Sushant Singh Rajputના મિત્ર સિદ્ધાર્થને લગ્ન માટે મળ્યા જામીન, 2 જુલાઈએ કરશે સરન્ડર

|

Jun 17, 2021 | 9:29 PM

સિદ્ધાર્થ પીઠાનીને તેના લગ્ન માટે કોર્ટમાંથી જામીન મળી ગયા છે, તાજેતરમાં જ તેણે સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Sushant Singh Rajputના મિત્ર સિદ્ધાર્થને લગ્ન માટે મળ્યા જામીન, 2 જુલાઈએ કરશે સરન્ડર
Sushant Singh Rajput, Siddharth Pithani

Follow us on

બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની (siddharth pithani)ની તાજેતરમાં જ પોલીસે ફરીથી ધરપકડ કરી હતી. જે બાદ હવે તેને જામીન મળી ગયા છે. સિદ્ધાર્થને માનવીય આધાર પર વચગાળાના જામીન મળ્યા છે જ્યાં તેને કહેવામાં આવ્યું છે કે તે 2 જુલાઈએ ફરીથી શરણાગતિ કરશે. ચાલો તમને જણાવી દઈએ કે આ જામીન સિદ્ધાર્થ પીઠાનીએ તેના લગ્ન માટે કોર્ટમાંથી માંગ્યા હતા. જેને હવે કોર્ટે સ્વીકારી લીધા છે.

 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau)ના ઝોનલ નિર્દેશક સમીર વાનખેડેએ આ મામલે વાત કરતા, જણાવ્યું હતું કે, પીઠાનીને તેના લગ્ન માટે 10 દિવસની રાહત આપવામાં આવી છે. તેને 2 જુલાઈએ પાછું સરન્ડર થવું પડશે. આપને જણાવી દઈએ કે 28 મેના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સિદ્ધાર્થની હૈદરાબાદથી ધરપકડ કરી હતી. સિદ્ધાર્થ પિઠાનીનું નામ સુશાંત સિંહ રાજપૂતના અવસાન પછી તેમની સાથે જોડાયેલ ડ્રગ કેસમાં સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તેની ઘણી વાર પૂછપરછ કરી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ કહ્યું કે આ કિસ્સામાં એવું જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ પિઠાની પણ સુશાંત માટે ડ્રગ્સ લાવતો હતો. જે પછી પોલીસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સંયુક્ત ઓપરેશન ચલાવીને મુંબઈમાં ઘણા મોટા ડ્રગ તસ્કરોને પકડ્યા, આ સિવાય આ કેસમાં ઘણા મોટા બોલીવુડ સ્ટાર્સના નામ પણ સામે આવ્યા. આવી સ્થિતિમાં સુશાંતના મોતને તાજેતરમાં 1 વર્ષ પૂર્ણ થયું છે.

 

જ્યાં 15 જૂને એમ્સનો મેડિકલ બોર્ડનો પ્રારંભિક અહેવાલ સામે આવ્યો, જેમાં અભિનેતાના મોતનું કારણ બહાર આવ્યું હતું. આ રિપોર્ટમાં તે કન્ફર્મ કરી દીધું છે કે અભિનેતાનું મોત આત્મહત્યા દ્વારા થયું હતું. જ્યાં અભિનેતાના મૃત્યુનો સમય સવારે 10 વાગ્યે 10 મિનિટનો હતો. સુશાંતના મૃત્યુ અંગે એક વાત નિશ્ચિત થઈ ગઈ છે કે અભિનેતાએ આત્મહત્યા કરી હતી, જેના કારણે તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જોવાનું એ છે કે આ સમગ્ર મામલે કઈ નવું સાચું નીકળીને સામે આવે છે.

 

આ પણ વાંચો :- The Family Man 2 Cast Fees: Manoj Bajpayee થી લઈને સામન્થા સુધી, કલાકારોએ લીધી કરોડોમાં ફી

આ પણ વાંચો :Badshah નું ગીત ‘પાની-પાની’ માં ‘તારક મેહતા’ ના બાપુજીની એન્ટ્રી, VIDEO જોયા પછી હસવાનું નહી રોકી શકો

Next Article