AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રજ્ઞા જયસ્વાલે સલમાનની ફિલ્મ Antimના સીનના એડિટીંગ પર મૌન તોડ્યું, કહ્યું જે થાય છે તે સારા માટે જ થાય છે

સલમાન ખાન (Salman Khan) અને પ્રજ્ઞા જયસ્વાલ (Pragya Jaiswal) પર બનેલું ગીત 'મેં ચલા' તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

પ્રજ્ઞા જયસ્વાલે સલમાનની ફિલ્મ Antimના સીનના એડિટીંગ પર મૌન તોડ્યું, કહ્યું જે થાય છે તે સારા માટે જ થાય છે
Pragna Jaiswal (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 10:37 AM
Share

Antim: અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે (Pragya Jaiswal) મહેશ માંજરેકરની ફિલ્મ (Antim The Final Truth) માટે સલમાન ખાન સાથે શૂટિંગ કર્યું હતું. જોકે ફિલ્મના એડિટિંગ દરમિયાન તેનો સીન કાઢી નાખવામાં આવ્યો હતો. સુપરસ્ટાર અને દિગ્દર્શક બંનેએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે જરૂરી છે કારણ કે તેઓ સલમાન (Salman Khan)ના પાત્ર માટે કોઈ રોમેન્ટિક એન્ગલ ઈચ્છતા નથી. ETimesના અહેવાલ મુજબ પ્રજ્ઞાએ તેના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મમાંથી તેના રોલને એડિટ કરવા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને સીન ડિલીટ કરવાનું ખરાબ લાગ્યું? જવાબમાં પ્રજ્ઞાએ કહ્યું કે, હું ખૂબ આશાવાદી છું. તેણે કહ્યું કે જે પણ થાય છે તે સારા માટે જ થાય છે.

નિર્માતાઓએ પ્રજ્ઞાના સીન હટાવી દીધા

તેણે વધુમાં કહ્યું કે, સલમાન (Salman Khan) આનાથી પ્રભાવિત થયો હતો અને તે આ નિર્ણયથી ખુશ નથી. તેણે ફિલ્મમાં પાત્રને જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયો. પ્રજ્ઞાએ કહ્યું કે આ ગીત ફિલ્મનો એક ભાગ બનવાનું હતું. હવે મેકર્સે તેને અલગથી રિલીઝ કર્યું છે. તેણે કહ્યું કે તે ખુશ છે કે ઓછામાં ઓછું એક ગીત બહાર આવ્યું છે, જેમાં તે સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરી રહી છે.

‘મેં ચલા’માં સલમાન અને પ્રજ્ઞાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી

‘મેં ચલા’ મ્યુઝિક વીડિયોમાં સલમાન અને પ્રજ્ઞાની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે. આ ગીતને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ગીત ગાયક ગુરુ રંધાવા અને યુલિયા વંતુરે ગાયું છે. આ ગીત 22 જાન્યુઆરીએ રિલીઝ થયું છે.

કોણ છે પ્રજ્ઞા જયસ્વાલ

પ્રજ્ઞા જયસ્વાલ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે પણ હિન્દી ઓડિયન્સ માટે નવી છે. પ્રજ્ઞાએ પોતાના કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ વિરાટ્ટુથી કરી હતી. તે જ વર્ષે તેણે તેલુગુ ફિલ્મ દેગાથી તેની શરૂઆત કરી. પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેની ગ્લેમરસ ફેશન સેન્સ માટે જાણીતી છે. પ્રજ્ઞા એક ફિટનેસ ફ્રીક છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર યોગ કરતી વખતે ઘણા ફોટા શેર કરતી રહે છે.

આ પણ વાંચો: Honored : ગોવિંદાને ભારતીય સિનેમામાં તેમના અદ્ભુત યોગદાન માટે ડોક્ટરેટની પદવીથી કરવામાં આવ્યા સન્માનિત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">