અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh)ના ઈન્સ્ટાગ્રામ પર મોટી સંખ્યામાં ચાહકો છે. આ ખાસ કરીને તેમના દ્વારા ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવતી મજેદાર રીલ્સને કારણે બની છે. જ્યારે ભારતમાં ટિકટોક ટ્રેન્ડમાં હતું, ત્યારે રિતેશ તેના પર ઘણી વખત તેના વીડિયો શેર કરતા હતા. ટિક ટોક (Tik Tok) બંધ થયા બાદ રિતેશ દેશમુખને લાગ્યું કે તે બેરોજગાર બની ગયા છે. તેમણે પોતે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો.
એક ઓનલાઈન પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં રિતેશ દેશમુખે જણાવ્યું કે કેવી રીતે તેમણે લોકડાઉન દરમિયાન ટિકટોક માટે ટૂંકા વીડિયો બનાવવાનું શરૂ કર્યું, જે દરેકનો મૂડ હળવો કરતું હતું. અભિનેતાએ કહ્યું કે તેની શરૂઆત લોકડાઉન દરમિયાન થઈ હતી અને તે એ સમય હતો, જ્યારે દરેક મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. પછી અમે વિચાર્યું કે ચાલો તેમને હસવાનું બહાનું આપીએ.
આ પછી રિતેશે ખૂબ જ રમૂજી રીતે કહ્યું કે જ્યારે ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો, ત્યારે તેને લાગ્યું કે તે બેરોજગાર બની ગયો છે. રિતેશે કહ્યું કે મને લાગ્યું કે હે ભગવાન, હવે શું કરુ હું? જે કામ હતું તે ચાલ્યું ગયું છે. તે પછી રીલ્સ આવી ગયું. મેં કહ્યું ચોલો, રીલ્સ જ ભલે. આટલું કહ્યા પછી રિતેશ પોતે જોર જોરથી હસવા લાગ્યા. જો કે, એવું છે કે રિતેશ પોતે ટિકટોકથી પૈસા કમાતા હતા અને તેને બંધ કર્યા પછી તેનાથી કમાણી પર ચોક્કસપણે અસર થઈ હતી.
તમને જણાવી દઈએ કે રિતેશ તેમની પત્ની અને અભિનેત્રી જેનેલિયા (Genelia D’Souza) સાથે ટિકટોક પર ઘણા બધા વીડિયો બનાવતા હતા. જ્યારે ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે તેમણે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાનું શરૂ કર્યું હતું. જેનેલિયા અને રિતેશના વીડિયોને તેમના ચાહકો ખૂબ પસંદ કરે છે.
જો કે રિતેશના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે આદિત્ય સરપોતદારની આગામી ફિલ્મ કાકુડામાં જોવા મળશે. આ એક હોરર કોમેડી ફિલ્મ છે, જેમાં રિતેશ ઉપરાંત સોનાક્ષી સિન્હા અને સાકિબ સલીમ પણ મહત્વની ભૂમિકામાં હશે. આ સિવાય રિતેશ જેનલિયા સાથે મળીને તેમનો શો લેડીઝ વર્સેસ જેન્ટલમેન પણ કરી રહ્યા છે. આ શોની આ બીજી સીઝન છે.
આ પણ વાંચો :- Aryan Khanની ધરપકડ બાદ મચેલા ઘમાસાણ પર જાવેદ અખ્તરે કહ્યું – ભોગવવી પડશે હાઈ પ્રોફાઈલ હોવાની કિંમત
આ પણ વાંચો :- Special Ops 1.5 Trailer: રસપ્રદ રહેશે હિંમત સિંહની વાર્તા, આફતાબ પણ બનશે નવા મિશનનો ભાગ