Bade Achhe Lagte Hain 2 Poster: શું દર્શકોને પસંદ આવશે નવા રામ પ્રિયા? જાણો નકુલે કેમ કહ્યું આ શો માટે હા

તાજેતરમાં એકતા કપૂરે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બડે અચ્છે લગતે હૈં 2 શોનો પ્રોમો રિલીઝ કર્યો હતો, ત્યાર બાદ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેના મિત્રોએ તેની ખૂબ પ્રશંસા કરી હતી.

Bade Achhe Lagte Hain 2 Poster: શું દર્શકોને પસંદ આવશે નવા રામ પ્રિયા? જાણો નકુલે કેમ કહ્યું આ શો માટે હા
Poster of upcoming show Bade Achhe Lagte Hain 2 launched
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 17, 2021 | 9:43 AM

સોની ટીવી (Sony Tv)ના લોકપ્રિય શોમાં એક છે બડે અચ્છે લગતે હૈં, જે હવે પુનરાગમન (Bade Acche Lagte Hain 2) માટે તૈયાર છે. આ શોની સિઝન 2 ‘નયે પ્યાર કા એક ખુબસુરત પૈગામ’ છે, જે 30 વર્ષની વય વચ્ચે ઉભેલા બે લોકોની લાગણીઓને દર્શાવે છે. લગ્ન પછી, આ દંપતી ધીમે ધીમે એકબીજાના પ્રેમમાં પડે છે. આ શોની સિઝન 2 માં નકુલ મહેતા (Nakuul Mehta) અને દિશા પરમાર (Disha Parmar) રામ અને પ્રિયાની (Ram Priya) ભૂમિકામાં જોવા મળશે. દિશા પરમાર અને નકુલ મહેતાએ તાજેતરમાં જ ઇન્ડિયન આઈડલ 12 ના ગ્રેટેસ્ટ ફિનાલેમાં તેમના આઇકોનિક પોઝ સાથે શોના પોસ્ટરનું અનાવરણ કર્યું હતું.

આ વિશે વાત કરતા, પ્રિયાનું (Priya) પાત્ર ભજવવા જઇ રહેલી દિશા પરમાર (Disha Parmar) કહે છે, “મને ખરેખર આશા છે કે લોકો બડે અચ્છે લગતે હૈંની સીઝન 2 ને તે જ રીતે સ્વીકારશે જેમ તેઓએ પ્રથમ સિઝનને આવકારી હતી. હું આ શોનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું અને મને આશા છે કે લોકો પણ તેનો આનંદ માણશે.”

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ટૂંકા વિરામ બાદ નકુલ પાછો ફર્યો

રામ કપૂરની (Ram Kapoor) આઇકોનિક ભૂમિકા ભજવવા માટે તૈયાર નકુલ મહેતાએ (Nakuul Mehta) કહ્યું, “મેં ટેલિવિઝનથી થોડો બ્રેક લીધો હતો, જે હું સામાન્ય રીતે બે શો વચ્ચે લઉં છું. એમપમ કોઈ ખાસ રસપ્રદ પ્રોજેક્ટ્સ મારા હાથમાં નહોતા અને પછી આ (બડે અચ્છે લગતે હૈ) માટે મને કોલ આવ્યો અને મેં કહ્યું, ‘અરે, રાહ જુઓ. પહેલા મારે તેના વિશે જાણવું છે ‘.

જાણો શા માટે નકુલે કહ્યું ‘હા’

નકુલ મહેતાએ વધુમાં કહ્યું કે આ એક વાર્તા છે જે મેં જોઈ છે. મારા માતા -પિતાને પણ આ સિરિયલ ખૂબ ગમી. મને લાગે છે કે આ પાત્ર ભજવવું એક અનન્ય પડકાર હશે. કારણ કે આ પાત્ર એવું છે જે મેં અત્યાર સુધી મારી કારકિર્દીમાં ભજવ્યું નથી, હું ખરેખર ઉત્સાહિત છું. હવે લોન્ચ નજીક આવવાથી, હું તેના વિશે વધુ ઉત્સાહિત છું. ”

એકતા કપૂરે પ્રોમો શેર કર્ય

બડે અચ્છે લગતે હૈંની સિઝન 2 શહેરી એકલતા પર કેન્દ્રિત એક નવા જમાનાની પ્રેમકથા છે. આ શો લગ્ન પછી લોકો કુદરતી રીતે કેવી રીતે પ્રેમમાં પડે છે અને એકબીજા પ્રત્યે વિશ્વાસ અને આદર વિકસાવે છે તેના પર પણ પ્રકાશ પાડશે. અત્યારે અપેક્ષા છે કે આ સિઝન પણ ગત સિઝનની જેમ દર્શકોને પસંદ આવશે. જોકે, એ જોવાનું રહ્યું કે પ્રેક્ષકોને નવા રામ અને પ્રિયા ગમશે કે નહીં?

આ પણ વાંચો: યુઝરે અનન્યા પાંડેને પૂછ્યું કે તમે લગ્ન કેમ નથી કરતા? અભિનેત્રી પોતે ચોંકી ગઈ અને આપ્યો આવો જવાબ

આ પણ વાંચો: આ દેશની ઉડાન માટે તૈયાર સલમાન-કેટરીના, જાણો ટાઈગર 3 નું શૂટિંગ થશે ક્યાં-ક્યાં

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">