Photos: અજય દેવગણે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે કરી ખાસ મુલાકાત, આ વિષય પર થઈ ચર્ચા

|

Aug 14, 2021 | 10:41 PM

અજય દેવગણ (Ajay Devgan) બોલિવૂડના પ્રખ્યાત સ્ટાર છે, હા, અભિનેતાની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા રિલીઝ થઈ છે. જેના કારણે તેઓ રક્ષા મંત્રી રાજનાથ સિંહને (Defence Minister Rajnath Singh) મળવા ગયા હતા.

Photos: અજય દેવગણે રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે કરી ખાસ મુલાકાત, આ વિષય પર થઈ ચર્ચા
Defence Minister Rajnath Singh And Ajay Devgan

Follow us on

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ (Ajay Devgan)ની ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (Bhuj: The Pride Of India) રિલીઝ થઈ ગઈ છે. જેના કારણે અભિનેતા આજે ઘણી ચર્ચામાં છે. આવી સ્થિતિમાં અભિનેતાએ રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) સાથે મુલાકાત કરી હતી, જેની તસ્વીર તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અજય દેવગણ આ તસ્વીરોમાં રાજનાથ સિંહ સાથે વાતચીત કરતા જોવા મળે છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં અજયે રક્ષા મંત્રી રાજનાથ સિંહનો આભાર માન્યો હતો. આ તસ્વીરો ટ્વીટર પર શેર કરતાં અજય દેવગણે લખ્યું કે “માનનીય રક્ષા મંત્રીને મળીને હું પોતાને સન્માનિત મહેસુસ કરી રહ્યો છું. તેમણે મારી આગામી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ની કેટલીક ક્લિપ્સ જોઈ છે. આ ફિલ્મ 50 વર્ષ પહેલા પાકિસ્તાન દ્વારા ભુજ એરબેઝ પર થયેલા હુમલા પર આધારિત છે. હું આ વાર્તા રજૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. જય હિન્દ. ”

 

અજય દેવગણ પછી ખુદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ અજય સાથે પોતાની તસ્વીરો શેર કરી અને તેમની નવી ફિલ્મ માટે અભિનંદન પાઠવ્યા. અજય દેવગણની ફિલ્મ રિલીઝ થઈ છે. જ્યાં આ ફિલ્મને દર્શકોનો અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યાં દરેક લોકો અજય દેવગણની આ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા (Bhuj: The Pride Of India)માં અજય ઈન્ડિયન એરફોર્સના સ્ક્વોડ્રન લીડર વિજય કાર્ણિકની ભૂમિકામાં છે, જે તે સમયે ભુજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા. 1971માં પાકિસ્તાને ઓપરેશન ચંગેઝ ખાન લોન્ચ કર્યું હતું.

 

આ ફિલ્મને લોકડાઉનને કારણે અજય વધારે પ્રમોટ કરી શક્યા નથી, પરંતુ તેમની યોજના હતી કે આ ફિલ્મનું ભવ્ય પ્રમોશન કરે. આ ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha), નોરા ફતેહી (Nora Fatehi) અને સંજય દત્ત (Sanjay Dutt) મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા અને નોરા ફતેહીના કામને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જે આ બંને અભિનેત્રીઓ માટે સારા સમાચાર છે. આ ફિલ્મના પ્રમોશન માટે અજય ખૂબ જ જલદી ધ કપિલ શર્મા શોમાં પણ જોવા મળશે. આ શોનું શૂટિંગ તાજેતરમાં મુંબઈમાં કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો :- Hrithik Roshan-Deepika Padukoneના ચાહકો માટે સારા સમાચાર, 2023ની આ તારીખે રિલીઝ થશે ‘ફાઈટર’

 

આ પણ વાંચો :- Throwback: તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ના શૂટિંગ દરમિયાન ખૂબ ખુશ હતા સુશાંત સિંહ રાજપૂત, સહ-કલાકારો સાથે આ રીતે કરતા હતા મસ્તી

Next Article