Amitabh Bachchanને પાન મસાલાની જાહેરાતમાં કેમ કામ કર્યું? જાણો અભિનેતાએ શું આપ્યો જવાબ

|

Sep 17, 2021 | 9:45 PM

અમિતાભ બચ્ચનની પાન મસાલાની જાહેરાત થોડા દિવસો પહેલા રિલીઝ થઈ હતી. આ જાહેરાત જોયા બાદ ચાહકો જાણવા માંગતા હતા કે તેઓએ આ જાહેરાત શા માટે કરી. હવે ખુદ અભિનેતાએ આનું કારણ આપ્યું છે.

Amitabh Bachchanને પાન મસાલાની જાહેરાતમાં કેમ કામ કર્યું? જાણો અભિનેતાએ શું આપ્યો જવાબ
Amitabh Bachchan

Follow us on

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે અને ચાહકો સાથે પણ જોડાયેલા રહે છે. તે સોશિયલ મીડિયા પર ચાહકોના પ્રશ્નોના જવાબ આપે છે અને તેમની સાથે વાતચીત પણ કરે છે.

 

હવે તાજેતરમાં જ બિગ બીએ એક ટ્વીટ કર્યું ‘એક ઘડિયાળ ખરીદીને હાથમાં શું બાંધી લીધી, સમય પાછળ પડી ગયો છે.’ હંમેશની જેમ, બિગ બીના આ ટ્વીટ પર ચાહકોએ ઘણી પ્રતિક્રિયા આપી. તે જ સમયે, એક ચાહકે તેમને પૂછ્યું કે તેમણે તાજેતરમાં પાન મસાલાની જાહેરાત કરી છે, તો આનું કારણ શું હતું.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બિગ બીએ પણ તે ફેનને જવાબ આપ્યો. ખરેખર, ચાહકે કમેન્ટ કરી હતી, ‘પ્રણામ સર, માત્ર એક જ વસ્તુ પૂછવાની છે તમને કે શું જરૂરત છે તમારે પાન મસાલાની જાહેરાત કરવાની તો પછી તમારામાં અને બીજામાં શું ફરક રહી ગયો?

 

પ્રશંસકને જવાબ આપતા બિગ બીએ લખ્યું ‘માન્યવર, ક્ષમા પ્રાર્થી છું, કોઈ પણ વ્યવસાયમાં જો કોઈનું સારું થઈ રહ્યું છે તો એ ન વિચારવું જોઈએ કે આપણે તેની સાથે શા માટે જોડાઈ રહ્યા છીએ. હા, જો વ્યવસાય હોય તો અમારે પણ અમારા વ્યવસાય વિશે વિચારવું પડે છે. હવે તમને લાગે છે કે મારે આ ન કરવું જોઈએ પણ હા, મને પણ આ કરવા માટે પૈસા મળે છે.

 

અમારા ઉદ્યોગમાં જે ઘણા લોકો કામ કરી રહ્યા છે, જેઓ કર્મચારીઓ છે, તેઓને પણ રોજગારી મળે છે અને પૈસા પણ અને માન્યવર, તૂતપૂંજિયો તમારા મોઢામાંથી શોભા નથી આપતુ અને ન તો અમારા ઉદ્યોગના કલાકારોને શોભિત કરે છે. આદર સહિત નમસ્કાર કરુ છું.

 

 

તમને જણાવી દઈએ કે જ્યારે અમિતાભ બચ્ચનની આ જાહેરાત આવી ત્યારે પણ તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. તે સમયે પણ ઘણા ચાહકોએ તેમને આ જાહેરાત કરવાનું કારણ પૂછ્યું હતું, તેથી હવે ફાઈનલી તેમને તેનો જવાબ મળી ગયો છે.

 

કૌન બનેગા કરોડપતિમાં દેખાઈ રહ્યા છે

આજકાલ બિગ બી તેમના લોકપ્રિય શો કૌન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13)માં જોવા મળી રહ્યા છે. શોને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રેક્ષકો સાથે રમત રમતી વખતે બિગ બી તેમના જીવનની કેટલીક મજેદાર વાતો પણ કહે છે, જે ચાહકોને ખૂબ ગમે છે.

 

આગામી ફિલ્મો

બિગ બી છેલ્લે ચેહરે ફિલ્મમાં જોવા મળ્યા હતા, જે કોવિડની બીજી લહેર બાદ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બિગ બી સાથે ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતા. અત્યારે બિગ બીની ઘણી ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે, જેમાં ઝુંડ, બ્રહ્માસ્ત્ર, મેડે અને ગુડ બાયનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો :-PM Narendra Modiના જીવન પર બની ચુકી છે આ ફિલ્મો, ચાહકો વચ્ચે મચાવી છે ધમાલ

 

આ પણ વાંચો :- PM Modi Birthday: પીએમ મોદીને કરણ જોહરથી લઈને પવન કલ્યાણ સુધીના સ્ટાર્સે આપી જન્મદિવસની શુભેચ્છાઓ, જાણો કોણે શું કહ્યું?

Next Article