AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના નિધન બાદ સમગ્ર ઉદ્યોગમાં શોક છવાઈ ગયો છે. તેમના ચાહકો અને પરિવારજનો માની શકતા નથી કે સિદ્ધાર્થ હવે તેમની વચ્ચે નથી.

Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?
Sidharth Shukla, Shehnaaz Gill
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 9:49 PM
Share

અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) ના મૃત્યુના આઘાતને કારણે તેમના ચાહકો હજુ સુધી બહાર આવી શક્યા નથી. તેમના ચાહકો અને પરિવારજનો માની શકતા નથી કે સિદ્ધાર્થ આ દુનિયા છોડી ગયા છે. સિદ્ધાર્થના ગયા બાદથી તેમની મિત્ર શહેનાઝ ગિલ (Shehnaaz Gill) ની હાલત સારી નથી. શહેનાઝની હાલત જોયા બાદ ચાહકો તેમના માટે ખૂબ ચિંતિત છે.

શહનાઝનો ભાઈ શાહબાઝ પણ સિદ્ધાર્થને ખૂબ મિસ કરી રહ્યો છે. તેણે સિદ્ધાર્થને યાદ કરતા એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. બિગ બોસ 13 માં શાહબાઝ સિદ્ધાર્થને પહેલી વખત મળ્યો હતો. તેમણે બિગ બોસ દરમિયાન સિદ્ધાર્થ સાથે એક તસ્વીર શેર કરી છે.

લખી ભાવનાત્મક પોસ્ટ

ફોટો શેર કરતા શાહબાઝે લખ્યું – તમે આંખોથી દૂર છો પરંતુ દિલની ખૂબ નજીક છો. હવે ભગવાનની જેમ સિદ્ધાર્થ ભાઈ તમારી પૂજા કરીશ, હવે આ મારું નસીબ છે. શેર.

ચાહકો શાહબાઝની પોસ્ટ પર કમેન્ટ કરી રહ્યા છે અને શહનાઝની તબિયત પૂછી રહ્યા છે. સાથે તેમને શહેનાઝ અને સિદ્ધાર્થની માતા રીટા શુક્લાની સંભાળ રાખવાનું કહી રહ્યા છે. એક ચાહકે કમેન્ટ કરી – મજબૂત રહો શાહબાઝ. અમે હંમેશા તમારી સાથે છીએ અને અમારી શહનાઝ બેબી સાથે છીએ. બીજી બાજુ, અન્ય ચાહકે લખ્યું – મજબૂત અને સાથે રહો. સના અને રીટા આન્ટીનું ધ્યાન રાખો. તમને જણાવી દઈએ કે ચાહકો પ્રેમથી શહનાઝ ગિલને સના તરીકે બોલાવે છે.

પહેલા પણ શેર કરી ચુક્યા છે પોસ્ટ

તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે શાહબાઝે સિદ્ધાર્થ માટે કોઈ પોસ્ટ શેર કરી હોય. સિદ્ધાર્થની તસ્વીર શેર કરતા શાહબાઝે લખ્યું હતું – મારા સિંહ તમે અમારી સાથે છો અને હંમેશા અમારી સાથે રહેશો. અમે તમારા જેવું બનવાનો પ્રયત્ન કરીશું. આ હવેથી એક સ્વપ્ન છે અને આ સ્વપ્ન જલ્દી સાકાર થશે. હું એમ નહીં કહીશ કે ભગવાન તમારી આત્માને શાંતિ આપે કારણ કે તમે ક્યાંય ગયા નથી. લવ યુ.

તમને જણાવી દઈએ કે 2 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. સિદ્ધાર્થ ઇન્ડસ્ટ્રીના પ્રખ્યાત અભિનેતા હતા. તેમણે ટીવી સાથે બોલિવૂડમાં પણ કામ કર્યું છે. સિદ્ધાર્થના ગયા બાદ ઇન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો છે.

આ પણ વાંચો :- Tiger 3 માટે ખુબ પરસેવો બહાવી રહી છે કેટરીના કૈફ, તુર્કીમાં ડાન્સ રિહર્સલ કરતી વખતે શેર કર્યો વીડિયો

આ પણ વાંચો :- Akshay Kumarની માતાની હાલત નાજુક, ICUમાં દાખલ, UKથી ફિલ્મનું શૂટિંગ છોડ્યા બાદ ઉતાવળમાં મુંબઈ પરત ફર્યા અભિનેતા

Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">