Good News : Shahid Kapoor બન્યા નિર્માતા, નેટફ્લિક્સ સાથે સાઈન કરી કરોડોની આ ડીલ

|

Apr 30, 2021 | 2:32 PM

નેટફ્લિક્સ સાથે શાહિદે 70-80 કરોડ રૂપિયાની એક ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં તે એક માઈથોલોજિકલ ફિલ્મ બનાવશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ શાહિદ કરશે.

Good News : Shahid Kapoor બન્યા નિર્માતા, નેટફ્લિક્સ સાથે સાઈન કરી કરોડોની આ ડીલ
Shahid Kapoor

Follow us on

શાહિદ કપૂર (Shahid Kapoor) ના ચાહકો માટે એક સારા સમાચાર છે. શાહિદ કપૂર હવે નિર્માતા બનવા જઇ રહ્યા છે. આ માટે તેમણે નેટફ્લિક્સ સાથે ફિલ્મનો સોદો પણ કર્યો છે.

શાહિદ કપૂરની ફિલ્મ જર્સીનું શૂટિંગ સમાપ્ત થઈ ગયું છે અને તેઓ તેની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેમણે હવે પોતાના પ્રોડક્શન હાઉસને લોંચ કરવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે.

નેટફ્લિક્સ સાથે સોદો

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

એવું કહેવામાં આવી રહ્યું છે કે શાહિદે નેટફ્લિક્સ સાથે 70-80 કરોડ રુપિયાની એક ડીલ સાઈન કરી છે. જેમાં તે એક માઈથોલોજિકલ ફિલ્મ બનાવશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ શાહિદ કરશે.

આ ફિલ્મની વાર્તા પ્રખ્યાત લેખક અમિષ ત્રિવેદીના પુસ્તક પર આધારિત હશે. અમિષ ત્રિવેદીનાં ઘણાં પુસ્તકો છે પરંતુ આ ફિલ્મ કઈ પુસ્તક પર આધારિત છે તે હાલમાં જાહેર કરવામાં આવ્યું નથી.

 

 

 

કર્ણ બનશે શાહિદ કપૂર

તેમણે રાકેશ ઓમપ્રકાશ મેહરાની એક ફિલ્મ પહેલાથી સાઇન કરી ચૂક્યા છે, જેમાં શાહિદ કર્ણની ભૂમિકા નિભાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મ મહાભારતમાં કર્ણની વાર્તા પર આધારિત કહેવાઈ રહી છે.

રાજ-ડીકે ની ફિલ્મ

શાહિદે મિર્ઝાપુર શ્રેણી બનાવીને પ્રખ્યાત થયેલા દિગ્દર્શક જોડી રાજ અને ડીકેની એક ફિલ્મ સાઇન કરી છે. આ સિવાય શાહિદે કરણ જોહરની ફિલ્મ યોદ્ધાને ના પાડી કારણ કે તેની વાર્તા તેમની આગામી ફિલ્મ જર્સીથી ધણી મળતી છે.

45 કરોડ કરી દિધી છે ફિ

શાહિદ કપૂરે ફિલ્મ કબીર સિંહ પછી તેમની ફી સીધી 15 કરોડથી વધારીને 45 કરોડ કરી દીધી હતી, ત્યારબાદ તેમને થોડા સમય માટે આ ફીની ઓફર મળી ન હતી, પરંતુ તે પછી ફિલ્મ નિર્માતાઓએ તેમને આ ફી સાથે સ્વીકારી લીધા હતા. કારણ કે તેમની ફિલ્મ કબીર સિંહે 200 કરોડ રુપયાથી વધુનો બિઝનેસ કરી બોક્સઓફિસ પર પોતાની ક્ષમતા સાબિત કરી હતી.

ફેમિલી મેન છે શાહિદ

શાહિદ કપૂરે 2015 માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા અને ત્યારબાદથી તે બંને એક ખુશ દંપતીની જેમ ચાહકોના આઈડિયલ બની ગયા છે. મીરા પણ સતત તેમને સાથ આપે છે. વળી, તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પણ સતત હેડલાઇન્સ કરતી રહે છે.

પોતાની ફિલ્મો નથી જોતા

શાહિદ કપૂરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે પોતાની ફિલ્મ્સ જોતા નથી કારણ કે તે વિચારે છે કે તેનાથી તેમનો સમય બરબાદ થશે. શાહિદનું માનવું છે કે તેમની કારકિર્દીના એક તબક્કે તેમણે એવી ફિલ્મો કરી છે જે તેમણે ન કરવી જોઈએ. તે ફિલ્મો માટે તે પોતે થિયેટરો તરફ જવા માંગતા નથી.

આ પણ વાંચો :- Priyanka Chopra એ કરી મદદની અપીલ, કહ્યું – ‘ કોરોનાથી મારા દેશમાં લોકો મરી રહ્યા છે, તમારી જરૂરત છે’

આ પણ વાંચો :- ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે … નો તે માસૂમ બાળક થઈ ગયો છે એટલો મોટો, જુઓ ન જોયેલા ફોટા

Next Article