AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonu Soodએ ગેરકાયદે બાંધકામના કેસમાં સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી, ટ્વિટર પર આ પોસ્ટ લખી

રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ અંગે BMCની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જનાર અભિનેતા સોનુ સૂદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે.

Sonu Soodએ ગેરકાયદે બાંધકામના કેસમાં સુપ્રીમમાંથી અરજી પાછી ખેંચી, ટ્વિટર પર આ પોસ્ટ લખી
Sonu Sood
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 05, 2021 | 4:00 PM
Share

રહેણાંક મકાનમાં ગેરકાયદે બાંધકામ અંગે BMCની નોટિસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જનાર અભિનેતા સોનુ સૂદે તેમની અરજી પાછી ખેંચી લીધી છે. સોનુ સૂદની અરજીની સુનાવણી આજે સુપ્રિમ કોર્ટના  ત્રણ જજની બેંચની હાજરીમાં થઈ હતી, ત્યારબાદ અભિનેતાએ તેમની અરજી પાછી ખેંચી લીધી હતી.

મિડીયા રિપોર્ટ અનુસાર, સોનુ સૂદે બીએમસી સાથે વાતચીત કરીને મામલો હલ કરવાની પહેલ કરી છે. અભિનેતા મુકુલ રોહતાગીએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેઓ કોર્ટની બહાર બીએમએસી સાથે વાતચીત કરીને આ કેસનો ઉકેલ શોધી લેશે. આ અંગે ખુશી વ્યક્ત કરતાં કોર્ટે BMCને આદેશ આપ્યો કે જ્યાં સુધી આ મામલો પારસ્પરિક સંમતિથી કોર્ટની બહાર ન ઉકેલાય ત્યાં સુધી સૂદ વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલા ન લેવા.

આપને જણાવી દઈએ કે સોનુ સૂદને જૂહુમાં તેમના મકાનમાં ગેરકાયદે બાંધકામો અંગે તાજેતરમાં BMC દ્વારા નોટિસ મોકલી હતી. આ પછી સોનુ સૂદે મુંબઈમાં આ કેસમાં અરજી કરી રાહતની માંગ કરી હતી. જોકે, તેમની અપજી ઉચ્ચ ન્યાયાલય નામંજૂર કરી હતી. તે પછી સોનુ સૂદે હાઇકોર્ટમાં અરજી કરી. જેની આજે સુનાવણી થઈ હતી અને સુનાવણી પછી અભિનેતા તેની અરજી પાછી ખેંચી લીધી હતી.

આ નિર્ણય પછી, અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લાંબી પહોળી પોસ્ટ લખી છે, જેમાં અભિનેતાએ લખ્યું છે કે તેણે ‘ન્યાયની જીત થશે’ એવો વિશ્વાસ બતાવ્યો છે. અભિનેતાએ તેની પોસ્ટમાં લખ્યું છે કે ‘આખરે માનનીય સુપ્રીમ કોર્ટે મને તાજી હવામાં શ્વાસ લેવાની મંજૂરી આપી. કામ હંમેશાં કાનૂની રીતે કરવામાં આવતું હતું, પરંતુ તેને ખોટું રીતે રજુઆત કરવામાં આવ્યું હતું. મને અમારી ન્યાયિક પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે અને હું હંમેશા કાયદાની મર્યાદામાં રહીને કામ કરું છું. મેં હંમેશાં યોગ્ય રીતે વ્યવસાય કર્યો છે, મંજૂરી મેળવી છે અને કાયદેસર રીતે જરૂરી હોય તેવી દરેક રીતે મંજૂરી લિધી છે. દુર્ભાગ્યે, કેટલાક લોકોએ મારી છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો. જો હું તેમને આ બાબતને દૂર કરવા વિનંતી કરું છું, તો તેઓ પોતાને સામાજિક કાર્યકર્તાઓ તરીકે બતાવે છે પરંતુ તેઓ નથી. ‘ આ પછી, અભિનેતાએ તેના તમામ વકીલોનો આભાર માન્યો છે જે સતત તેમના સમર્થનમાં ઉભા રહે છે.

અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
g clip-path="url(#clip0_868_265)">