અંતિમ સંસ્કાર પહેલા નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરાઈ, વિડીયો જોઈને તમે પણ રડી પડશો

તારક મહેતામાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન થયા. આ અંતિમ વિદાયમાં નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી.

અંતિમ સંસ્કાર પહેલા નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરાઈ, વિડીયો જોઈને તમે પણ રડી પડશો
Ghanshyam Nayak's last wish fulfilled, make-up done before the funeral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 6:47 PM

તારક મહેતામાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન થયા અને પરિવારે રડતી આંખે અંતિમ વિદાય આપી હતી. આ અંતિમ વિદાયમાં નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી.

તમને જણાવી દઈએ કે થોડા મહિના અગાઉ જ આ અહેવાલ આવ્યા હતા. તે સમયે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક કેન્સર સામે લડી રહ્યા હતા. ત્યારે તેમની કીમોથેરાપી કરાવી હતી અને ફેન્સ તેમના સાજા થવાની કામના કરી રહ્યા હતા. ઘનશ્યામ નાયક ઈચ્છતા હતા કે સજા થઈને તેઓ જલ્દી જ કામ શરૂ કરે.

ત્યારે તેમણે મૃત્યુને લઈને પણ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. આપણા સૌના પ્રિય ઘનશ્યામ નાયકે તેમની છેલ્લી ઈચ્છા વિશે કહ્યું હતું કે ‘મારી છેલ્લી ઈચ્છા મેકઅપ લગાવીને મરી જવાની છે.’ હવે નટુકાકા આપણી વચ્ચે નથી. પરંતુ તેમની અંતિમ યાત્રામાં તેમની આ છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી. આ વિડીયોમાં તેમના ચહેરા પર મેકઅપ કરવામાં આવી રહ્યો છે. એવી જ રીતે જેવી રીતે મંચ પર જતા પહેલા એક કલાકાર તૈયાર થતો હોય. એવું લાગી રહ્યું છે કે આ દિગ્ગજ અભિનેતા ઈશ્વરીય દરબારમાં ભગવાનના મંચ પર જઈને પોતાનો ઉત્તમ અભિનય રજુ કરીને ત્યાં પણ સૌને સ્તબ્ધ કરી મુકશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

તમને જણાવી દઈએ કે નટુકાકાને અંતિમ વિદાય આપવા તારક મહેતાની ટીમ આવી હતી. જેમાં ભવ્ય ગાંધી (જૂનો ટપુ), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન: તારક મહેતાની ટીમે ભીની આંખે નટુકાકાને આપી અંતિમ વિદાય

આ પણ વાંચો: ચિંતાજનક: તહેવારોની તૈયારી વચ્ચે AHNA ની ચેતવણી, ‘જો આ જ રીતે ચાલતુ રહેશે તો ત્રીજી લહેર આવી શકે છે’

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">