Indian Idol 12: જાવેદ અલીએ રિયાલિટી શોની ખોલી પોલ, એક સ્પર્ધકની જીતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાશો

|

Jul 10, 2021 | 1:00 PM

પ્રખ્યાત સિંગર જાવેદ અલી ઘણી વાર Indian Idol જજ કરી ચૂક્યા છે. તેમને શોને લઈને હાલમાં ચાલી રહ્યા વિવાદ અંગે મોટું નિવેદન આપ્યું છે. સાથે તેમણે અન્ય શોની પણ વાત કરી છે.

Indian Idol 12: જાવેદ અલીએ રિયાલિટી શોની ખોલી પોલ, એક સ્પર્ધકની જીતને લઈને કર્યો ચોંકાવનારો ખુલાશો
Javed Ali's Statement on Indian Idol 12

Follow us on

ઇન્ડિયન આઈડલ 12 (Indian Idol 12) છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદમાં ચાલી રહ્યો છે. શોને લઈને કેટલાક સિંગર્સ અને કેટલાક સ્પર્ધક મોટા ખુલાસા કરી ચૂક્યા છે. આ બધા વિવાદ વચ્ચે શોમાં એક સમયે જજ રહી ચૂકેલા જાવેદ અલીએ (Javed Ali) શોને લઈને એવી વાત કરી કે સૌ ચોંકી ગયા.

તમને જણાવી દઈએ કે જ્યારે કિશોર કુમારના પુત્ર અમિત કુમાર આ શો પર આવ્યા હતા. એ બાદ અમિતે આપેલા એક નિવેદનના કારણે સમગ્ર વિવાદ શરુ થયો હતો. અમિતે ત્યારે કહ્યું હતું કે તેમને શો પર સ્પર્ધકના ખોટા વખાણ કરવા કહેવામાં આવ્યું હતું. હવે આ વિશે જાવેદ અલીને પણ સવાલ પૂછવામાં આવ્યો હતો.

આ વિશે જાવેદ અલીએ ખાનગી સમાચાર સંસ્થા સાથે વાત કરતા કહ્યું કે, ‘જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે હું ચોંકી ગયો. મારી સાથે ક્યારેય આવું નથી થયું. હું તો મારું સાચું જ મંતવ્ય આપતો હતો. મને તો કહેવામાં આવતું હતું કે ફેક ના બનશો. નહીંતર લોકોને ખ્યાલ આવી જશે કે તમે સાચું નથી બોલી રહ્યા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો કે જાવેદ અલીએ આ વિશે વાત કરતા એમ પણ કહ્યું કે, ‘હું થોડા સમય પહેલા એક શો જજ કરી રહ્યો હતો. તેમાં એક સ્પર્શક માત્ર એટલા માટે જીત્યો કે તે તેની વાતોથી સૌને પ્રભાવિત કરી શકતો હતો. જો કે આ વ્યક્તિગત મત છે કે કોને વોટ આપવો કોને નહીં.’ જાવેદે આગળ જણાવ્યું કે ‘મને નથી લાગતું કોઈને આમાં વોટ આપવા માટે મજબુર કરવામાં આવતા હોય.’

જાવેદે શો વિશે વાત કરતા કહ્યું કે ‘મેં ઘણા શો જજ કર્યા છે. મને તો આવો કોઈ અનુભવ નથી થયો. જ્યારે સુનિધિના નિવેદન વિશે જાવેદને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, ‘આ વિચારવા જેવી વાત છે. કેમ કે હું નથી જાણતો આવું થયું છે કે નહીં. પણ મારી સાથે વું ક્યારેય થયું નથી.

તમને જણાવી દઈએ, સુનિધિએ કહ્યું હતું કે શો મેકર્સના હિસાબે આગળ લઇ જવો પડતો હતો, અને ખોટા વખાણ કરવાનું કહેવામાં આવતું હતું. તેથી તેણે શો છોડી દીધો.

જાવેદને પૂછવામાં આવ્યું કે તેમના મતે આ સિઝનનો વિજેતા કોણ હોઈ શકે? તો તેમણે કહ્યું, ‘તે કહેવું ખૂબ મુશ્કેલ છે, પરંતુ પવનદીપ રાજન, અરૂનિતા કાંજીલાલ, દાનિશ ખાન અને બીજા કેટલાક 1-2 સ્પર્ધકોમાંથી કોઈ વિજેતા થઈ શકે છે.’

 

આ પણ વાંચો: TMKOC: બબીતા જીની પોસ્ટ કર ટપુએ કરી એવી કોમેન્ટ કે લોકોએ બંનેના સંબંધ પર ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો: Video: જ્યારે આમિરને ગાંગુલીના ઘરમાં નહોતી મળી એન્ટ્રી, ગાર્ડે ગેટ પર જ રોકી લીધા હતા અભિનેતાને

Next Article