TMKOC : ફરી શોમાં ગરબા રમતા દેખાશે દયાબેન, તેમની વાપસીને લઇને મેકર્સ સાથે થઇ રહી છે ચર્ચા

|

Jan 27, 2022 | 8:47 PM

કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં લાંબા સમય બાદ દયાબેન વાપસી કરી શકે છે. જો સમાચારનું માનીએ તો અભિનેત્રીએ પોતાની કેટલીક શરતો રાખી છે, જેના પછી તે શોનો ભાગ બની શકે છે.

TMKOC : ફરી શોમાં ગરબા રમતા દેખાશે દયાબેન, તેમની વાપસીને લઇને મેકર્સ સાથે થઇ રહી છે ચર્ચા
Dayaben will return in Taarak Mehta ka Ooltah Chashmah

Follow us on

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta ka Ooltah Chashmah) ચાહકો માટે એક મોટા સમાચાર છે. દયાબેન જલ્દી શોમાં પાછા જોવા મળી શકે છે. હા, આવનારા સમયમાં દયાબેન ટીવીમાં ગરબા કરતા જોવા મળી શકે છે. પરંતુ આ માટે શોના મેકર્સે દયાબેન એટલે કે દિશા વાકાણીની (Disha Vakani) કેટલીક શરતો સ્વીકારવી પડશે.

દયાબેન એટલે કે દિશા વાકાણી ટીવીના ફેમસ ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ઘણા સમયથી જોવા મળી નથી. તે મેટરનીટી લીવ પર ગઈ હતી પરંતુ પાછી આવી ન હતી. દરમિયાન, ઘણી વખત સાંભળવામાં આવ્યું હતું કે દિશા હવે સિરિયલમાં પાછી ફરી રહી છે. પરંતુ દર વખતે ચાહકો નિરાશ થયા હતા. દિશા વાકાણીના પતિ મયુરે પણ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે તેની પત્ની શોમાં પાછી નહીં ફરે. પરંતુ હવે એવી શક્યતાઓ છે કે દિશા શોમાં પરત ફરી શકે છે.

Koimoi.com ના સમાચાર મુજબ, જો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓ દયાબેનની ફી પર એપિસોડ 1.5 લાખ વધારી દે છે. અને જો દિશાની દિવસમાં માત્ર 3 કલાક કામ કરવાની શરત સ્વીકારે છે, તો તે કામ પર પરત ફરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશાના પતિ મયૂર શોના મેકર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દિશા અને તેના પતિ ઈચ્છે છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સેટ પર તેમના બાળક માટે પર્સનલ નર્સરી પણ બનાવવામાં આવે અને એક આયા પણ રાખવામાં આવે જે હંમેશા તેમના બાળક સાથે રહે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

તમને જણાવી દઈએ કે, ભલે સીરિયલની દયાબેન એટલે કે દિશા વાકાણી હવે આ શોનો હિસ્સો નથી, પરંતુ ફેન્સ તેને હજુ પણ યાદ કરે છે. દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી આ શોમાં જોવા મળી નથી અને નિર્માતાઓએ તેના પાત્રને કોઈની સાથે બદલ્યું નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દિશા વાકાણીની એક્ટિંગ કરિયરમાં એક માઈલસ્ટોન સાબિત થઈ છે.

 

આ પણ વાંચો –

Nawazuddin Siddique એ મુંબઈમાં પોતાનું ડ્રીમ હોમ બનાવ્યું, જાણો પાંચ વ્યક્તિ સાથે શેરીંગ ફ્લેટમાં રહેવાથી લઈ અહિયાં સુધીની સફર

આ પણ વાંચો –

સોશિયલ મીડિયા દ્વારા અઢળક કમાણી કરે છે શહનાઝ ગિલ, એક પોસ્ટ માટે આટલી રકમ લે છે અભિનેત્રી

Next Article