Big News: સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યે છુટાછેડા લેવાનો કર્યો નિર્ણય, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

|

Oct 02, 2021 | 6:27 PM

સાઉથના બેસ્ટ કપલ નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને સામંથા અક્કીને (Samantha Akkineni)ની છૂટાછેડા લેવા જઈ રહ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે.

Big News: સામંથા અક્કીનેની અને નાગા ચૈતન્યે છુટાછેડા લેવાનો કર્યો નિર્ણય, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
Naga Chaitanya, Samantha Akkineni

Follow us on

સાઉથ ઉદ્યોગના બેસ્ટ કપલ્સમાંના એક નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને સામંથા અક્કીનેની (Samantha Akkineni)એ અલગ થવાનો નિર્ણય કર્યો છે. ઘણા સમયથી બંને વચ્ચે અણબનાવના સમાચાર આવી રહ્યા હતા. હવે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો છે. સામંથાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમના અલગ થવાની જાણકારી આપી છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સામંથાએ શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે તેમણે પતિ અને પત્નીની જેમ પોતાના રસ્તાને અલગ કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તે હંમેશા મિત્ર રહેશે.

 

 

સામંથાએ શેર કરી પોસ્ટ

સામંથાએ પોસ્ટ શેર કરીને તેમના ચાહકોને અલગ થવાની જાણકારી આપી છે. તેમણે લખ્યું- અમારા બધા શુભેચ્છકોને. ઘણી વિચાર -વિમર્શ કર્યા પછી મેં અને ચૈતન્યે પતિ અને પત્ની તરીકે અમારા રસ્તા અલગ કરવાનું નક્કી કર્યું છે. અમે ખૂબ નસીબદાર છીએ કે અમારી મિત્રતા 10 વર્ષથી વધુની છે જે અમારા સંબંધોનો આધાર હતો. જે હંમેશા અમારી વચ્ચે ખાસ સંબંધ રાખશે.

 

સામંથાએ આગળ લખ્યું-અમે અમારા ચાહકો, મીડિયા અને શુભેચ્છકોને વિનંતી કરીએ છીએ કે આ મુશ્કેલ સમયમાં અમારો સાથ આપે અને અમને આગળ વધવા માટે ગોપનીયતા આપે. તમારા સહકાર બદલ આભાર.

 

 

ફેમિલી પ્લાનિંગની તૈયારી કરી રહ્યા હતા

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે નાગા અને સામંથા ફેમિલી પ્લાનિંગની તૈયારી કરી રહ્યા હતા. એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ સામંથાએ કોઈ નવી ફિલ્મ સાઈન કરી નથી કારણ કે તે હવે તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રીત કરવા માંગતી હતી. તેથી જ તેમણે શાંતિ બનાવી રાખી છે અને મીડિયાના પ્રશ્નોથી બચી રહી છે. તાજેતરમાં તેમણે ઈન્સ્ટાગ્રામ પર તેમના ચાહકોને કહ્યું કે તે હૈદરાબાદથી મુંબઈ શિફ્ટ થઈ રહી છે.

 

સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાની અટક બદલ્યા પછી બંને વચ્ચે અણબનાવના સમાચાર સામે આવવા લાગ્યા હતા પણ વચ્ચે તેમણે નાગાની ફિલ્મનું ટ્રેલર શેર કર્યું હતું. જે પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને વચ્ચે બધું બરાબર છે. પરંતુ હવે છૂટાછેડાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.

 

 

આ પણ વાંચો :- Attack: આ ખાસ દિવસે જોન અબ્રાહમ રિલીઝ કરશે પોતાની ફિલ્મ Attack, જબરદસ્ત છે તૈયારી

 

આ પણ વાંચો :- Golden Visa: સંજય દત્ત બાદ ઉર્વશી રૌતેલાને મળ્યા UAEના ગોલ્ડન વિઝા, જાણો શું છે તેના ફાયદા

Published On - 4:57 pm, Sat, 2 October 21

Next Article