીઝ ડેટની પણ જાણકારી આપવામાં આવી હતી. આ ફિલ્મ 14 એપ્રિલે રિલીઝ નહીં થાય પરંતુ હવે 11 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થશે. સત્તાવાર નિવેદનમાં લખવામાં આવ્યું છે કે જાહેરાત કરવામાં આવી છે કે યોજના મુજબ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 14 એપ્રિલે રિલીઝ થશે નહીં. કારણ કે અમે સમયસર ફિલ્મ પૂરી કરી શકતા નથી. આ ફિલ્મ હવે 11 ઓગસ્ટ, 2022ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ ‘આદિપુરુષ’ની ટીમનો આભાર વ્યક્ત કર્યો

તેણે આગળ લખ્યું કે અમે ભૂષણ કુમાર, ટી-સિરીઝ, ઓમ રાઉત અને આદિપુરુષની સમગ્ર ટીમનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત ‘આદિપુરુષ’ની રિલીઝ ડેટ બદલવા બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. લાલ સિંહ ચઢ્ઢા 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઈ શકે છે.

આમિર ખાનની ‘લાલ સિંહ ચઢ્ઢા’ 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થવાની હતી. આ હોલીવુડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની ઓફિશિયલ રિમેક છે. આ ફિલ્મમાં કરીના કપૂર પણ લીડ રોલમાં છે. આ ફિલ્મને અદ્વૈત ચંદન ડિરેક્ટ કરી રહ્યા છે. સાઉથ એક્ટર નાગા ચૈતન્ય આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :  અર્જુન રામપાલને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સ સાથે લગ્ન કરવાની જરૂર નથી લાગતી, બંનેને છે એક પુત્ર

Follow Us
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
પાલિતાણામાં શેત્રુંજી પર્વત પર યાત્રાળુનું બેગ લઈને ભાગ્યા સાવજ રાજા
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
g clip-path="url(#clip0_868_265)">