Ranbir ને કોરોના છે ! કાકા રણધીર કપુરે સમગ્ર મામલાની સત્યતાને ઉજાગર કરી

|

Mar 09, 2021 | 11:53 AM

રણબીર કપૂરની માંદગી બાદ તેમના કાકા રણધીર કપૂરે આ સમગ્ર મામલાની સત્યતાને ઉજાગર કરી દીધી છે. તેણે કહ્યું કે હા તે સાચું છે કે રણબીર કપૂર બીમાર છે.

Ranbir ને કોરોના છે ! કાકા રણધીર કપુરે સમગ્ર મામલાની સત્યતાને ઉજાગર કરી
Ranbir Kapoor

Follow us on

Ranbir Kapoor  પરિવારની ચિંતા ફરી એકવાર વધી છે. બોલિવૂડ એક્ટર રણબીર કપૂર આજકાલ બીમાર છે. એવા અહેવાલો છે કે માતા નીતુ કપૂર બાદ તે પણ કોરોનાવાયરસનો શિકાર બન્યા છે. રણબીર હાલ ક્વોરન્ટાઈન અને રેસ્ટ કરી રહ્યા છે. રણબીરની માંદગીના સમાચાર સામે આવ્યા બાદ તેમના કાકા રણધીર કપૂરે આ સમગ્ર મામલાની સત્યતાને ઉજાગર કરી દીધી છે. તેમણે કહ્યું કે હા તે સાચું છે કે રણબીર કપૂર બીમાર છે.

કોરોનાવાયરસને નાબુદ કરવા માટે કોવિડ -19 રસી આવી ગઈ છે, પરંતુ ખતરો હજી સુધી ટળી શક્યો નથી. રસી લોકો લગાવી રહ્યા છે, પરંતુ કોરોનાના કેસો હજી સામે આવી રહ્યા છે. સમાચાર છે કે રણબીર કપૂર પણ કોવિડ -19 સામે લડી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે રણબીર હાલમાં ક્વોરેન્ટાઇન અને આરામ કરી રહ્યો છે.

 

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

 

રણબીરની બીમારીને લઈ જ્યારે તેમના કાકા રણધીર કપૂર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે રણબીરની તબિયત સારી નથી, પરંતુ તે ખબર નથી કે કોવિડ થયો છે કે નહીં. તેમણે વધુમાં કહ્યું કે હું હાલમાં શહેરની બહાર છું.

આ સમાચાર પછી ચાહકોની ચિંતા આલિયા ભટ્ટ અને અયાન મુખર્જી માટે વધી ગઈ છે. કારણ કે તાજેતરમાં આલિયા અને અયાન બંને રણબીર સાથે બ્રહ્માસ્ત્રના સેટ પર જોવા મળ્યા હતા, જ્યાં તેઓએ દેવી કાલીના આશીર્વાદ પણ લીધા હતા.

આ પહેલા રણબીરની માતા, અભિનેત્રી નીતુ કપૂર પણ ફિલ્મ ‘જગ જુગ જીયો’ ના શૂટિંગ દરમિયાન કોરોનો વાયરસનો શિકાર બની હતી. આ સમય દરમિયાન અભિનેતા વરુણ ધવન પણ કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. વરુણ સિવાય અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા વગેરે જેવા અનેક સેલેબ્સેને પણ કોરોના થઈ ચુકયો હતો.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરતા જોવા મળશે. અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જી કરી રહ્યા છે અને તેમને ત્રણ ભાગમાં બનાવવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

Next Article