ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic) ગોલ્ડ મેડલ જીતીને ભારતીયોને ગૌરવ અનુભવવાની તક આપનારા નીરજ ચોપરા (Neeraj Chopra)ના ચાહકોમાં બોલિવૂડ સેલેબ્સ પણ છે. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ નીરજની પ્રશંસા થઈ રહી છે. જ્યારથી નીરજે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, ત્યારથી તેની જીત અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
કિયારા થઈ નીરજ પર ફિદા
ભારતની લગભગ દરેક છોકરી આજે નીરજની દીવાની થઈ રહી છે. તે જ સમયે હવે કિયારા અડવાણીએ કહ્યું છે કે તે તેનો ક્રશ છે. ખરેખર, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘શેરશાહ’ આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. કિયારા-સિદ્ધાર્થની જોડી પણ ફિલ્મના પ્રચાર માટે ઘણા ટીવી શોમાં પહોંચી હતી.
દેશભક્તિથી ભરેલી ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. પ્રમોશન દરમિયાન જ એક ઈન્ટરવ્યૂમાં જ્યારે કિયારાને નીરજ ચોપરા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અભિનેત્રીએ કહ્યું કે ‘નીરજ ચોપરા માત્ર નેશનલ ક્રશ જ નથી પરંતુ તેની જીત બાદ વિશ્વ ક્રશ બની ગયો છે. સાથે જ સિદ્ધાર્થે કહ્યું કે નીરજ સાચો ‘શેરશાહ’ છે જેણે દેશનું નામ રોશન કર્યું છે.
આ કલાકારો કરે મારી બાયોપિક
વર્ષ 2018માં જ્યારે નીરજ ચોપરા દેશભરમાં બહુ પ્રખ્યાત ન હતા, ત્યારે તેમણે એક વેબ પોર્ટલને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂ દરમિયાન તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે જો ભવિષ્યમાં તેમની બાયોપિક ક્યારેય બોલિવૂડમાં બને છે તો તે તેમાં અક્ષય કુમાર અથવા રણદીપ હુડ્ડામાંથી કોઈ એકને જોવા માંગે છે.
તેમના મતે તે ખુબ જ સારુ હશે કે તેમની બાયોપિક બને અને આ બેમાંથી એક અભિનેતા તેમાં પોતાનું પાત્ર ભજવે. જ્યારે આ વિશે અક્ષયને પૂછવામાં આવ્યું ત્યારે તેમને હસતા કહ્યું ‘મને લાગે છે કે તે એક સુંદર દેખાવડો હેન્ડસમ માણસ છે. જો મારી બાયોપિક બને તો તેને તેમાં મુખ્ય ભૂમિકા ભજવવી જોઈએ.
તમને જણાવી દઈએ કે નીરજ ચોપરાની આ જીત પર અક્ષય કુમારે ટ્વીટ કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. આ ટ્વીટમાં તેણે લખ્યું હતું કે ‘આ પ્રથમ સ્થાને ગોલ્ડ મેડલ છે. નીરજ ચોપરાને ઈતિહાસ રચવા બદલ હાર્દિક અભિનંદન. તમે એક અરબ ખુશીના આંસુ માટે જવાબદાર છો વેલ ડન નીરજ ચોપરા.
આ પણ વાંચો :- K.G.F Chapter-2 ના સાઉથ સેટેલાઈટ રાઈટ્સની થઈ રેકોર્ડ કમાણી, તો પણ મેકર્સએ છુપાવી ડીલ
આ પણ વાંચો :- Mouni Roy ગ્રીન આઉટફિટમાં લાગી સુંદર, જુઓ અભિનેત્રીના ખુબસુરત ફોટોઝ