Bollywood : મહેશ માંજરેકરે શાહરુખ ખાન વિશે કીધી આ મોટી વાત, કહ્યુ તે કઇં પણ નવું નથી કરી રહ્યો

|

Nov 07, 2021 | 9:47 AM

ડિરેક્ટર મહેશ માંજરેકરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે એક એવો અભિનેતા છે જેણે પોતાની પ્રતિભા સાથે ન્યાય કર્યો નથી, તે શાહરૂખ ખાન છે, મુશ્કેલી એ છે કે, તે તેના શેલમાંથી બહાર આવવા માંગતો નથી.

Bollywood : મહેશ માંજરેકરે શાહરુખ ખાન વિશે કીધી આ મોટી વાત, કહ્યુ તે કઇં પણ નવું નથી કરી રહ્યો
Mahesh Manjrekar said a big thing about Shahrukh Khan, said – not doing anything new

Follow us on

મહેશ માંજરેકર બોલિવૂડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ શાનદાર અભિનય કર્યો છે અને હવે તે અભિનયની સાથે દિગ્દર્શનમાં પણ હાથ અજમાવી રહ્યો છે. તે તેની આગામી દિગ્દર્શક ફિલ્મ અંતિમ : ધ ફાઈનલ ટ્રુથને કારણે ચર્ચામાં છે. તેણે આ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાન વિશે એક મોટી વાત કહી છે.

મહેશ માંજરેકરનું માનવું છે કે બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન તેની પ્રતિભા સાથે ન્યાય નથી કરી રહ્યો. તે હવે કંઈ નવું કરે તેવું લાગતું નથી. તેણે પોતાની જાતને તેના બોક્સમાંથી બહાર લાવવી પડશે. મહેશ કહે છે કે શાહરૂખ પાસે તે બધું છે જે એક પરિપક્વ અભિનેતા પાસે હોવું જોઈએ પરંતુ તે અત્યારે પોતાની જાતને મર્યાદિત કરી રહ્યો છે. તેમણે કંઈક અલગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

ડિરેક્ટર મહેશ માંજરેકરે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે એક એવો અભિનેતા છે જેણે પોતાની પ્રતિભા સાથે ન્યાય કર્યો નથી, તે શાહરૂખ ખાન છે, મુશ્કેલી એ છે કે, તે તેના શેલમાંથી બહાર આવવા માંગતો નથી. તે માત્ર એ વિશ્વાસમાં રહેવા માંગે છે કે મારી આ છબી ચાલી જશે,  તેમણે લવર બોયની છબીમાંથી બહાર આવવું પડશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વાતચીતને આગળ વધારતા મહેશે કહ્યું કે આજકાલ શાહરુખ એ પાત્રો કરી રહ્યો છે જે રણબીર અને રણવીર પણ કરી રહ્યા છે તો તેવામાં લોકો શાહરૂખ ખાનને કેમ જોશે? લોકો શાહરૂખને તે પાત્રોમાં જોવા માંગે છે અને કહેવા માંગે છે કે આ પાત્ર માત્ર શાહરૂખ માટે જ બનાવવામાં આવ્યું હતું. મને પોતાને લાગે છે કે શાહરૂખ ખાને પોતાના બનાવેલા બોક્સમાંથી બહાર આવવું જોઈએ, તો જ તે કંઈક સારું કરી શકશે. તે એક શાનદાર અભિનેતા છે.

તમને જણાવી દઈએ કે, મહેશ માંજરેકરે સલમાન ખાન અને આયુષ શર્માની ફિલ્મ અંતિમ : ધ ફાઈનલ ટ્રુથને ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ 26 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સલમાન ખાન પંજાબી પોલીસ ઓફિસરના રોલમાં છે જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો –

દિવાળી વેકેશનમાં અધધધ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે, માત્ર 3 દિવસમાં ઉમટયા આટલા હજાર પ્રવાસીઓ

આ પણ વાંચો – 

Kiran Rao Birthday Special : કિરણ સાથે લગ્ન કરવા માટે આમિરે પહેલી પત્નીને આપ્યા હતા 50 કરોડ રૂપિયા, 15 વર્ષ બાદ આવ્યો લગ્ન જીવનનો અંત

આ પણ વાંચો –

NZ vs AFG, T20 World Cup, LIVE Streaming: આજે અફઘાનિસ્તાન પર ભારતની આશા, જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે નિહાળી શકાશે મેચ

Next Article