‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં જેઠાલાલના પરમમિત્ર તારક મહેતા તરીકે આ કલાકારની થશે એન્ટ્રી

|

Sep 12, 2022 | 8:40 PM

શૈલેષ લોઢાએ શો છોડ્યા પછી તારક મહેતાના ચાહકોને આશા હતી કે નિર્માતાઓ તેને ફરી એકવાર શોમાં પાછા ફરવા માટે રાજી કરશે. જોકે આવું થઈ શક્યું નહીં. શૈલેષ લોઢા (Shailesh Lodha) સહમત ન થયા અને બીજા શો સાથે પોતાની કારકિર્દીમાં આગળ વધવાનું નક્કી કર્યું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં જેઠાલાલના પરમમિત્ર તારક મહેતા તરીકે આ કલાકારની થશે એન્ટ્રી
Tarak Mehta- Jethalal

Follow us on

ટેલિવિઝનને સૌથી વધુ કોમેડી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને તમે ખુશ થઈ જશો. સોની સબ ટીવીના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (TMKOC) દર્શકો તેમના શોના પ્રખ્યાત તારક મહેતાની ખોટ અનુભવી રહ્યા હતા. તેના વગર અંજલી ભાભીની સાથે સાથે જેઠાલાલનું (Jethalal) જીવન પણ અધૂરું લાગતું હતું. કારણ કે જેઠાલાલ દયા બેન વગર તો જીવી શકે પણ તેમના પરમ મિત્ર તારક મહેતા વગર તો બિલકુલ જીવી ન શકે. જો કે, ચાહકોની સાથે જેઠાલાલ અને અંજલી ભાભીની રાહ પણ પૂરી થઈ ગઈ છે, કારણ કે નવા તારક મહેતા ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે.

શૈલેષ લોઢાએ શો છોડ્યા પછી તારક મહેતાના ચાહકોને આશા હતી કે નિર્માતાઓ તેને ફરી એકવાર શોમાં પાછા ફરવા માટે રાજી કરશે. જોકે આવું થઈ શક્યું નહીં. શૈલેષ લોઢા (Shailesh Lodha) સહમત ન થયા અને બીજા શો સાથે પોતાની કારકિર્દીમાં આગળ વધવાનું નક્કી કર્યું. શૈલેષ લોઢાના વાપસીના દરવાજા બંધ થઈ ગયા પછી નિર્માતાઓએ આખરે આ પાત્ર માટે ઓડિશન લેવાનું શરૂ કર્યું. ઘણા ઓડિશન લીધા બાદ હવે તારક મહેતાનું પાત્ર ભજવવા માટે એક પ્રખ્યાત ટીવી અભિનેતાને ફાઈનલ કરવામાં આવ્યો છે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

શૂટિંગની કરી શરૂઆત

સચિન શ્રોફ આ શોમાં તારક મહેતા તરીકે એન્ટ્રી કરવાના છે. ટીવીમાં પોતાના અલગ-અલગ પાત્રો માટે પ્રખ્યાત સચિન શ્રોફ હાલમાં જ બોબી દેઓલની વેબ સિરીઝ આશ્રમમાં જોવા મળ્યો હતો. આ વેબ સિરીઝમાં તેણે એક મતલબી પોલિટિશિયનની ભૂમિકા ભજવી હતી. જોકે હવે તે એકદમ અલગ અને સકારાત્મકતાથી ભરપૂર પાત્રમાં જોવા મળશે. સચિન શ્રોફે આ શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને તે એક-બે દિવસમાં શોમાં એન્ટ્રી પણ કરી શકે છે. અસિત મોદીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે.

જાણો કેવી રહેશે સચિન શ્રોફની એન્ટ્રી

તારક મહેતામાં સચિન શ્રોફની એન્ટ્રી ખૂબ જ રસપ્રદ રીતે થશે. આપણે જોઈશું કે ગણેશ ચતુર્થીની ઉજવણીમાં તારકની ગેરહાજરીને કારણે અંજલીભાભી ખૂબ જ દુઃખી છે. તેણીએ નક્કી કર્યું કે આ વખતે તે ઉજવણીમાં ભાગ લેશે નહીં. આ દરમિયાન શોમાં તેની એક મોટી સરપ્રાઈઝ એન્ટ્રી છે. આ સરપ્રાઈઝ બીજું કોઈ નહીં પણ નવા તારક મહેતા હશે.

Published On - 8:39 pm, Mon, 12 September 22

Next Article