Shweta Tiwariને કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો, અભિનવ કોહલીને મળી પુત્રને મળવાની પરવાનગી

|

Sep 30, 2021 | 11:50 PM

શ્વેતા તિવારી (Shweta Tiwari) નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી છે. આજે પણ શ્વેતાની સ્ટાઇલના જાદુ પર ચાહકો દિવાના છે. તાજેતરમાં શ્વેતાને કોર્ટ તરફથી એક ઝટકો લાગ્યો છે.

Shweta Tiwariને કોર્ટ તરફથી મળ્યો મોટો ઝટકો, અભિનવ કોહલીને મળી પુત્રને મળવાની પરવાનગી
Shweta Tiwari, Abhinav Kohli

Follow us on

નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari)ને તાજેતરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દરમિયાન શ્વેતાને ઝટકો આપનારા એક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ શ્વેતાના પતિ અભિનવ કોહલીને કોર્ટમાંથી રાહત મળી છે. હવે કોર્ટે અભિનવ કોહલીને તેના પુત્ર રેયાંશ સાથે મળવાની અને વાત કરવાની મંજૂરી આપી છે.

 

તમને જણાવી દઈએ કે અભિનવ લાંબા સમયથી તેમના પુત્રને મળી શક્યો ન હતો. આવી સ્થિતિમાં અભિનવ કોહલીને પુત્રને મળવાની પરવાનગીથી ખૂબ જ ખુશ છે અને તેમણે આ મહત્વના નિર્ણય માટે કોર્ટનો આભાર પણ વ્યક્ત કર્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

કોર્ટમાંથી મળી અભિનવને રાહત

તમને જણાવી દઈએ કે મુંબઈ હાઈકોર્ટે અભિનવ કોહલીને રાહત આપી છે. અભિનવને રાહત આપતા કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે સામાન્ય દિવસોમાં અડધો કલાક વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી શકે છે. તે જ સમયે સપ્તાહના અંતે 2 કલાક મળવાનો સમય પણ આપવામાં આવ્યો છે.

 

અભિનવ કોહલીએ ડિસેમ્બર મહિનામાં પત્ની અને અભિનેત્રી શ્વેતા તિવારી વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. અભિનવે આરોપ લગાવ્યો હતો કે શ્વેતા તેને પોતાના બાળકને મળવા દેતી નથી. આ સાથે તેમણે તેમના પુત્રની કસ્ટડી પણ માંગી હતી. અભિનવે તે સમયે એમ પણ કહ્યું હતું કે તેમને તેમના બાળકને મળવા દેવો જોઈએ.

 

કોર્ટે અભિનવને શું કહ્યું

કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે તે પોતાના બાળક સાથે દરરોજ અડધો કલાક વાત કરી શકે છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે બંને તેમના પુત્રની કસ્ટડી માટે ફેમિલી કોર્ટમાં લડી શકે છે. એટલું જ નહીં કોર્ટે કહ્યું છે કે અમારો વિશ્વાસ છે કે દંપતી પુત્ર માટે યોગ્ય ફરજ નિભાવશે. અભિનવે આ માટે સંમતિ પણ આપી છે.

 

અભિનવે કહ્યું છે કે આ મારા માટે રાહતના સમાચાર છે. અભિનવે કહ્યું કે તે 11 મહિનાથી તેના પુત્રને મળી શક્યા નથી, પરંતુ હવે હું તેને મળી શકીશ. હું તેને મારા પોતાના શબ્દોમાં વર્ણવી શકતો નથી. તેણે મારી અને શ્વેતા વચ્ચેની લડાઈ જીતી લીધી છે. રેયાંશને તેના પિતાને મળવાની તક મળશે.

 

 

આ પણ વાંચો :- Ranbir Alia Wedding News: મોકૂફ રાખવામાં આવ્યો રણબીર-આલિયાના લગ્નનો પ્લાન, જાણો કેમ બગડી વાત?

 

આ પણ વાંચો :- Alia Bhatt અભિનીત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની રિલીઝ ડેટ જાહેર થઈ, નવા વર્ષમાં ધમાલ મચાવશે ફિલ્મ

 

Next Article