એક્ટર કોમેડિયન અલી અસગરે (Ali Asgar) એક નવા ઈન્ટરવ્યુમાં કપિલ શર્મા (Kapil Sharma) સાથેના તેના સંબંધો વિશે ખુલાસો કર્યો. અલીએ 2017માં કપિલનો લોકપ્રિય કોમેડી શો ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show) છોડી દીધો અને તેનું કારણ ‘ક્રિએટિવ ડિફરન્સ’ ગણાવ્યું છે. શોમાંથી બહાર નીકળ્યા પછી પણ, અલી અસગરે કહ્યું કે તે આગળ વધ્યો છે કારણ કે ત્યારથી કોઈ વાતચીત થઈ નથી. પરંતુ કપિલ તરફથી અલી વિશે કોઈ સમાચાર સામે આવ્યા નથી.
અલી અસગર ‘ધ કપિલ શર્મા શો’નો એક લોકપ્રિય ભાગ હતો. આ શોમાં તે ‘નાની’ અને ‘દાદી’ તરીકે જોવા મળતો હતો. જ્યારે સુનીલ ગ્રોવર સાથે કપિલ શર્માના ઝઘડાના સમાચાર સામે આવ્યા ત્યારે તેને આ શો છોડી દીધો હતો. અલી અસગરના કહેવા પ્રમાણે, તેને આ શો છોડી દીધો કારણ કે તે તેના પાત્રનો સ્કોપ જોઈ શકતો ન હતો.
કપિલ શર્મા સાથેના તેના સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે અલી અસગરે એક ઓનલાઈન પોર્ટલને કહ્યું કે, ઘણી વખત હું તેના કોલ મિસ કરતો હતો અને અન્ય સમયે તે મારા કોલ મિસ કરતો હતો. અમારી વચ્ચે કોઈ ઝઘડો કે ગુસ્સો નથી. ફરીથી ‘ધ કપિલ શર્મા શો’નો ભાગ ન બનવા વિશે મારો કોઈ નિર્ણય હજુ સુધી નક્કી નથી. તેને કહ્યું કે તે સોશિયલ ગેધરિંગમાં કોમેડી શો પછી કપિલને ક્યારેય મળ્યો નથી કારણ કે તેને પાર્ટી કરવી પસંદ નથી.
આ શો છોડ્યા પછી મીડિયાના રિપોર્ટને યાદ કરતાં અલીએ કહ્યું કે તેને તેની આસપાસના ઘણા રિપોર્ટ પર મૌન રાખવાનું નક્કી કર્યું. તેને કહ્યું, “સમગ્ર પરિસ્થિતિમાં મારો મુદ્દો દબાવી દેવામાં આવ્યો હતો અને મને ક્યારેય શો છોડવાનું ચોક્કસ કારણ સમજાવવાની તક મળી નથી.” અલીએ એમ પણ કહ્યું કે તે તેને હેરાન કરે છે જ્યારે લોકો એક વર્સેટાઈલ એક્ટર તરીકે તેના કામને નજરઅંદાજ કરે છે અને માત્ર તેના ક્રોસ ડ્રેસિંગ કેરેક્ટરને યાદ કરે છે, જેમ કે કોમેડી નાઈટનું એક કેરેક્ટર. તેને કહ્યું, ‘હવે મારા તે બધા ક્રોસ ડ્રેસિંગ પાત્રો લોકોના મગજમાં છે. તેથી તે મને થોડું હેરાન કરે છે. આમાં મારી ભૂલ શું છે?” તેને કોમેડી રોલમાં ટાઈપકાસ્ટ થવાની વાત પણ કરી.
અલી અસગરને લાગે છે કે તેની પાસે પાઈપલાઈનમાં એક કે બે પ્રોજેક્ટ છે જે દર્શકોનો અભિપ્રાય બદલી શકે છે. તે હાલમાં કલર્સ ટીવીના કપલ ડાન્સ શો ‘ઝલક દિખલા જા’ સીઝન 10માં જોવા મળી રહ્યો છે.