Happy birthday Raj Kapoor : રાજ કપૂરની ઉદારતાએ તેમને સૌથી સફળ વ્યક્તિ બનાવ્યા, સાંભળીને તમને આશ્ચર્ય થશે

રાજ કપુરના નામે 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર એવોર્ડ છે. દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Happy birthday Raj Kapoor : રાજ કપૂરની ઉદારતાએ તેમને સૌથી સફળ વ્યક્તિ બનાવ્યા, સાંભળીને તમને આશ્ચર્ય થશે
Raj Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 6:52 AM

હિન્દી સિનેમાના શોમેન અને પ્રખ્યાત અભિનેતા, નિર્માતા-નિર્દેશક રાજ કપૂરનો (Raj Kapoor) જન્મ 14 ડિસેમ્બર 1924ના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમના પિતા પૃથ્વી રાજ કપૂરની જેમ રાજ કપૂરનું હિન્દી સિનેમામાં યોગદાન અવિશ્વસનીય છે. ક્યારેક શ્રી 420, ક્યારેક અનાડી તો ક્યારેક જોકર બનીને સૌના દિલ જીતનાર રાજ કપૂરના અભિનયની જેમ તેમનું હૃદય પણ સોના જેવું 100% શુદ્ધ હતું. રાજ કપૂરની ઉદારતા એવી હતી કે મોટા મોટા કલાકારો પણ તેમના પર વિશ્વાસ કરવા લાગ્યા.

14 ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા રાજ કપૂરે લગભગ 50 વર્ષ સુધી કેમેરાની આગળ અને પાછળ અભિનેતા, નિર્માતા, દિગ્દર્શક તરીકે કામ કર્યું. તેણે પોતાના ફિલ્મી જીવનમાં ઘણા એવોર્ડ જીત્યા છે. તેમના નામે 3 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને 11 ફિલ્મફેર એવોર્ડ છે. દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તે રાજ કપૂરની ઉદારતા હતી જેણે તેમને ફિલ્મ ઉદ્યોગમાં સૌથી સક્ષમ ટીમ બનાવવામાં મદદ કરી હતી. ગાયક મુકેશ અને લતા મંગેશકર હોય કે ગીતકાર શૈલેન્દ્ર, રાજ કપૂરના આ વ્યક્તિત્વે બધાના દિલ જીતી લીધા. આવો જ એક કિસ્સો આજે અમે તમને જણાવીશું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ફિલ્મોમાં આવતા પહેલા ગીતકાર શૈલેન્દ્ર માત્ર કવિ હતા. તેઓ અવારનવાર કવિ પરિષદોમાં કવિતા સંભળાવતા. એકવાર જ્યારે રાજ કપૂરે એક કાર્યક્રમમાં શૈલેન્દ્રને કવિતા સંભળાવતા સાંભળ્યા ત્યારે તેમણે તેમને ફિલ્મોમાં આવવા આમંત્રણ આપ્યું. કહેવાય છે કે પછી શૈલેન્દ્રએ નમ્રતાપૂર્વક આ ઓફર ઠુકરાવી દીધી હતી.

પરંતુ બાદમાં જ્યારે શૈલેન્દ્રની પત્ની ગંભીર રીતે બીમાર પડી ત્યારે તેણે રાજ કપૂર પાસે મદદ માંગી હતી. રાજ કપૂરે વિલંબ કર્યા વિના શૈલેન્દ્રને પૈસા આપી દીધા. આ પછી શૈલેન્દ્રએ રાજ કપૂર માટે ફિલ્મોમાં ગીતો લખવાનું શરૂ કર્યું હતું. એ જ રીતે ગાયક મુકેશનું દિલ પણ રાજ કપૂરે પોતાની ઉદારતાથી જીતી લીધું હતું. વાસ્તવમાં રાજ કપૂર અને મુકેશ સંગીત શીખવા માટે એક જ ગુરુ પાસે જતા હતા. મુકેશનો અવાજ સાંભળીને રાજ કપૂરે તેને પોતાની ફિલ્મમાં ગાવાનું વચન આપ્યું હતું.

કહેવાય છે કે બાદમાં જ્યારે રાજ કપૂરે પોતાની પહેલી ફિલ્મ આગ બનાવી ત્યારે તેણે સૌથી પહેલા મુકેશને ફોન કર્યો હતો. ત્યારથી મુકેશે મૃત્યુ સુધી રાજ કપૂરની ફિલ્મોમાં ગીતો ગાવાનું ચાલુ રાખ્યું હતું. ફિલ્મો સિવાય રાજ ​​કપૂર પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં હતા. રાજ કપૂર નરગીસના પ્રેમમાં હતા. પરંતુ પૃથ્વીરાજ કપૂરને આ સંબંધ મંજૂર નહોતો. રાજ કપૂર અને નરગીસે ​​એકસાથે 16 ફિલ્મો કરી. પરંતુ તેમની જોડી રિયલ લાઈફમાં બની શકી નથી.

આ પણ વાંચો : AHMEDABAD : બ્રાંડ ફેક્ટરીએ ગ્રાહક સુરક્ષા કોર્ટના આદેશને પણ નકાર્યો, થશે મોટી કાર્યવાહી?, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : Omicron: દક્ષિણ આફ્રિકાએ બ્રિક્સ દેશોના વૈજ્ઞાનિકોને કોરોનાના વેરિઅન્ટ પર સંશોધન માટે કર્યા આમંત્રિત, ઓમિક્રોનનો પણ થશે અભ્યાસ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">