મનોજ બાજપેયીએ કહ્યું ‘પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે’, સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) આ દિવસોમાં હિન્દી સિનેમાના મોટા સ્ટાર બની ગયા છે. જ્યાં દરેક વ્યક્તિ તેમના કામને પસંદ કરી રહ્યો છે. વિવેચકો હોય કે પ્રેક્ષકો, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મનોજ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળતા રહે. આવી સ્થિતિમાં આજે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે (Anurag Kashyap) મનોજના વખાણ કર્યા […]

મનોજ બાજપેયીએ કહ્યું 'પ્રતિક ગાંધી મારા કરતા સારો અભિનેતા છે', સમગ્ર મામલો જાણીને તમે પણ કરશો સલામ
Manoj Bajpayee commented that Pratik Gandhi a better actor than him
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 5:26 PM

બોલિવૂડ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) આ દિવસોમાં હિન્દી સિનેમાના મોટા સ્ટાર બની ગયા છે. જ્યાં દરેક વ્યક્તિ તેમના કામને પસંદ કરી રહ્યો છે. વિવેચકો હોય કે પ્રેક્ષકો, દરેક વ્યક્તિ ઇચ્છે છે કે મનોજ ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળતા રહે. આવી સ્થિતિમાં આજે બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપે (Anurag Kashyap) મનોજના વખાણ કર્યા છે. અનુરાગે કહ્યું કે એક સારા અભિનેતા હોવા ઉપરાંત મનોજ એક સારા વ્યક્તિ પણ છે. જે હંમેશા પ્રતિભાનું સન્માન કરવાનું જાણે છે. વ્યક્તિને જોવાને બદલે, તે તેના કામને વધુ જોવાનું પસંદ કરે છે.

મનોજ બાજપેયી આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, જ્યાં તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને તેમની ફિલ્મોના વખાણ બંને પર નજર રાખે છે. આવી સ્થિતિમાં, હવે અભિનેતાએ એક ખાસ પોસ્ટ પર ટિપ્પણી કરી છે જે હવે વધુને વધુ વાયરલ થઈ રહી છે. થોડા દિવસો પહેલા એક ન્યૂઝ પોર્ટલે એક મતદાન કર્યું હતું કે કયો સ્ટાર શ્રેષ્ઠ અભિનય કરે છે, આ મતદાનમાં મનોજ અને પ્રતિક ગાંધીના (Pratik Gandhi) નામ લખવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે આ બાદ ખુદ મનોજે આ અંગે કોમેન્ટ કરી છે અને લખ્યું છે કે પ્રતીક ગાંધી તેમના કરતા વધુ સારા અભિનેતા છે. જે સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં હવે મનોજના નજીકના મિત્ર અનુરાગ કશ્યપે પણ સોશિયલ મીડિયા પર તેનો સ્ક્રીનશોટ શેર કરીને પોતાની પ્રતિક્રિયા આપી છે. અનુરાગ કશ્યપે લખ્યું છે કે, “જેટલા પણ નવા સ્ટાર્સ મારી જૂની ફિલ્મોમાં જોવા મળ્યા છે એમાંથી મોટાભાગનાની ભલામણ ખુદ મનોજે કરી છે. તેથી જ અમે મનોજને ખૂબ પ્રેમ કરીએ છીએ.”

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
Manoj Bajpayee's comment About Pratik Gandhi

Anurag Kashyap’s reaction on Manoj Bajpayee comment About Pratik Gandhi

આ પોસ્ટ પર કોમેન્ટ કરીને મનોજે સાબિત કરી દીધું છે કે તે કોઈપણ પ્રકારના મતદાનમાં માનતો નથી. તેણે ભૂતકાળમાં આ વાત ઘણી વખત કહી છે કે દરેક અભિનેતા પોતાની રીતે એક અદભૂત અભિનેતા છે. તમને જણાવી દઈએ કે, મનોજ તાજેતરમાં તેની વેબ સીરીઝ “ફેમિલી મેન 2” અને “ડાયલ 100” માં જોવા મળ્યા હતા. જ્યાં દર્શકોએ અભિનેતાના ખૂબ વખાણ કર્યા. મનોજ સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. જ્યાં એવા સમાચાર છે કે તેઓ બહુ જલ્દી “ફેમિલી મેન 3” ની જાહેરાત પણ કરી શકે છે. અભિનેતા તેમની આગામી ફિલ્મોને લઈને સતત ચર્ચામાં રહે છે. તેમને આ દિવસોમાં તેને વેબ સિરીઝની જોરદાર ઓફર મળી રહી છે.

આ પણ વાંચો: પ્રેમ માટે ધર્મની દીવાલ લાંઘી ગયા બોલીવૂડના આ સ્ટાર્સ, લગ્ન કરીને બદલ્યો પોતાનો ધર્મ

આ પણ વાંચો: થિયેટરમાં સંભળાશે સીટીઓ, ટાઇગર શ્રોફે કરી ગણપથ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, જુઓ Video

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">