AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આર્યન ખાનની મુશ્કેલીઓ વધી, 26 ઓક્ટોબરે હાઇકોર્ટમાં જામીન પર સુનાવણી હાથ ધરાશે.

ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. બુધવારે કોર્ટમાંથી તેની જામીન અરજી ફગાવી દેવાયા બાદ હવે જામીન માટેની આગામી સુનવણી આગામી 26 ઓક્ટોબરે હાથ ધરાશે

આર્યન ખાનની મુશ્કેલીઓ વધી, 26 ઓક્ટોબરે હાઇકોર્ટમાં જામીન પર સુનાવણી હાથ ધરાશે.
Problems scale up for Aryan Khan, Hearing over bail application on 26 October in Bombay High Court
| Updated on: Oct 21, 2021 | 11:32 AM
Share

ડ્ર્ગ્સ કેસમાં આર્યન ખાનની (Aryan Khan Drug Case) મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. બુધવારે કોર્ટમાંથી તેની જામીન અરજી ફગાવી દેવાયા બાદ હવે જામીન માટેની આગામી સુનવણી આગામી 26 ઓક્ટોબરે હાથ ધરાશે એટલે કે ત્યાં સુધી આર્યન ખાને જેલમાં જ દિવસો પસાર કરવા પડશે.

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસના આરોપી અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને હાઈકોર્ટમાંથી આજે પણ જામીન મળી શક્યા નથી. NCB ની માંગ પર, બોમ્બે હાઇકોર્ટ હવે મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. અત્યારે આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રહેવું પડશે. મંગળવારે હાઇકોર્ટ આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી કરશે. મુંબઈની એનડીપીએસ કોર્ટે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન ફગાવી દીધા બાદ હવે તેના વકીલોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન આર્યન ખાનના વકીલ સતીશ મણેશિંદેએ શુક્રવારે સુનાવણીની માંગ કરી હતી. પરંતુ NCB તરફથી હાજર રહેલા વકીલ ASG એ નકલ ન મળવાની વાત કરી જેથી તે સંપૂર્ણ તૈયારી કરી શકે. આ માટે તેમણે કોર્ટ પાસે વધુ સમયની માંગ કરી હતી. જેને હાઈકોર્ટે સ્વીકાર્યો હતો અને મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણીની તારીખ નક્કી કરી હતી.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન ગુરુવારે સવારે તેના દિકરાને મળવા આર્થર રોડ પહોંચ્યા હતા. શાહરુખ અહીં વધારે સમય રોકાયો નહીં અને માત્ર 15 મિનિટમાં પાછો ફર્યો. તે ગ્રે ટી-શર્ટ અને ચશ્મા પહેરેલો જોવા મળ્યો હતો. આ પહેલા બુધવારે મુંબઈ સેશન્સ કોર્ટના જજ વીવી પાટીલે 18 પાનાના આદેશમાં કહ્યું હતું કે, પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે આર્યન ખાન વિરુદ્ધ પુરાવા છે.

આ પણ વાંચો –

100 કરોડ વેક્સિનેશન: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હેલ્થ સેન્ટરમાં રહ્યા ઉપસ્થિત, સૌનું મ્હો મીઠું કરાવ્યું

આ પણ વાંચો –

Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,454 નવા કેસ, 98.15 ટકાનો રિકવરી રેટ નોંધાયો

આ પણ વાંચો –

LIC ના પોલિસી ધારકો માટે અગત્યના સમાચાર, તાત્કાલિક પતાવી લો આ કામ, નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">