Viral News : થોડા સમય પહેલા લલિત મોદી અને સુષ્મિતા સેન વચ્ચેના સમાચારથી સોશિયલ મીડિયા હચમચી ઉઠ્યુ હતું. ચારે બાજુ આ સમાચારને કારણે લલિત મોદી અને સુષ્મિતા સેન ખુબ ટ્રોલ પણ થયા હતા. હાલમાં સમાચાર મળી રહ્યા છે કે લલિત અને સુષ્મિતા વચ્ચે બ્રેકઅપ (Lalit Sushmita breakup) થયું છે. તેમણે થોડા સમય પહેલા જ પોતાના સંબંધો વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને જાણ કરી હતી. પણ હાલ બ્રેકઅપની ચર્ચાએ લોકો વચ્ચે જોર પકડ્યુ છે. લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપની ચર્ચા કોઈ અફવા નથી પણ આ વાત લલિત મોદીના ઈન્સ્ટાગ્રામના એક અપડેટને કારણે સામે આવી છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.
લલિત મોદી અને સુષ્મિતા સેનના સંબંધોનું એલાન લગભગ 1 મહિના પહેલા જ થયું હતું. પણ હાલ બન્ને વચ્ચેના સંબંધો તૂટવાના સમાચારે જોર પક્ડયુ છે. એવું કહેવાય રહ્યુ છે કે, આ બન્નેના અલગ થવા પાછળનું કારણ સુષ્મિતાનો એક્સ બોયફ્રેડ છે. ટ્વિટર પર પણ આ બન્નેના સંબંધો તૂટવાના સમાચારે જોર પક્ડયું છે.
લગભગ 1 મહિના પહેલા લલિત મોદીએ લંડન વેકેશન પરથી પાછા આવીને સુષ્મિતા સેન સાથેના નવા અને જૂના ફોટો શેયર કરીને પોતાના સંબંધો વિશેની વાત લખી હતી. આ પોસ્ટમાં લખેલા કેપ્શન પરથી લોકોને લાગ્યુ તે બન્નેના લગ્ન થઈ ગયા. કારણ કે તે પોસ્ટમાં બેચર હાફ શબ્દનો ઉપયોગ થયો હતો. લોકો વચ્ચે જયારે તેમના લગ્નની ચર્ચા થઈ ત્યારે લલિત મોદીએ ફરી સોશિયલ મીડિયા પર તેની સ્પશષ્તા કરી હતી.
લલિત મોદીએ પોસ્ટ કરીને લખ્યુ હતુ કે, અમે લગ્ન નથી કર્યા. અમે એકબીજાને ડેટ કરી રહ્યા છે. આ પહેલા પર પોસ્ટમાં ખોટા શબ્દો અને ટેગને કારણે લલિત મોદી ટ્રોલ થયા હતા. આ વખતે ફરી તેઓ આ કામને કારણે લોકો વચ્ચે ટ્રોલ થયા હતા. તે ટ્રોલિંગ પર પણ તેમણે પોતાનો ગુસ્સો કાઢ્યો હતો. તે સમયે તેમના સંબંધો વિશેની માહિતી જાણીને સુષ્મિતાના ફેન્સને ઝટકો લાગ્યો હતો.
સુષ્મિતા સાથેના સંબંધોના એલાન સાથે લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની પ્રોફાઈલ ફોટોમાં સુષ્મિતા સાથેનો ફોટો મુક્યો હતો. અને તેની સાથે તેના બાયોમાં સુષ્મિતાને ટેગ કરીને લખ્યુ હતુ કે, ફાઈનલી, નવા જીવનની શરુઆત કરી રહ્યો છું. મારી ક્રાઈમ પાર્ટનર સાથે.
હાલમાં લલિત મોદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી તે લખાણ કાઢી નાખ્યુ છે. સાથે સાથે પ્રોફાઈલ ફોટો પર બદલી નાખ્યો છે. એટલું જ નહીં. જોકે, તેઓ હાલ પણ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરી રહ્યા છે. આ ફેરફારને કારણે લલિત મોદી અને સુષ્મિતા સેનના બ્રેકઅપની ચર્ચા થઈ રહી છે. પણ આ બાબતે લલિત મોદી કે સુષ્મિતા સેન તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.