NCB સામે રિયા ચક્રવર્તીનો ખુલાસો, Sushant Singh Rajput સાથે બહેન અને બનેવી પણ લેતા હતા ડ્રગ્સ

|

Jun 07, 2021 | 12:37 PM

રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ એનસીબી (NCB) સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પોતાના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

NCB સામે રિયા ચક્રવર્તીનો ખુલાસો, Sushant Singh Rajput સાથે બહેન અને બનેવી પણ લેતા હતા ડ્રગ્સ
Sushant Singh Rajput. Rhea Chakraborty

Follow us on

સુશાંત સિંહ રાજપૂત ( Sushant Singh Rajput) ડ્રગ્સ કનેક્શન કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) એ એનસીબી (NCB) સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પોતાના નિવેદનમાં રિયાએ સુશાંતના પરિવાર પર ઘણા ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે સુશાંતની સાથે તેમના બનેવી અને બહેન પણ ડ્રગનું સેવન કરતા હતા. આના સમર્થનમાં રિયાએ સુશાંતની બહેન દ્વારા વોટ્સએપ પર મોકલેલો મેસેજ પણ રજૂ કર્યો છે.

એક અહેવાલ મુજબ, રિયાએ પૂછપરછ દરમિયાન એનસીબી (NCB) ને કહ્યું હતું કે તેની સાથે મુલાકાત પહેલા પણ સુશાંતને ડ્રગ્સની લત હતી. રિયાએ વધુમાં કહ્યું કે હું ઉમેરવા માંગુ છું કે સુશાંત 18 વર્ષથી વધુની ઉંમરના હતા. તે મારી સંમતિ વિના ડ્રગ્સ લેતા હતા. તે તેનું સેવન મને મળતા પહેલા પણ કરતા હતા. તે મારી પાસે આવતા હતા એ કોશિશમાં કે તેમને નશો મળી શકે અથવા તેઓ મને ઓફર કરે.

બહેન અને બનેવી જાણતા હતા કે સુશાંતને નશાની લત છે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રિયા (Rhea Chakraborty) એ પોતાના નિવેદનમાં કહ્યું, સુશાંતની હાલત ખરાબ થઈ રહી હતી, મેં હોસ્પિટલમાં તેમને દાખલ કરવાનો પ્રયાસ કર્યો, જેના મારી પાસે પુરાવા છે. પરંતુ તેમની સંમતિ નહોતી તેથી તેમને હોસ્પિટલમાં દાખલ કરી શકયા નહીં. હું એ પણ ઉમેરવા માંગું છું કે સુશાંતના પરિવારના સભ્યો સારી રીતે જાણતા હતા કે તેમને ડ્રગ્સની લત લાગી ચુકી હતી. હું એ પણ કહેવા માંગુ છું કે સુશાંતની સાથે તેમની બહેન અને બનેવી સિધ્ધાર્થ ડ્રગ્સ લેતા હતા અને તે તેમના માટે લાવતા પણ હતા.

 

ગયા વર્ષે થયું હતું સુશાંતનું અવસાન

સુશાંત સિંહ રાજપૂત ગત વર્ષે 14 જૂને તેમના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. સુશાંતના મૃત્યુ પછી મુંબઈ પોલીસ, ત્યારબાદ બિહાર પોલીસ અને ત્યારબાદ સીબીઆઈએ આ મામલાની તપાસ કરી હતી. તેમના મૃત્યુના એક વર્ષ પછી પણ, સુશાંતના ચાહકો અને પરિવારના મનમાં ઘણા પ્રશ્નો હજુ પણ છે.

 

આ પણ વાંચો :- Spotted: મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં પહોંચી Janhvi Kapoor, હાથમાં રિપોર્ટસ પકડી ખુબ જ ઉતાવળમાં જોવા મળી અભિનેત્રી

આ પણ વાંચો :- સાઉથના આ હીરોની પાસે છે 7 કરોડ રુપિયાની વેનિટી વેન, Shahrukh Khan – Salman Khan ને પણ છોડી દીધા પાછળ

Next Article