માન્યતાએ સંજય દત્ત દ્વારા ગિફ્ટ કરાયેલા 100 કરોડના ફ્લેટ કર્યા પરત, શું હતું કારણ?
બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે ( Sanjay Dutt) વર્ષ 2020માં પત્ની માન્યતાને 100 કરોડના 4 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. અહેવાલ મુજબ માન્યતાએ આ તમામ ફ્લેટો પરત કરી દીધા છે. માન્યતાએ તેની પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી કર્યું
બોલિવૂડ સુપરસ્ટાર સંજય દત્તે ( Sanjay Dutt) વર્ષ 2020માં પત્ની માન્યતાને 100 કરોડના 4 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. અહેવાલ મુજબ માન્યતાએ આ તમામ ફ્લેટો પરત કરી દીધા છે. માન્યતાએ તેની પાછળનું કારણ હજી સ્પષ્ટ નથી કર્યું. બોલીવુડ અભિનેતાના માન્યતા સાથેના લગ્ન ત્રીજા લગ્ન હતા. આ લગ્નથી બંનેને બે બાળકો પણ છે. સંજય દત્ત તેના જીવનના દરેક સારા કામોનું શ્રેય પત્નીને આપે છે. આ બધાની વચ્ચે એક આશ્ચર્યજનક માહિતી બહાર આવી છે.
સંજયે આપ્યા હતા 100 કરોડના ફ્લેટ
ગયા વર્ષે સંજયે માન્યતાને 4 ફ્લેટ આપ્યા હતા. અહેવાલ મુજબ માન્યતાએ સંજય દ્વારા અપાયેલ કોઈ ફ્લેટને રાખ્યો ન હતો અને એક અઠવાડિયામાં બધા ફ્લેટ પરત કરી દીધા છે.
માન્યતાએ પાછા આપ્યા ફ્લેટ્સ
જણાવી દઈએ કે સંજયના આ તમામ ફ્લેટ મુંબઈના પાલી હિલના બાંદ્રામાં આવેલી ઈમારત ઈરાકાઈલ હાઈટ્સમાં છે. તમામની કિંમત લગભગ 100 કરોડ છે. આ ફ્લેટ શાહી હાઈટ્સના ત્રીજા અને ચોથા માળે હતા. તેમજ અન્ય બે ફ્લેટ 11 અને 12માં માળ પર છે, આ બંને પેન્ટહાઉસ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે માન્યતાએ આ ફ્લેટ ટેક્સ રિસ્ટ્રક્ચરિંગના કારણે પરત કરી દીધા છે. પરંતુ આ મામલે માન્યતાએ હજી સુધી કોઈ ખુલાસો કર્યો નથી.
આ પણ વાંચો: Valentines’s day special: તમારા પ્રિયજનને આપો આ ખાસ ગિફ્ટ