Jhalak Dikhhla Jaa 10 : કાજોલે મનાઈ કર્યા પછી માધુરી દીક્ષિતે સ્વીકારી ઓફર, હવે અભિનેત્રી ‘ઝલક દિખલા જા સીઝન 10’ને કરશે જજ

|

Jul 04, 2022 | 11:18 AM

5 વર્ષની લાંબી રાહ જોયા પછી હવે ડાન્સ રિયાલિટી શો 'ઝલક દિખલા જા 10' (Jhalak Dikhhla Jaa 10) ફરી શરૂ થવા જઈ રહ્યો છે. જેને અભિનેત્રી માધુરી દીક્ષિત (Madhuri Dixit) જજ કરશે.

Jhalak Dikhhla Jaa 10 : કાજોલે મનાઈ કર્યા પછી માધુરી દીક્ષિતે સ્વીકારી ઓફર, હવે અભિનેત્રી ઝલક દિખલા જા સીઝન 10ને કરશે જજ
Madhuri Dixit will judge 'Zalak Dikhla Ja Season 10'

Follow us on

દર્શકોનો ફેવરિટ ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ (Jhalak Dikhhla Jaa 10) ફરી એકવાર શરૂ થવા જઈ રહ્યો છે. 5 વર્ષની લાંબી રાહ બાદ હવે દર્શકો તેમના ફેવરિટ સ્ટાર્સને ફરી એકવાર ડાન્સ કરતા જોઈ શકશે. શોને લઈને દરરોજ કેટલાક નવા અપડેટ આવતા રહે છે. આ દરમિયાન, વધુ એક મોટું અપડેટ આવ્યું છે, જે કેટલાકને નિરાશ કરી શકે છે, પરંતુ કેટલાક લોકો આ વિશે જાણીને ખૂબ જ ખુશ થવાના છે. હા, થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કાજોલ (Kajol) આ શોને જજ કરવા જઈ રહી છે. પરંતુ, હવે આ સમાચારમાં કેટલાક ફેરફારો સામે આવ્યા છે. ઝલક દિખલાજા જે માધુરી દીક્ષિત (Madhuri Dixit) કરશે, કાજોલ નહીં. આ સમાચાર સાંભળીને માધુરીના ચાહકોમાં ખુશીની લહેર છે.

અભિનેત્રી માધુરી દીક્ષિત શોને કરશે જજ

પાંચ વર્ષ પહેલા એટલે કે વર્ષ 2017માં ઝલક દિખલાજા છેલ્લી વખત ઓન એર થઈ હતી. જે બાદ હવે ફરી શરૂ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. શો વિશે એવા અહેવાલો એવા હતા કે ,બોલિવૂડ અભિનેત્રી કાજોલ 10મી સીઝનને જજ કરશે. પરંતુ સમાચાર મુજબ કાજોલે આ ઓફર ઠુકરાવી દીધી છે. જે બાદ હવે તેની જગ્યાએ અભિનેત્રી માધુરી દીક્ષિત શોને જજ કરશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બે મહિનામાં શરૂ થશે નવી સિઝન

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શો વિશે અપડેટ આપતાં માધુરીએ પોતે કહ્યું કે, આ શોને જજ કરવો એ મારા માટે ઘરે આવવા જેવું છે. કાજોલ વિશે અભિનેત્રીએ કહ્યું કે, અમે પણ કાજોલ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પરંતુ કેટલાક કારણોને લીધે તે શક્ય બની શક્યું નથી. ઝલક દિખલાજાની નવી સીઝન બે મહિનામાં આવશે. જેના વિશે હવે અમે બધા ખૂબ જ ઉત્સાહિત છીએ.

જે શોનો ભાગ બની શકે છે

તમને જણાવી દઈએ કે હવે ઝલક દિખલાજા અને ડાન્સ રિયાલિટી શોના ચાહકોને વધુ રાહ જોવી પડશે નહીં. રિપોર્ટ્સ અનુસાર, નવી સીઝનને લઈને સ્પર્ધકોના નામ પણ આવવા લાગ્યા છે. હાલમાં જ આમાં ટીવી ફેમ દિવ્યાંકા ત્રિપાઠીનું નામ સામે આવ્યું હતું. તેમના સિવાય કુંડળી ભાગ્ય અભિનેત્રી શ્રદ્ધા આર્યા, યે રિશ્તા ક્યા કહેલાતા હૈના મોહસીન ખાન, નિમ્રિત કૌર અહલુવાલિયા, રિદ્ધિમા પંડિત અને સિમ્બા નાગપાલના નામ શોમાં જોડાઈ શકે છે. જો કે, ફાઈનલ લિસ્ટ આવવાનું બાકી છે. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આ સેલેબ્સ શોનો હિસ્સો બની શકે છે.

Next Article