AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રજ્ઞા જયસ્વાલે સલમાનની ફિલ્મ Antimના સીનના એડિટીંગ પર મૌન તોડ્યું, કહ્યું જે થાય છે તે સારા માટે જ થાય છે

સલમાન ખાન (Salman Khan) અને પ્રજ્ઞા જયસ્વાલ (Pragya Jaiswal) પર બનેલું ગીત 'મેં ચલા' તાજેતરમાં રિલીઝ થયું છે. આ ગીતને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

પ્રજ્ઞા જયસ્વાલે સલમાનની ફિલ્મ Antimના સીનના એડિટીંગ પર મૌન તોડ્યું, કહ્યું જે થાય છે તે સારા માટે જ થાય છે
Pragna Jaiswal (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 10:37 AM
Share

Antim: અભિનેત્રી પ્રજ્ઞા જયસ્વાલે (Pragya Jaiswal) મહેશ માંજરેકરની ફિલ્મ (Antim The Final Truth) માટે સલમાન ખાન સાથે શૂટિંગ કર્યું હતું. જોકે ફિલ્મના એડિટિંગ દરમિયાન તેનો સીન કાઢી નાખવામાં આવ્યો હતો. સુપરસ્ટાર અને દિગ્દર્શક બંનેએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે જરૂરી છે કારણ કે તેઓ સલમાન (Salman Khan)ના પાત્ર માટે કોઈ રોમેન્ટિક એન્ગલ ઈચ્છતા નથી. ETimesના અહેવાલ મુજબ પ્રજ્ઞાએ તેના તાજેતરના ઈન્ટરવ્યુ દરમિયાન ફિલ્મમાંથી તેના રોલને એડિટ કરવા વિશે ખુલ્લેઆમ વાત કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને સીન ડિલીટ કરવાનું ખરાબ લાગ્યું? જવાબમાં પ્રજ્ઞાએ કહ્યું કે, હું ખૂબ આશાવાદી છું. તેણે કહ્યું કે જે પણ થાય છે તે સારા માટે જ થાય છે.

નિર્માતાઓએ પ્રજ્ઞાના સીન હટાવી દીધા

તેણે વધુમાં કહ્યું કે, સલમાન (Salman Khan) આનાથી પ્રભાવિત થયો હતો અને તે આ નિર્ણયથી ખુશ નથી. તેણે ફિલ્મમાં પાત્રને જાળવી રાખવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ ન થયો. પ્રજ્ઞાએ કહ્યું કે આ ગીત ફિલ્મનો એક ભાગ બનવાનું હતું. હવે મેકર્સે તેને અલગથી રિલીઝ કર્યું છે. તેણે કહ્યું કે તે ખુશ છે કે ઓછામાં ઓછું એક ગીત બહાર આવ્યું છે, જેમાં તે સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરી રહી છે.

‘મેં ચલા’માં સલમાન અને પ્રજ્ઞાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી

‘મેં ચલા’ મ્યુઝિક વીડિયોમાં સલમાન અને પ્રજ્ઞાની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી રહી છે. આ ગીતને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ ગીત ગાયક ગુરુ રંધાવા અને યુલિયા વંતુરે ગાયું છે. આ ગીત 22 જાન્યુઆરીએ રિલીઝ થયું છે.

કોણ છે પ્રજ્ઞા જયસ્વાલ

પ્રજ્ઞા જયસ્વાલ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ એક્ટિવ છે પણ હિન્દી ઓડિયન્સ માટે નવી છે. પ્રજ્ઞાએ પોતાના કરિયરની શરૂઆત તમિલ ફિલ્મ વિરાટ્ટુથી કરી હતી. તે જ વર્ષે તેણે તેલુગુ ફિલ્મ દેગાથી તેની શરૂઆત કરી. પ્રજ્ઞા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તેની ગ્લેમરસ ફેશન સેન્સ માટે જાણીતી છે. પ્રજ્ઞા એક ફિટનેસ ફ્રીક છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર યોગ કરતી વખતે ઘણા ફોટા શેર કરતી રહે છે.

આ પણ વાંચો: Honored : ગોવિંદાને ભારતીય સિનેમામાં તેમના અદ્ભુત યોગદાન માટે ડોક્ટરેટની પદવીથી કરવામાં આવ્યા સન્માનિત

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">