AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscars 2022 : પત્નીની મજાક બદલ હોસ્ટ ક્રિસને થપ્પડ મારનાર વિલ સ્મિથ જેડા સાથે છૂટાછેડા લેશે ??

ઓસ્કાર 2022 સમારોહ (Oscars 2022) દરમિયાન વિલ સ્મિથે શોના હોસ્ટ ક્રિસ રોકને બધાની સામે થપ્પડ મારી દીધી હતી, ત્યારબાદ વિલ પર એકેડમી દ્વારા 10 વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તાજેતરમાં વિલ અને જાડા વચ્ચે અણબનાવના સમાચાર સામે આવી રહ્યા છે.

Oscars 2022 : પત્નીની મજાક બદલ હોસ્ટ ક્રિસને થપ્પડ મારનાર વિલ સ્મિથ જેડા સાથે છૂટાછેડા લેશે ??
Will Smith & Chris Rock (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 7:05 PM
Share

વિલ સ્મિથે (Will Smith) 94મા એકેડેમી એવોર્ડ સમારોહ દરમિયાન કોમેડિયન ક્રિસ રોકને (Chris Rock) સ્ટેજ પર થપ્પડ મારી હતી. આ ઘટનાના લગભગ એક મહિના પછી, તેની પત્ની જેડા પિંકેટ સ્મિથના (Jada Pinkett Smith) શો રેડ ટેબલ ટોકનું આગામી પાંચમી સિઝનનું ટ્રેલર રિલીઝ થયું છે. એમી-એવોર્ડથી નવઝાયેલા આ શોમાં અભિનેત્રી જેડા તેની પુત્રી વિલો અને તેની માતા એડ્રિએન બેનફિલ્ડ નોરિસ સાથે વિવિધ વિષયો પર તેના મંતવ્યો અંગે ખુલ્લેઆમ ચર્ચા કરતી જોવા મળી હતી. જો કે, તેણે ઓસ્કાર 2022માં વિલ સ્મિથ દ્વારા ક્રિસ રોકને થપ્પડ મારવા વિશે ચર્ચા કરી ન હતી.

View this post on Instagram

A post shared by Jada Pinkett Smith (@jadapinkettsmith)

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે જેડા અને વિલ સ્મિથ છૂટાછેડા લઈ શકે છે. હીટ મેગેઝિન યુકેએ તાજેતરમાં એવો દાવો કર્યો છે કે, વિલ સ્મિથ અને તેની પત્ની જેડા એકેડેમી એવોર્ડ્સમાં અભિનેતાના વર્તનને લઈને દંપતી વચ્ચે તણાવ વધી ગયો છે. તેના મતે, આ ‘શો બિઝ ઇતિહાસમાં સૌથી ખરાબ છૂટાછેડા’ હોઈ શકે છે.

શું વિલ સ્મિથ અને જેડા પિંકેટ સ્મિથ છૂટાછેડા લેશે ??

હીટ મેગેઝિન યુકેના જણાવ્યા અનુસાર, આ સ્ટાર કપલની નજીકના એક સૂત્રએ આઉટલેટને જણાવ્યું હતું કે, ઓસ્કરની ઘટના બાદથી તેઓ વચ્ચે તણાવ છે. બંને વચ્ચે વર્ષોથી સમસ્યાઓ ચાલી રહી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ દિવસોમાં તેઓ ભાગ્યે જ એકબીજા સાથે વાત કરી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જો તેમની વચ્ચે ખરેખર છૂટાછેડા થઇ રહયા છે, તો વસ્તુઓ નિયંત્રણની બહાર થઈ ગઈ હોત. તે શો બિઝના ઇતિહાસમાં સૌથી ખરાબ છૂટાછેડા પૈકી એક હોઈ શકે છે. આ છૂટાછેડા એન્જેલીના જોલી અને બ્રાડ પિટના છૂટાછેડા કરતાં પણ વધુ ચર્ચાસ્પદ બની શકે છે.

વિલ સ્મિથે તાજેતરમાં ઓસ્કાર 2022માં કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યા બાદ હેડલાઈન્સમાં સતત જોવા મળી રહ્યો છે. આ ઘટનાના થોડા અઠવાડિયા પછી, આ સ્ટાર કપલની જૂની રેડ ટેબલ ટોક શોની ક્લિપ ફરીથી વાયરલ થઇ રહી છે. આ વિડીયોમાં, જેડા તેમના લગ્ન વિશે વાત કરતા રડી પડી હતી અને જાહેર કર્યું કે તે લગ્ન કરવા માંગતી ન હતી. જેડાએ શેર કર્યું કે, “હું ખૂબ દબાણ હેઠળ હતી, તમે જાણો છો, એક યુવાન અભિનેત્રી તરીકે કેવું લાગે છે અને હું ગર્ભવતી હતી, મને ખબર ન હતી કે શું. પરંતુ હું ક્યારેય ઇચ્છતી ન હતી તે મારી સાથે લગ્ન કરી લે. હું ખરેખર લગ્ન કરવા માંગતી ન હતી.”

View this post on Instagram

A post shared by Will Smith (@willsmith)

ગર્ભાવસ્થાના કારણે લગ્ન કર્યા હતા

તેના જવાબમાં, કિંગ રિચાર્ડ સ્ટારે મજાકમાં કહ્યું કે, “અમે ફક્ત એટલા માટે લગ્ન કર્યા કારણ કે જેડા રડતી હતી.” એપિસોડ દરમિયાન, આ સ્ટાર કપલે કબૂલ્યું હતું કે તેમના લગ્ન કરવા પાછળનું એકમાત્ર કારણ જેડાની ગર્ભાવસ્થા હતી.

આ પણ વાંચો – લગ્નની આ રસમ માટે રણબીર કપુરને ચુકવવા પડ્યા હતા લાખો રૂપિયા, જાણો અહીંયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">