AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજે ગાંધીજી નિવાર્ણદિન, જાણો આ 5 અભિનેતા વિશે જેમણે ગાંધીજીના પાત્રને ફિલ્મોના ઈતિહાસમાં અમર બનાવી દીધું !

આજે રાષ્ટ્રપિતા ગાંધીજીનો નિર્વાણદિન છે અને ભારતમાં ગાંધીજીના પાત્રને ફિલ્મની દુનિયામાં અમર કરી દેનારા ઘણાં ફિલ્મી સિતારાઓ છે જેમણે ગાંધીજીનો કિરદાર આબેહૂબ નિભાવ્યો. વાત કરીએ એવા પાંચ અભિનેતાઓની જેણે ગાંધીજીનો કિરદાર નિભાવ્યો અને તેમને ફિલ્મી દુનિયામાં અમર કરી દીધાં. 1. ફિલ્મ ‘ગાંધી: માય ફાધર’ જેમાં મહાત્મા ગાંધીજીનો કિરદાર દર્શન જરીવાલાએ નિભાવ્યો છે. આ ફિલ્મ ગાંધીજી […]

આજે ગાંધીજી નિવાર્ણદિન, જાણો આ 5 અભિનેતા વિશે જેમણે ગાંધીજીના પાત્રને ફિલ્મોના ઈતિહાસમાં અમર બનાવી દીધું !
Gautam Parmar
| Edited By: | Updated on: Jan 30, 2019 | 10:56 AM
Share

આજે રાષ્ટ્રપિતા ગાંધીજીનો નિર્વાણદિન છે અને ભારતમાં ગાંધીજીના પાત્રને ફિલ્મની દુનિયામાં અમર કરી દેનારા ઘણાં ફિલ્મી સિતારાઓ છે જેમણે ગાંધીજીનો કિરદાર આબેહૂબ નિભાવ્યો. વાત કરીએ એવા પાંચ અભિનેતાઓની જેણે ગાંધીજીનો કિરદાર નિભાવ્યો અને તેમને ફિલ્મી દુનિયામાં અમર કરી દીધાં.

ગાંધીજીના પાત્રનો અભિનય કરનારા દર્શન જરીવાલા

1. ફિલ્મ ‘ગાંધી: માય ફાધર’ જેમાં મહાત્મા ગાંધીજીનો કિરદાર દર્શન જરીવાલાએ નિભાવ્યો છે. આ ફિલ્મ ગાંધીજી અને તેના દિકરાના જીવન પર આધારિત છે. આ ફિલ્મમાં પોતાના જ દિકરા સાથે સંબંધોને સાચવવા તે બાબતે દર્શન જરીવાલાએ મહત્ત્વનો અભિનય ગાંધીજીના પાત્ર તરીકે કર્યો છે.

2. ‘ધ મેકિંગ ઓફ મહાત્મા’ ફિલ્મમાં બ્યોમેશ બક્સીના કિરદાર તરીકે રજત કપૂરે જે અભિનય કર્યો તેને ખૂબ જ ચર્ચા થઈ હતી. 1996ના વર્ષમાં આવેલી આ ફિલ્મને શ્યામ બેનેગલે ડાયરેક્ટ કરી હતી.

3.મહાત્મા ગાંધીજીના જીવનથી અલગ દષ્ટિકોણ ધરાવનારી ફિલ્મ ‘હે રામ’ ભલે વિવાદોમાં રહી હોય પણ નસરુદ્દીન શાહે આ ફિલ્મમાં ગાંધીજીના પાત્રને આબેહૂબ ન્યાય આપ્યો હતો. તેમણે ગાંધીજીના આ કિરદાર બદલ લોકોએ વધાવી લીધા હતા.

4 બેન કિંગ્સલે જે અંગ્રેજી અભિનેતા છે તેણે 1982ના વર્ષમાં આવેલી ફિલ્મ ‘ગાંધી’માં મોહનચંદ કરમચંદ ગાંધીનો જોરદાર અભિનય કર્યો હતો. આ કિરદાર એટલો પ્રભાવી રીતે નિભાવ્યો કે તેને સર્વશ્રેષ્ઠ અભિનેતા સાથે ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

5. ગાંધીગીરીના નવા કોન્સેપ્ટ સાથે આવેલી ફિલ્મ લગે રહો મુન્નાભાઈમાં દિલીપ પ્રભાવલકરે ગાંધીજીને રોલ કર્યો હતો. જે રીતે આ ફિલ્મમાં ગાંધીજીના ધીરજભર્યા અંદાજને દેખાડવામાં આવ્યો છે તે પ્રસંશાને પાત્ર છે. આ અભિનયમાં ગાંધીજીનું પાત્ર લોકોના દિલમાં ઘર કરી જાય છે

[yop_poll id=907]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">