ફેમસ ટીવી અભિનેતા પર્લ વી પુરીને જમાનત મળી ગઈ છે. તમને ખ્યાલ જ હશે કે પર્લ પર નાબાલિક પર રેપનો આરોપ લાગ્યો છે. તેમ છતાં પર્લ (Pearl V Puri)ને જામીન મળી ગયા છે. અભિનેતાને 11 દિવસ સુધી જેલમાં રહ્યા બાદ જમાનત મળી છે. થોડા દિવસો અગાઉ જ નાબાલિક બાળકી પર દુષ્કર્મ આચર્યાના આરોપમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈ પોલીસે (Mumbai Police) પોક્સો એક્ટ (POCSO) હેઠળ અભિનેતાની ધરપકડ કરી હતી. પોલીસે કહ્યું પણ હતું કે અભિનેતા સામે સબુત પણ છે. પરંતુ તેમ છતાં અભિનેતાને જમાનત મળી ગઈ છે. આ વાત પર આસારામના ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે. જી હા અભિનેતાની જમાનત પર આસારામના ભક્તોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
આસારામ બાપુના ભક્તો ન્યાયતંત્ર પર પક્ષપાતનો આરોપ લગાવી રહ્યા છે. સગીર બાળકી પર બળાત્કાર ગુજારવાના મામલે આસારામ પણ ઘણા સમયથી જેલમાં છે. આવી સ્થિતિમાં અભિનેતાને જમાનત મળતા તેમના ભક્તોએ સોશિયલ મીડિયામાં ગુસ્સે જોવા મળી રહ્યા છે. ભક્તોનો આરોપ છે કે જ્યારે પર્લને જામીન મળી શકે છે, તો પછી આસારામ બાપુને કેમ નહીં? ચાલો તમને બતાવીએ કેટલી પોસ્ટ્સ.
એક યુઝરે લખ્યું કે આસારામ બાપુને પોક્સો એક્ટ હેઠળ 8 વર્ષમાં એક વાર પણ જમાનત નથી મળી, અને અભિનેતા પર્લને માત્ર 12 દિવસમાં જમાનત આપી દેવામાં આવી. વાહ રે ન્યાયપાલિકા.
Sant Shri Asharamji Bapu was not granted bail even once in 8 years under the POCSO Act and in the second case, actor Pearl V Puri was granted bail in just 12 days. wow re judiciary.#एक्टर_को_बेल_संत_को_जेल #WednesdayMotivation#wednesdaythought pic.twitter.com/VxRF9pWoyD
— ✿वेदवती✿ (@Vedvati_) June 16, 2021
તો અન્ય યુઝરે લખ્યું હતું કે વાહ .. અહીં એક અભિનેતા @pearlvpuri જામીન મળી જાય છે, જ્યાં ભારતને સંતોની ભૂમિ કહેવામાં આવે છે, ત્યાં જ તે જ પોસ્કો અધિનિયમ હેઠળ તેમને જામીન નથી મળતી. જ્યાં સંત શ્રી આશ્રમજી બાપુ દોષિત સાબિત નથી થયા. આવું લખીને તેણે પણ ન્યાય પ્રક્રિયા સામે સવાલો કર્યા.
https://twitter.com/Ayan_Choudhary9/status/1405008732111605765
આવી જ રીતે અન્ય યુઝરે પણ આસારામને નિર્દોષ ગણાવતા આ મુદ્દે ટ્વીટ કર્યું હતું.
Heights of Injustice with an Innocent Sant Shri Asharamji Bapu.
POCSO ACT is MISUSED
GIRL'S CERTIFICATES states she is MAJOR.Whereas Rapist Pearl V Puri got bailed under POCSO ACT.
Why Partiality?
Why dates for Innocent #Bapuji and Bail for Rapist?#एक्टर_को_बेल_संत_को_जेल pic.twitter.com/yGzDj0bboc
— Dr.Geetika (@DrGeetika6) June 16, 2021
તેમજ ઘણા યુઝરે એક્ટર કો બેલ સંત કો જેલ જેવા ટેગ લગાવીને સોશિયલ મીડિયા અભિયાન ચલાવ્યું હતું.
Hindu Sant Shri Asharamji Bapu is booked under POCSO , despite many proofs of innocence, he was not given bail even for 1 day in 8 years.
Whereas actor Pearl V Puri was arrested under the POCSO Act and got bail within 11 days.
Why such double standards?#एक्टर_को_बेल_संत_को_जेल https://t.co/EOVAqgMA3X
— Deepika Chandwani (@DeepikaChandwa2) June 16, 2021
Actor Pearl V, who was arrested under the POCSO Act, got bail in 12 days. Minister Gayatri Prasad arrested under POCSO Act also got bail but in Sant Shri Asharamji Bapu case no bail given even for a day for last 8 years. #एक्टर_को_बेल_संत_को_जेल
— Anita Srivastava (@AnitaSr27721927) June 16, 2021
આવી જ રીતે અન્ય ઘણા યુઝરોએ પણ આ બાબતને લઈને ટ્વીટ કરી હતી. તેમનો સવાલ હતો કે અભિનેતાને બેલ મળી જાય છે તો સંતને કેમ નથી મળતી. અભિનેતાની બેલ પર આસારામના ભક્તો સોશિયલ મીડિયામાં ગુસ્સે જોવા મળી રહ્યા છે.
Biggest misuse of POCSO ACT is done with Innocent Sant Shri Asharamji Bapu. Many more culprits are getting bail from last 8 yrs but there is no single bail for #Bapuji even after critical health.#एक्टर_को_बेल_संत_को_जेल
Why Judiciary doing partial justice ? https://t.co/KFyjZ5JP3A— Raghvendra K.Yadav (@raghvrai) June 16, 2021
આપણે જણાવી દઈએ કે આસારામની ધરપકડ 2013 માં કરવામાં આવી હતી. 2 સપ્ટેમ્બર, 2013 થી તે ન્યાયિક કસ્ટડીમાં છે. આસારામ પર સુરતમાં પણ બે બહેનો પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આ સાથે એસસી / એસટી એક્ટ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ભારતને ‘શ્વાસ આપવાના’ નામે ભારતમાંથી ભેગા કરેલા પૈસા આતંકવાદીઓને અપાયા! જાણો NGOs નું કારસ્તાન
આ પણ વાંચો: VivaTech 2021: જાણો શું છે વિવાટેક, જેમાં PM મોદીનું મોટા દિગ્ગજો સામે આજે છે સંબોધન