ભારતને ‘શ્વાસ આપવાના’ નામે ભારતમાંથી ભેગા કરેલા પૈસા આતંકવાદીઓને અપાયા! જાણો NGOs નું કારસ્તાન

યુરોપમાં દુષ્પ્રચાર અભિયાન પર નજર રાખતી સંસ્થા 'ડિસઈંફો લેબ'એ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. અને તેના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે USમાં પાકિસ્તાની NGOએ ભારતને મદદના નામે પૈસા ઉઘરાવીને આતંકીઓને પહોંચાડ્યા.

ભારતને 'શ્વાસ આપવાના' નામે ભારતમાંથી ભેગા કરેલા પૈસા આતંકવાદીઓને અપાયા! જાણો NGOs નું કારસ્તાન
ભારતને મદદ કરવાના નામે છેતરપિંડી (ANI)
Follow Us:
| Updated on: Jun 16, 2021 | 10:56 AM

ભારત જ્યારે બીજી લહેર સામે લડી રહ્યું હતું ત્યારે વિશ્વભરમાંથી મદદ આવી હતી. ઘણા લોકો અને સંસ્થાઓ તેમજ દેશ મદદ માટે સામે આવ્યા હતા. પરંતુ તમને આ વાત જાણીને આઘાત લાગશે કે કેટલીક સંસ્થાઓ ભારતને મદદ કરવાના નામે ભારતમાંથી પણ પૈસા ઉઘરાવીને તેમના ખરાબ ઈરાદાઓને પાર પાડવામાં લાગ્યા હતા. આ વાતનો ખુલાસો થયો ડિસઈંફો લેબના એક અહેવાલથી.

અમેરિકામાં લગભગ 23 પાકિસ્તાની સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO)નું મોટું કારસ્તાન સામે આવ્યું છે. યુરોપમાં દુષ્પ્રચાર અભિયાન પર નજર રાખતી સંસ્થા ‘ડિસઈંફો લેબ’એ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. અને તેના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે યુ.એસમાં પાકિસ્તાની એન.જી.ઓ.એ કોરોનાની બીજી લહેર દરમિયાન ભારતને લઈને કથિત મદદ માટે ઝુંબેશ ચલાવી હતી.

કોવિડ એઇડ સ્કેમ 2021

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો તમને યાદ ના હોય તો જણાવી દઈએ કે ભારતમાં ઓક્સિજન અને કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ સુવિધાઓને લઈને પડેલી તકલીફ દરમિયાન US ના તેમજ ઘણા NGO એ અભિયાન ચલાવ્યું હતું. જેનું નામ હતું ‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’. આ અભિયાનમાં લગભગ 158 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા. પરંતુ ડિસઈંફો લેબના અહેવાલ અનુસાર આ પૈસા આતંકીઓ સુધી પહોંચાડવામાં આવ્યા છે. રિપોર્ટમાં આ કાવતરાને ‘કોવિડ એઇડ સ્કેમ 2021’ નામ આપવામાં આવ્યું છે.

ઈમાના સંસ્થાએ ચલાવ્યું હતું અભિયાન

આ અહેવાલમાં મદદના નામે ચલાવવામાં આવેલા 66 ખોટા અભિયાન ઉજાગર કરવામાં આવ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ ઈતિહાસના સૌથી મોટા કૌભાંડોમાનું એક છે. અહેવાલમાં જણાવ્યા અનુસાર અભિયાન ચલાવનાર સંગઠનમાં એક સંગઠન “ઈમાના-ઇસ્લામિક મેડિકલ એસોસિએશન’ (IMANA) છે કે અમેરિકાના ઇલિનોઇસમાં કાર્યરત છે. જેની શરૂઆત 1967 માં કરવામાં આવી હતી. ડોક્ટર ઇસ્લામિક મેહર ઈમાના (IMANA) આ સંસ્થાના અધ્યક્ષ છે. મુખ્યુ રૂપે આ સંસ્થાએ જ ‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’ની યોજના બનાવી હતી.

‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’ અભિયાન

અહેવાલમાં જણાવાયું છે કે ‘હેલ્પ ઇન્ડિયા બ્રેથ’ 27 મી એપ્રિલ 2021 ના ​​રોજ સોશિયલ મીડિયા પર શરૂ કરવામાં આવ્યું હતું. તેનું લક્ષ્ય આશરે 1.8 કરોડ લોકો પાસેથી દાન એકત્ર કરવાનું હતું. ખાસ વાત એ છે કે ઇમાના (IMANA) સંસ્થાની કોઈ ઓફિસ કે બ્રાન્ડ નથી અને તેની ભારતમાં ઓફિસ પણ નથી. તેથી તેને ભંડોળ ભેગું કરતા અટકાવી શકાયું નહીં. ઝુંબેશ દરમિયાન ઇમાના (IMANA) દર કલાકે લગભગ 73 લાખ રૂપિયા ભેગા કરી રહ્યું હતું.

મદદ કર્યાના પુરાવા આપી શકી નહીં

ઈમનાના પ્રમુખ ડો. ઇસ્માઇલ મેહરે અનેક શંકાસ્પદ દાવા કર્યા. તેમણે કહ્યું, “ઇમાનાએ 5.60 કરોડના તબીબી ઉપકરણો ખરીદ્યા.” જોકે, આ ઉપકરણો ક્યારેય ભારત પહોંચ્યા નહીં. મેહરે એવો દાવો કર્યો હતો કે તેમણે ભારતને સહાય સામગ્રી પહોંચાડવા માટે એર ઈન્ડિયા સાથે જોડાણ કર્યું છે. પરંતુ તેનો પણ કોઈ પુરાવા આપી શક્યા નહીં. તેવી જ રીતે અન્ય સંસ્થાઓ પણ આવા દાવાઓ કરીને તેના સમર્થનમાં પુરાવા આપી શકી નહીં.

અહેવાલમાં ચોંકાવનારા ખુલાસા

અહેવાલમાં જણાવ્યા મુજબ, ઘણા પાકિસ્તાની સંગઠનો ભારતને મદદ કરવાના નામે ફંડ એકઠું કરવા અમેરિકામાં સક્રિય છે. આમાં ઇમાના અને ઇસ્લામિક સર્કલ ઓફ નોર્થ અમેરિકા (ICANA) વિશ્વના ઘણા આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે. ICANA પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસને પણ નાણાં પૂરા પાડે છે. પાકિસ્તાન આર્મીના નિવૃત્ત કર્મચારીઓ ઈમાન અને ICANA ને ચલાવવામાં મદદ કરે છે. પાકિસ્તાની સેના તેને આગળ વધારે છે.

આ પણ વાંચો: VivaTech 2021: જાણો શું છે વિવાટેક, જેમાં PM મોદીનું મોટા દિગ્ગજો સામે આજે છે સંબોધન

આ પણ વાંચો: Petrol-Diesel Price Today: ઇંધણની કિંમતમાં રેકોર્ડ બ્રેક વધારો, જાણો આજે કેટલું મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">