AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તહેવાર પર મીઠાઈનો ભાવ જણાવવો Riteish Deshmukhને પડ્યો મોંઘો, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh) તેમના ચાહકોના દિલ પર રાજ કરે છે. રિતેશ સોશિયલ મીડિયા દ્વારા જ તેના ચાહકો સાથે સંપર્કમાં રહે છે.

તહેવાર પર મીઠાઈનો ભાવ જણાવવો Riteish Deshmukhને પડ્યો મોંઘો, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ
Riteish Deshmukh
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 10:54 PM
Share

બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ (Riteish Deshmukh) શરૂઆતથી જ ચાહકોમાં તેમના અભૂતપૂર્વ અભિનય માટે જાણીતા છે. રિતેશ હંમેશા પોતાની વાત ખાસ રીતે રજૂ કરે છે. રિતેશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર કોઈને કોઈ પોસ્ટ શેર કરતા રહે છે. તાજેતરમાં રિતેશે મીઠાઈઓ વિશે એક પોસ્ટ શેર કરી હતી, ત્યારબાદ તે યુઝર્સના નિશાના પર આવી ગયા છે.

ચાહકોની વચ્ચે પોતાની મનોરંજક શૈલી રજૂ કરવા માટે પ્રખ્યાત રીતેશને ગુરુવારે ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ટ્વીટર યુઝર્સે મીઠાઈની કિંમત પોસ્ટ કરવા બદલ રિતેશને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.

રિતેશે શેર કર્યા મીઠાઈના ભાવ

હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં તહેવારના ખાસ પ્રસંગે ઘણી વખત મીઠાઈના ભાવ વધે છે, કારણ કે તહેવાર પર મીઠાઈઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં રિતેશે રેટ લિસ્ટ પોસ્ટ કરીને ટોણો માર્યો છે.

રિતેશે એક યાદી શેર કરી છે, આ યાદીમાં લાડુની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલો, જલેબીની કિંમત 600 રૂપિયા પ્રતિ કિલો, કાજુ બરફીની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો અને ચોકલેટની કિંમત 1000 રૂપિયા પ્રતિ કિલો છે. આ પછી નીચે લખ્યું છે કે વજન ઘટાડવું 15,000 રૂપિયા પ્રતિ કિલો હશે, સંભાળીને પસંદ કરજો.

એટલું જ નહીં, આ પોસ્ટ શેર કર્યા પછી રિતેશે લખ્યું છે કે વિચાર્યું કે તમને ચેતવણી આપી દવ. જોકે રિતેશ દેશમુખે આ પોસ્ટને ખૂબ જ રમુજી રીતે શેર કરી હતી, પરંતુ તેમ છતાં કેટલાક યુઝર્સને તેની સ્ટાઈલ પસંદ આવી ન હતી.

રિતેશને કરવામાં આવ્યો ટ્રોલ

તેણે પોસ્ટને રીટ્વીટ કરી અને રિતેશને પ્રશ્ન પૂછ્યો કે તમારા લોકોનું જ્ઞાન માત્ર સનાતની તહેવારો પર જ હોય છે શું? ઈદ અથવા મેરી ક્રિસમસ અથવા નવા વર્ષે, તમે તમારા મોંમાં દહીં જમાવી લો છો! પછી શું હતું, રિતેશે આના જવાબમાં પોતાની શૈલીમાં લખ્યું – માફ કરજો સાહેબ, હું શાકાહારી છું, હું દહીં ખાતો નથી.

તમને જણાવી દઈએ કે આજકાલ રિતેશ તેની આગામી ફિલ્મ વિસ્ફોટ માટે પણ ચર્ચામાં છે. આ ફિલ્મ સાથે ફરદીન ખાન લગભગ 10 વર્ષ પછી ફરી બોલીવુડમાં કમબેક કરવા જઈ રહ્યા છે. ફિલ્મને સંજય ગુપ્તા અને ભૂષણ કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે, જ્યારે દિગ્દર્શન કૂકી ગુલાટીનું છે.

આ પણ વાંચો :- Photos: NCB ઓફિસ પહોંચી Ananya Panday, પિતા ચંકી પણ સાથે દેખાયા

આ પણ વાંચો :- Song Aila Re Aillaa :અક્ષયે અજય-રણવીર સાથે જબરદસ્ત કર્યો ડાન્સ, આ ફિલ્મમાંથી લીધું છે ‘સૂર્યવંશી’ નું આ ગીત, જુઓ ગીત

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">