AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંતિમ સંસ્કાર પહેલા નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરાઈ, વિડીયો જોઈને તમે પણ રડી પડશો

તારક મહેતામાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન થયા. આ અંતિમ વિદાયમાં નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી.

અંતિમ સંસ્કાર પહેલા નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરાઈ, વિડીયો જોઈને તમે પણ રડી પડશો
Ghanshyam Nayak's last wish fulfilled, make-up done before the funeral
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 6:47 PM
Share

તારક મહેતામાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા ઘનશ્યામ નાયકનું ત્રીજી ઓક્ટોબરના રોજ 77 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. નટુકાકાના આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન થયા અને પરિવારે રડતી આંખે અંતિમ વિદાય આપી હતી. આ અંતિમ વિદાયમાં નટુકાકાની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી.

તમને જણાવી દઈએ કે થોડા મહિના અગાઉ જ આ અહેવાલ આવ્યા હતા. તે સમયે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક કેન્સર સામે લડી રહ્યા હતા. ત્યારે તેમની કીમોથેરાપી કરાવી હતી અને ફેન્સ તેમના સાજા થવાની કામના કરી રહ્યા હતા. ઘનશ્યામ નાયક ઈચ્છતા હતા કે સજા થઈને તેઓ જલ્દી જ કામ શરૂ કરે.

ત્યારે તેમણે મૃત્યુને લઈને પણ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. આપણા સૌના પ્રિય ઘનશ્યામ નાયકે તેમની છેલ્લી ઈચ્છા વિશે કહ્યું હતું કે ‘મારી છેલ્લી ઈચ્છા મેકઅપ લગાવીને મરી જવાની છે.’ હવે નટુકાકા આપણી વચ્ચે નથી. પરંતુ તેમની અંતિમ યાત્રામાં તેમની આ છેલ્લી ઈચ્છા પૂર્ણ કરવામાં આવી. આ વિડીયોમાં તેમના ચહેરા પર મેકઅપ કરવામાં આવી રહ્યો છે. એવી જ રીતે જેવી રીતે મંચ પર જતા પહેલા એક કલાકાર તૈયાર થતો હોય. એવું લાગી રહ્યું છે કે આ દિગ્ગજ અભિનેતા ઈશ્વરીય દરબારમાં ભગવાનના મંચ પર જઈને પોતાનો ઉત્તમ અભિનય રજુ કરીને ત્યાં પણ સૌને સ્તબ્ધ કરી મુકશે.

તમને જણાવી દઈએ કે નટુકાકાને અંતિમ વિદાય આપવા તારક મહેતાની ટીમ આવી હતી. જેમાં ભવ્ય ગાંધી (જૂનો ટપુ), સમય શાહ (ગોગી) તથા સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી નટુકાકાના ઘરે ગયા હતા. અંતિમ સંસ્કાર કાંદિવલીના દહાનુકર વાડીમાં કરવામાં આવ્યા હતા. અહીંયા જેઠાલાલ (દિલીપ જોષી), અસિત મોદી, બાઘા (તન્મય વેકરિયા), બબિતા (મુનમુન દત્તા), ચંપકચાચા (અમિત ભટ્ટ) જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: ઘનશ્યામ નાયક પંચમહાભૂતમાં વિલીન: તારક મહેતાની ટીમે ભીની આંખે નટુકાકાને આપી અંતિમ વિદાય

આ પણ વાંચો: ચિંતાજનક: તહેવારોની તૈયારી વચ્ચે AHNA ની ચેતવણી, ‘જો આ જ રીતે ચાલતુ રહેશે તો ત્રીજી લહેર આવી શકે છે’

JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
JCBમા માણસોની હેરાફેરી, શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
વિપક્ષે પીએમ મોદીને લોકસભામાં બોલવા ના દીધા, હોબાળો થતા ગૃહ મુલતવી
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
અમદાવાદનુ વહીવટીતંત્ર ભાજપના ધારાસભ્યોને છૂછા ગણે છે !
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
જાણો અમદાવાદમાં કયા બનશે નવા ઓવરબ્રિજ-અન્ડરબ્રિજ
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
'બંટી અને બબલી'ની જોડીએ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
ગજેરા એન્ડ કંપની પર ITના દરોડા ,1500 કરોડનો બેનામી વ્યવહાર મળી આવ્યો
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
BREAKING : અમદાવાદ એરપોર્ટ ઠપ્પ! ગાઢ ધુમ્મસે ઉડાનો અટકાવી
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
રોડ નહીં, ભ્રષ્ટાચાર પાથર્યો! રાજકોટમાં આવો ડામર કોણે મંજૂર કર્યો ?
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
Breaking News : રાજ્યના કેટલાક ભાગોમાં રહેશે વાદળછાયું વાતાવરણ
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
એશિયાટિક સિંહોના અકસ્માત વધતા અધિકારીઓની મળી બેઠક
g clip-path="url(#clip0_868_265)">